ગુજરાતના અનેક શહેરોમાં જોવા મળ્યું ધુમ્મસભર્યુ વાતાવરણ, વિઝિબિલિટી ઘટતા વધી વાહનચાલકોની મુશ્કેલી


  • Published By :
  • Published Date : 2023-01-30 10:31:31

ગુજરાતમાં ફરી એક વખત કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. રાજ્યના અનેક શહેરોમાં ઠેરઠેર ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ઠંડી વધવાને કારણે વીઝિબિલીટીમાં ઘટાડો થયો છે. વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે. ધુમ્મસભર્યું વાતાવરણ રહેવાને કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે.  



ધુમ્મસભર્યા વાતાવરણને કારણે વધી વાહનચાલકોની મુશ્કેલી 

છેલ્લા બે દિવસથી રાજ્યમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. અનેક શહેરોમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોની ચિંતા વધી. વાતાવરણ વાદળછાયું અને ધુમ્મસભર્યું થઈ ગયું છે. જેને કારણે વિઝિબ્લીટી એકદમ લો થઈ ગઈ છે. જેને કારણે વાહનચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે અને ધીમી સ્પીડમાં વાહન ચલાવાની ફરજ પડી છે. ધુમ્મસને કારણે રાજ્યમાં કાશ્મીર જેવો માહોલ સર્જાયો છે. તે સિવાય વિવિધ શહેરોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. 


બપોર સુધી રહી શકે છે વાદળછાયું વાતાવરણ  

હવામાન વિભાગની આગાહી પ્રમાણે બપોર સુધી આવું ધુમ્મસભર્યું વાતાવરણ રહેશે. જે બાદ સાઈક્લોનિક સર્ક્યુલેશનની અસર દૂર થતા વાદળો વિખરાઈ જશે. ધુમ્મસને કારણે વિઝિબિલિટી એટલી ઘટી ગઈ હતી કે 50 ફૂટ દૂર પણ જોઈ શકાતું ન હતું. જેને કારણે વાહનોને હેડલાઈટ ચાલુ રાખવાની ફરજ પડી હતી. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.