અમદાવાદમાં ફલૂ, ઝાડા, ઉલટી અને ડેન્ગ્યૂના કેસ વધ્યા, દર્દીઓથી હોસ્પિટલો ઉભરાઈ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-01 11:28:09

અમદાવાદમાં વરસાદી પાણી ભરાવવાના કારણે તથા સ્વચ્છતાના અભાવે રોગચાળાનો રાફડો ફાટ્યો છે. શહેરમાં સિઝનલ ફલૂ, ઝાડા-ઉલટી અને ડેન્ગ્યૂના દર્દીઓથી હોસ્પિટલો ઉભરાઈ રહી છે. શહેરમાં ત્રણ દર્દીઓના મોત પણ સ્વાઈન ફ્લૂના કારણે થયા છે.તે ઉપરાંત વાઈરલ ફીવર, શરદી અને ખાંસી સહિતના દર્દીઓ સંખ્યામાં પણ નોંધપાત્ર વધ્યા છે.


રોગચાળાનો રાફડો ફાટ્યો


ઓગસ્ટ મહિનામાં સિઝનલ ફલૂના 709, ઝાડા ઉલટીના 816 અને ડેન્ગ્યૂના 221 સાથે કોલેરાના 12 કેસ નોંધાયા છે. શહેરમાં ઓગસ્ટ મહિના અંત સુધીમાં મચ્છરજન્ય મેલેરિયાના 200 કેસ નોંધાયા હતા. જ્યારે ચિકનગુનિયાના 169 કેસ નોંધાયા હતા. શહેરમાં ઓગસ્ટ મહિનામાં ડેન્ગ્યૂ, મેલેરિયા સહિતના રોચચાળાના 67,632 લોહીના સેમ્પલની તપાસ કરવામાં આવી હતી. જ્યારે ડેન્ગ્યૂ માટે 3184 સીરમ સેમ્પલ લેવામાં આવ્યા હતા. પાણીજન્ય રોગના કેસમાં ઝાડા ઉલટીના 816 કેસ નોંધાયા હતા. ઓગસ્ટ મહિનામાં કમળાના 192, ટાઈફોઈડના 349 કેસ નોંધાયા હતા. 



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .