ગુજરાતના અનેક શહેરોમાં જોવા મળ્યું ધુમ્મસભર્યુ વાતાવરણ, વિઝિબિલિટી ઘટતા વધી વાહનચાલકોની મુશ્કેલી


  • Published By :
  • Published Date : 2023-01-30 10:31:31

ગુજરાતમાં ફરી એક વખત કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. રાજ્યના અનેક શહેરોમાં ઠેરઠેર ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ઠંડી વધવાને કારણે વીઝિબિલીટીમાં ઘટાડો થયો છે. વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે. ધુમ્મસભર્યું વાતાવરણ રહેવાને કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે.  



ધુમ્મસભર્યા વાતાવરણને કારણે વધી વાહનચાલકોની મુશ્કેલી 

છેલ્લા બે દિવસથી રાજ્યમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. અનેક શહેરોમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોની ચિંતા વધી. વાતાવરણ વાદળછાયું અને ધુમ્મસભર્યું થઈ ગયું છે. જેને કારણે વિઝિબ્લીટી એકદમ લો થઈ ગઈ છે. જેને કારણે વાહનચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે અને ધીમી સ્પીડમાં વાહન ચલાવાની ફરજ પડી છે. ધુમ્મસને કારણે રાજ્યમાં કાશ્મીર જેવો માહોલ સર્જાયો છે. તે સિવાય વિવિધ શહેરોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. 


બપોર સુધી રહી શકે છે વાદળછાયું વાતાવરણ  

હવામાન વિભાગની આગાહી પ્રમાણે બપોર સુધી આવું ધુમ્મસભર્યું વાતાવરણ રહેશે. જે બાદ સાઈક્લોનિક સર્ક્યુલેશનની અસર દૂર થતા વાદળો વિખરાઈ જશે. ધુમ્મસને કારણે વિઝિબિલિટી એટલી ઘટી ગઈ હતી કે 50 ફૂટ દૂર પણ જોઈ શકાતું ન હતું. જેને કારણે વાહનોને હેડલાઈટ ચાલુ રાખવાની ફરજ પડી હતી. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.