અમદાવાદનો ફ્લાવર-શો બન્યું આકર્ષણનું કેન્દ્ર, શોના પીએમ મોદીએ પણ કર્યા વખાણ


  • Published By :
  • Published Date : 2023-01-05 11:12:32

કોરોના મહામારીને કારણે છેલ્લા 2 વર્ષથી કોઈ પણ કાર્યક્રમનું આયોજન મોટા પાયે કરવામાં આવ્યું ન હતું. પરંતુ કોરોના સંક્રમણ ધીરે ધીરે આછું થતા આ વખતે તંત્ર દ્વારા અનેક આયોજન કરવામાં આવ્યા છે. એ કાંકરિયા કાર્નિવલ હોય કે પછી ફ્લાવર-શો હોય. હાલ ફ્લાવર શો ચાલી રહ્યો છે ત્યારે ફ્લાવર-શોને લઈ વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરી છે.  ટ્વિટ કરતા તેમણે કહ્યું કે વર્ષોથી અમદાવાદના ફ્લાવર શોએ ફૂલો અને પ્રકૃતિ પ્રત્યે શોખીન એવા ઘણા લોકોને આકર્ષિત કર્યા છે.

  

કાંકરિયા કાર્નિવલ તેમજ ફ્લાવર શોનું કરાયું આયોજન

છેલ્લા 2 વર્ષથી કોરોના મહામારીને કારણે કોઈ પણ તહેવાર અથવા તો આયોજન મોટા પાયે કરવામાં આવ્યા ન હતા. દર વર્ષે અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલનું તેમજ ફ્લાવર-શોનું ભવ્ય આયોજન કરવામાં આવતું હોય છે. પરંતુ કોરોના સંક્રમણને કારણે તેનું પણ આયોજન કરવામાં આવ્યું ન હતું. ત્યારે કોરોનાનો કહેર હાલ દેખાઈ નથી રહ્યો. ત્યારે આ વર્ષે તંત્ર દ્વારા કાંકરિયા કાર્નિવલ તેમજ ફ્લાવર-શોનું આયોજન કરવામાં આવ્યું છે. 


ફ્લાવર શોની મુલાકાત લઈ રહ્યા છે હજારો લોકો 

કાંકરિયા કાર્નિવલનો લાભ લાખો લોકોએ લીધો છે. કાંકરિયા ખાતે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આયોજનને સફળ બનાવ્યો હતો. ત્યારે 12 જાન્યુઆરી સુદી ફ્લાવર શો ચાલવાનો છે. આ શોની મુલાકાત પણ મોટી સંખ્યામાં લોકો લઈ રહ્યા છે. હજારોની સંખ્યામાં લોકો આવી રહ્યા છે જેને કારણે અટલ બ્રિજ પર પણ માનવ મહેરામણ જોવા મળી રહ્યા છે. 


વડાપ્રધાન મોદીએ લીધી ફ્લાવર શોની નોંધ કર્યું ટ્વિટ

ત્યારે ફ્લાવર શોના ભવ્યતાની નોંધ વડાપ્રધાન મોદીએ લીધી છે. ફ્લાવર શો અંગે ટ્વિટ કરી હતી અને લખ્યું કે અદ્ભૂત લાગે છે. વર્ષોથી અમદાવાદના ફ્લાવર શોએ ફૂલો અને પ્રકૃતિ પ્રત્યે શોખીન એવા ઘણા લોકોને આકર્ષિત કર્યા છે. આ ફ્લાવરમાં શિયાળામાં થતા ફૂલોને પ્રદર્શિત કરવામાં આવ્યા છે. ઉપરાંત અનેક રાજ્યોનાં વિવિધ પુષ્પો પણ જોવા મળે છે. આ વર્ષે આઝાદી કા અમૃત મહોત્સવની થીમ પર ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે.     



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.