ઉર્ફી જાવેદની ફરિયાદને પગલે મહિલા આયોગે લખ્યો મુંબઈ પોલીસ કમિશ્નરને પત્ર


  • Published By :
  • Published Date : 2023-01-17 17:15:56

પોતાની અતરંગી ફેશનને લઈ ઉર્ફી જાવેદ હમેંશા ચર્ચામાં રહે છે. પોતાની ફેશનસ્ટાઈલને લઈ સોશિયલ મીડિયા પર તેઓ સુર્ખિયોમાં રહેતી હોય છે. અને ઘણી વખત ટ્રોલ પણ થતી હોય છે. ત્યારે થોડા સમય પહેલા બીજેપી નેતા ચીત્રા વાઘએ ઉર્ફી જાવેદ પર અંગ પ્રદર્શન કરવાને લઈને ફરિયાદ દાખલ કરાવી હતી. આ વાતને લઈને ઉર્ફી જાવેદે બીજેપી નેતા પર પલટવાર કર્યો છે અને ચીત્રા વાઘના વિરોધમાં મહારાષ્ટ્ર મહિલા આયોગમાં ફરિયાદ દાખલ કરાવી છે.


ભાજપના નેતાએ ઉર્ફી જાવેદ વિરૂદ્ધ કરી હતી ફરિયાદ 

ઉર્ફી જાવેદ પોતાની ફેશન સ્ટાઈલને લઈને હંમેશા વિવાદોમાં અથવા તો ચર્ચામાં રહેતા હોય છે. અનેક વખત પોતાના અજીબો-ગરીબ કપડાંને લઈ ટ્રોલ પણ થતી હોય છે. સોશિયલ મીડિયા પર તેઓ હંમેશા ચર્ચામાં રહેતા હોય છે. ત્યારે થોડા દિવસો પહેલા ભારતીય જનતા પાર્ટીના નેતા ચીત્રા વાઘાએ પોલીસ સ્ટેશનમાં ઉર્ફીને લઈને ફરિયાદ કરી હતી. મુંબઈના રસ્તાઓ પર અંગ પ્રદર્શનને લઈને ભાજપના નેતાએ ઉર્ફી જાવેદ સામે ફરીયાદ કરી હતી.     


મહિલા આયોગે લખ્યો મુંબઈ પોલીસ કમિશ્નરને પત્ર

આ મામલાને લઈને ઉર્ફી જાવેદે ભાજપના નેતા પર વળતો આરોપ મુક્યો છે. ઉર્ફીએ ચીત્રા વાઘા પર સામાજીક રીતે મારવાની ધમકી આપી હતી. જે બાદ ઉર્ફીની આ ફરિયાદને લઈ મહારાષ્ટ્ર મહિલા આયોગ એક્શનમાં આવી છે. મહિલા આયોગે મુંબઈ પોલીસ કમિશ્નરને પત્ર લખ્યો છે. ઉર્ફી જાવેદની સુરક્ષાને લઈ પૂરતા બંદોબસ્ત કરવાનું કહેવામાં આવ્યું છે.   




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.