નવરાત્રિના પેહલા ચાર દિવસ ‘બ્રહ્માસ્ત્ર’ની ટિકિટ 100 રૂપીયામાં દેખવા મળશે !!!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-25 18:50:18

રણબીર કપૂર તથા અલિયા ભટ્ટની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ 9 સપ્ટેમ્બરે રીલીઝ થઈ હતી. આ ફિલ્મ લોકોને ઘણી ગમી છે. હાલમાં ફિલ્મ ડિરેક્ટર અયાન મુખર્જીએ સોશિયલ મીડિયામાં જાહેર કર્યું કે નવરાત્રીના પ્રથમ ચાર દિવસ ફિલ્મની ટિકિટ 100 રૂપિયામાં મળશે.

 

નેશનલ સિનેમા ડેનો ફાયદો મળ્યો

ઉલ્લેખનીય છે કે 23 સપ્ટેમ્બરના રોજ નેશનલ સિનેમા ડેના સેલિબ્રેશન હેઠળ 75 રૂપિયામાં ટિકિટ વેચવામાં આવી હતી. આનો ફાયદો 'બ્રહ્મસ્ત્ર'ને થયો હતો. આથી 26 સપ્ટેમ્બરથી 29 સપ્ટેમ્બર સુધી 'બ્રહ્માસ્ત્ર'ની ટિકિટ 100 રૂપિયા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. થિયેટરમાં 75 રૂપિયામાં ટિકિટ વેચાતી હોવા થી એકજ દિવસમાં 'બ્રહ્માસ્ત્ર'ની 15 લાખ ટિકિટ વેચાઈ હતી. ત્રીજા શુક્રવારે ફિલ્મની કમાણીમાં 240%નો વધારો થયો છે.



જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.