ગુજરાતના અનેક શહેરોમાં જોવા મળ્યું ધુમ્મસભર્યુ વાતાવરણ, વિઝિબિલિટી ઘટતા વધી વાહનચાલકોની મુશ્કેલી


  • Published By :
  • Published Date : 2023-01-30 10:31:31

ગુજરાતમાં ફરી એક વખત કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. રાજ્યના અનેક શહેરોમાં ઠેરઠેર ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ઠંડી વધવાને કારણે વીઝિબિલીટીમાં ઘટાડો થયો છે. વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે. ધુમ્મસભર્યું વાતાવરણ રહેવાને કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે.  



ધુમ્મસભર્યા વાતાવરણને કારણે વધી વાહનચાલકોની મુશ્કેલી 

છેલ્લા બે દિવસથી રાજ્યમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. અનેક શહેરોમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોની ચિંતા વધી. વાતાવરણ વાદળછાયું અને ધુમ્મસભર્યું થઈ ગયું છે. જેને કારણે વિઝિબ્લીટી એકદમ લો થઈ ગઈ છે. જેને કારણે વાહનચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે અને ધીમી સ્પીડમાં વાહન ચલાવાની ફરજ પડી છે. ધુમ્મસને કારણે રાજ્યમાં કાશ્મીર જેવો માહોલ સર્જાયો છે. તે સિવાય વિવિધ શહેરોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. 


બપોર સુધી રહી શકે છે વાદળછાયું વાતાવરણ  

હવામાન વિભાગની આગાહી પ્રમાણે બપોર સુધી આવું ધુમ્મસભર્યું વાતાવરણ રહેશે. જે બાદ સાઈક્લોનિક સર્ક્યુલેશનની અસર દૂર થતા વાદળો વિખરાઈ જશે. ધુમ્મસને કારણે વિઝિબિલિટી એટલી ઘટી ગઈ હતી કે 50 ફૂટ દૂર પણ જોઈ શકાતું ન હતું. જેને કારણે વાહનોને હેડલાઈટ ચાલુ રાખવાની ફરજ પડી હતી. 



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.