નવરાત્રિના પેહલા ચાર દિવસ ‘બ્રહ્માસ્ત્ર’ની ટિકિટ 100 રૂપીયામાં દેખવા મળશે !!!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-25 18:50:18

રણબીર કપૂર તથા અલિયા ભટ્ટની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ 9 સપ્ટેમ્બરે રીલીઝ થઈ હતી. આ ફિલ્મ લોકોને ઘણી ગમી છે. હાલમાં ફિલ્મ ડિરેક્ટર અયાન મુખર્જીએ સોશિયલ મીડિયામાં જાહેર કર્યું કે નવરાત્રીના પ્રથમ ચાર દિવસ ફિલ્મની ટિકિટ 100 રૂપિયામાં મળશે.

 

નેશનલ સિનેમા ડેનો ફાયદો મળ્યો

ઉલ્લેખનીય છે કે 23 સપ્ટેમ્બરના રોજ નેશનલ સિનેમા ડેના સેલિબ્રેશન હેઠળ 75 રૂપિયામાં ટિકિટ વેચવામાં આવી હતી. આનો ફાયદો 'બ્રહ્મસ્ત્ર'ને થયો હતો. આથી 26 સપ્ટેમ્બરથી 29 સપ્ટેમ્બર સુધી 'બ્રહ્માસ્ત્ર'ની ટિકિટ 100 રૂપિયા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. થિયેટરમાં 75 રૂપિયામાં ટિકિટ વેચાતી હોવા થી એકજ દિવસમાં 'બ્રહ્માસ્ત્ર'ની 15 લાખ ટિકિટ વેચાઈ હતી. ત્રીજા શુક્રવારે ફિલ્મની કમાણીમાં 240%નો વધારો થયો છે.



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી