અમદાવાદમાં ફલૂ, ઝાડા, ઉલટી અને ડેન્ગ્યૂના કેસ વધ્યા, દર્દીઓથી હોસ્પિટલો ઉભરાઈ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-01 11:28:09

અમદાવાદમાં વરસાદી પાણી ભરાવવાના કારણે તથા સ્વચ્છતાના અભાવે રોગચાળાનો રાફડો ફાટ્યો છે. શહેરમાં સિઝનલ ફલૂ, ઝાડા-ઉલટી અને ડેન્ગ્યૂના દર્દીઓથી હોસ્પિટલો ઉભરાઈ રહી છે. શહેરમાં ત્રણ દર્દીઓના મોત પણ સ્વાઈન ફ્લૂના કારણે થયા છે.તે ઉપરાંત વાઈરલ ફીવર, શરદી અને ખાંસી સહિતના દર્દીઓ સંખ્યામાં પણ નોંધપાત્ર વધ્યા છે.


રોગચાળાનો રાફડો ફાટ્યો


ઓગસ્ટ મહિનામાં સિઝનલ ફલૂના 709, ઝાડા ઉલટીના 816 અને ડેન્ગ્યૂના 221 સાથે કોલેરાના 12 કેસ નોંધાયા છે. શહેરમાં ઓગસ્ટ મહિના અંત સુધીમાં મચ્છરજન્ય મેલેરિયાના 200 કેસ નોંધાયા હતા. જ્યારે ચિકનગુનિયાના 169 કેસ નોંધાયા હતા. શહેરમાં ઓગસ્ટ મહિનામાં ડેન્ગ્યૂ, મેલેરિયા સહિતના રોચચાળાના 67,632 લોહીના સેમ્પલની તપાસ કરવામાં આવી હતી. જ્યારે ડેન્ગ્યૂ માટે 3184 સીરમ સેમ્પલ લેવામાં આવ્યા હતા. પાણીજન્ય રોગના કેસમાં ઝાડા ઉલટીના 816 કેસ નોંધાયા હતા. ઓગસ્ટ મહિનામાં કમળાના 192, ટાઈફોઈડના 349 કેસ નોંધાયા હતા. 



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .