અમદાવાદનો ફ્લાવર-શો બન્યું આકર્ષણનું કેન્દ્ર, શોના પીએમ મોદીએ પણ કર્યા વખાણ


  • Published By :
  • Published Date : 2023-01-05 11:12:32

કોરોના મહામારીને કારણે છેલ્લા 2 વર્ષથી કોઈ પણ કાર્યક્રમનું આયોજન મોટા પાયે કરવામાં આવ્યું ન હતું. પરંતુ કોરોના સંક્રમણ ધીરે ધીરે આછું થતા આ વખતે તંત્ર દ્વારા અનેક આયોજન કરવામાં આવ્યા છે. એ કાંકરિયા કાર્નિવલ હોય કે પછી ફ્લાવર-શો હોય. હાલ ફ્લાવર શો ચાલી રહ્યો છે ત્યારે ફ્લાવર-શોને લઈ વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરી છે.  ટ્વિટ કરતા તેમણે કહ્યું કે વર્ષોથી અમદાવાદના ફ્લાવર શોએ ફૂલો અને પ્રકૃતિ પ્રત્યે શોખીન એવા ઘણા લોકોને આકર્ષિત કર્યા છે.

  

કાંકરિયા કાર્નિવલ તેમજ ફ્લાવર શોનું કરાયું આયોજન

છેલ્લા 2 વર્ષથી કોરોના મહામારીને કારણે કોઈ પણ તહેવાર અથવા તો આયોજન મોટા પાયે કરવામાં આવ્યા ન હતા. દર વર્ષે અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલનું તેમજ ફ્લાવર-શોનું ભવ્ય આયોજન કરવામાં આવતું હોય છે. પરંતુ કોરોના સંક્રમણને કારણે તેનું પણ આયોજન કરવામાં આવ્યું ન હતું. ત્યારે કોરોનાનો કહેર હાલ દેખાઈ નથી રહ્યો. ત્યારે આ વર્ષે તંત્ર દ્વારા કાંકરિયા કાર્નિવલ તેમજ ફ્લાવર-શોનું આયોજન કરવામાં આવ્યું છે. 


ફ્લાવર શોની મુલાકાત લઈ રહ્યા છે હજારો લોકો 

કાંકરિયા કાર્નિવલનો લાભ લાખો લોકોએ લીધો છે. કાંકરિયા ખાતે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આયોજનને સફળ બનાવ્યો હતો. ત્યારે 12 જાન્યુઆરી સુદી ફ્લાવર શો ચાલવાનો છે. આ શોની મુલાકાત પણ મોટી સંખ્યામાં લોકો લઈ રહ્યા છે. હજારોની સંખ્યામાં લોકો આવી રહ્યા છે જેને કારણે અટલ બ્રિજ પર પણ માનવ મહેરામણ જોવા મળી રહ્યા છે. 


વડાપ્રધાન મોદીએ લીધી ફ્લાવર શોની નોંધ કર્યું ટ્વિટ

ત્યારે ફ્લાવર શોના ભવ્યતાની નોંધ વડાપ્રધાન મોદીએ લીધી છે. ફ્લાવર શો અંગે ટ્વિટ કરી હતી અને લખ્યું કે અદ્ભૂત લાગે છે. વર્ષોથી અમદાવાદના ફ્લાવર શોએ ફૂલો અને પ્રકૃતિ પ્રત્યે શોખીન એવા ઘણા લોકોને આકર્ષિત કર્યા છે. આ ફ્લાવરમાં શિયાળામાં થતા ફૂલોને પ્રદર્શિત કરવામાં આવ્યા છે. ઉપરાંત અનેક રાજ્યોનાં વિવિધ પુષ્પો પણ જોવા મળે છે. આ વર્ષે આઝાદી કા અમૃત મહોત્સવની થીમ પર ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે.     



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.