ઉર્ફી જાવેદની ફરિયાદને પગલે મહિલા આયોગે લખ્યો મુંબઈ પોલીસ કમિશ્નરને પત્ર


  • Published By :
  • Published Date : 2023-01-17 17:15:56

પોતાની અતરંગી ફેશનને લઈ ઉર્ફી જાવેદ હમેંશા ચર્ચામાં રહે છે. પોતાની ફેશનસ્ટાઈલને લઈ સોશિયલ મીડિયા પર તેઓ સુર્ખિયોમાં રહેતી હોય છે. અને ઘણી વખત ટ્રોલ પણ થતી હોય છે. ત્યારે થોડા સમય પહેલા બીજેપી નેતા ચીત્રા વાઘએ ઉર્ફી જાવેદ પર અંગ પ્રદર્શન કરવાને લઈને ફરિયાદ દાખલ કરાવી હતી. આ વાતને લઈને ઉર્ફી જાવેદે બીજેપી નેતા પર પલટવાર કર્યો છે અને ચીત્રા વાઘના વિરોધમાં મહારાષ્ટ્ર મહિલા આયોગમાં ફરિયાદ દાખલ કરાવી છે.


ભાજપના નેતાએ ઉર્ફી જાવેદ વિરૂદ્ધ કરી હતી ફરિયાદ 

ઉર્ફી જાવેદ પોતાની ફેશન સ્ટાઈલને લઈને હંમેશા વિવાદોમાં અથવા તો ચર્ચામાં રહેતા હોય છે. અનેક વખત પોતાના અજીબો-ગરીબ કપડાંને લઈ ટ્રોલ પણ થતી હોય છે. સોશિયલ મીડિયા પર તેઓ હંમેશા ચર્ચામાં રહેતા હોય છે. ત્યારે થોડા દિવસો પહેલા ભારતીય જનતા પાર્ટીના નેતા ચીત્રા વાઘાએ પોલીસ સ્ટેશનમાં ઉર્ફીને લઈને ફરિયાદ કરી હતી. મુંબઈના રસ્તાઓ પર અંગ પ્રદર્શનને લઈને ભાજપના નેતાએ ઉર્ફી જાવેદ સામે ફરીયાદ કરી હતી.     


મહિલા આયોગે લખ્યો મુંબઈ પોલીસ કમિશ્નરને પત્ર

આ મામલાને લઈને ઉર્ફી જાવેદે ભાજપના નેતા પર વળતો આરોપ મુક્યો છે. ઉર્ફીએ ચીત્રા વાઘા પર સામાજીક રીતે મારવાની ધમકી આપી હતી. જે બાદ ઉર્ફીની આ ફરિયાદને લઈ મહારાષ્ટ્ર મહિલા આયોગ એક્શનમાં આવી છે. મહિલા આયોગે મુંબઈ પોલીસ કમિશ્નરને પત્ર લખ્યો છે. ઉર્ફી જાવેદની સુરક્ષાને લઈ પૂરતા બંદોબસ્ત કરવાનું કહેવામાં આવ્યું છે.   




ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી