ઉર્ફી જાવેદની ફરિયાદને પગલે મહિલા આયોગે લખ્યો મુંબઈ પોલીસ કમિશ્નરને પત્ર


  • Published By :
  • Published Date : 2023-01-17 17:15:56

પોતાની અતરંગી ફેશનને લઈ ઉર્ફી જાવેદ હમેંશા ચર્ચામાં રહે છે. પોતાની ફેશનસ્ટાઈલને લઈ સોશિયલ મીડિયા પર તેઓ સુર્ખિયોમાં રહેતી હોય છે. અને ઘણી વખત ટ્રોલ પણ થતી હોય છે. ત્યારે થોડા સમય પહેલા બીજેપી નેતા ચીત્રા વાઘએ ઉર્ફી જાવેદ પર અંગ પ્રદર્શન કરવાને લઈને ફરિયાદ દાખલ કરાવી હતી. આ વાતને લઈને ઉર્ફી જાવેદે બીજેપી નેતા પર પલટવાર કર્યો છે અને ચીત્રા વાઘના વિરોધમાં મહારાષ્ટ્ર મહિલા આયોગમાં ફરિયાદ દાખલ કરાવી છે.


ભાજપના નેતાએ ઉર્ફી જાવેદ વિરૂદ્ધ કરી હતી ફરિયાદ 

ઉર્ફી જાવેદ પોતાની ફેશન સ્ટાઈલને લઈને હંમેશા વિવાદોમાં અથવા તો ચર્ચામાં રહેતા હોય છે. અનેક વખત પોતાના અજીબો-ગરીબ કપડાંને લઈ ટ્રોલ પણ થતી હોય છે. સોશિયલ મીડિયા પર તેઓ હંમેશા ચર્ચામાં રહેતા હોય છે. ત્યારે થોડા દિવસો પહેલા ભારતીય જનતા પાર્ટીના નેતા ચીત્રા વાઘાએ પોલીસ સ્ટેશનમાં ઉર્ફીને લઈને ફરિયાદ કરી હતી. મુંબઈના રસ્તાઓ પર અંગ પ્રદર્શનને લઈને ભાજપના નેતાએ ઉર્ફી જાવેદ સામે ફરીયાદ કરી હતી.     


મહિલા આયોગે લખ્યો મુંબઈ પોલીસ કમિશ્નરને પત્ર

આ મામલાને લઈને ઉર્ફી જાવેદે ભાજપના નેતા પર વળતો આરોપ મુક્યો છે. ઉર્ફીએ ચીત્રા વાઘા પર સામાજીક રીતે મારવાની ધમકી આપી હતી. જે બાદ ઉર્ફીની આ ફરિયાદને લઈ મહારાષ્ટ્ર મહિલા આયોગ એક્શનમાં આવી છે. મહિલા આયોગે મુંબઈ પોલીસ કમિશ્નરને પત્ર લખ્યો છે. ઉર્ફી જાવેદની સુરક્ષાને લઈ પૂરતા બંદોબસ્ત કરવાનું કહેવામાં આવ્યું છે.   




રાજકોટમાં આવેલી આજી નદી પર રિવરફ્રન્ટ બનાવવાનો રસ્તો હવે સાફ થઇ ચુક્યો છે. કેમ કે , જંગલેશ્વર વિસ્તારમાં અંદાજે ૪૦૦ કરોડ રૂપિયાની કિંમતની સરકારી જમીન પર ખડકાયેલા ૧૩૫૮ જેટલા મકાનોને દૂર કરવામાં આવશે. આ માટે ગુજરાતના મહેસુલી પંચ દ્વારા સ્થાનિક દબાણકારોની અપીલને રદ કરતો ચુકાદો આપી દેવામાં આવ્યો છે. આ ચુકાદા પછી , ટૂંક સમયમાં જ જંગલેશ્વરમાં ફરી એકવાર ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

" આજે ઈરાન માટે ખુબ મોટો દિવસ છે કેમ કે , ઈરાન પર ખુબ ઘાતક હુમલો કરવામાં આવ્યો છે. " આ શબ્દો છે , અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ. આ એજ રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ છે કે જેઓ , અમેરિકામાં રાષ્ટ્રપતિપદની ચૂંટણીઓના પ્રચાર દરમ્યાન , અમેરિકાને કોઈ પણ નવા યુદ્ધમાં ના ઝોંકવાની કસમ ખાતા હતા અને આજે તેઓ , તેમના બીજા કાર્યકાળના શરુ થયે માત્ર ૧૩ મહિનાની અંદર , ઈરાન પર ખુબ ભારે બોમ્બમારો કરાવી રહ્યા છે. આવનારા , સમયમાં અમેરિકા જમીની સ્તરે ઈરાન પર આક્રમણ કરી શકે છે. તો બીજી તરફ , કુવૈતથી ખબર આવી છે કે , ઈરાનના હુમલામાં એક ભારતીયએ જીવ ગુમાવ્યો છે. વાત કરીએ , ભારતની તો , પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે જે ઉર્જા સંકટ ભારત સામે ઉભું થયું છે તેની સામે કેરોસીનના વેચાણને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

ગુજરાતમાં છેલ્લા ૬ મહિનામાં પોલીસ પર હુમલાની ઘટનામાં વધારો થયો છે. ઓક્ટોબર ૨૦૨૫માં બોટાદના હડદડ ગામે થયેલી હિંસા અને ત્યારબાદ અંબાજીના પાડલીયા ગામે ડિસેમ્બર ૨૦૨૫માં પોલીસ સાથે ઘર્ષણની ઘટના સામે આવી હતી. આ ઉપરાંત થોડાક સમય અગાઉ , પાટણના ઝીલીયા ગામે , અસામાજિક તત્વો દ્વારા પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો. હવે , અમદાવાદના નળ સરોવર ખાતે પણ પોલીસ પર હુમલાની ઘટના સામે આવી છે. જેમાં બે પોલીસકર્મી ઘાયલ થયા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.

રાજકોટ રેન્જ IG તરીકે નિર્લિપ્ત રાયની નિમણુંક થતા અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. કેમ કે , હવે નિર્લિપ્ત રાય દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે , આગામી સમયમાં ૧ લી અને ૨જી એપ્રિલે એક લોકસંપર્ક સભા યોજાશે જેમાં તેઓ પોતે વ્યાજખોરોના ત્રાસથી પીડિતોની રજુઆત સાંભળશે. આ ઉપરાંત , જામનગરમાં રેન્જ IG નિર્લિપ્ત રાયની મુલાકાતના બે જ કલાકની અંદર ૭૨ જેટલા ગેરકાયદેસર બાંધકામો તંત્ર દ્વારા ધ્વસ્ત કરી નાખવામાં આવ્યા છે.