નાગાલેન્ડમાં પ્રથમ વખત થઈ મહિલા ઉમેદવારની જીત, ચાર મહિલા ઉમેદવાર ઉતરી હતી ચૂંટણી મેદાનમાં


  • Published By :
  • Published Date : 2023-03-02 16:51:45

ઉત્તર ભારતના ત્રણ રાજ્યો માટે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. ત્રિપુરામાં મતદાન 16 ફેબ્રુઆરીના રોજ યોજાયું હતું જ્યારે નાગાલેન્ડ અને મેઘાલયમાં મતદાન 27 ફેબ્રુઆરીના રોજ હાથ ધરાયું હતું. નાગાલેન્ડના પરિણામમાં આ વખતે ઈતિહાસ રચાયો છે. આ રાજ્યમાં પહેલીવાર કોઈ મહિલા ઉમેદવાર વિધાનસભા ચૂંટણી જીતી છે. દીમાપુર તૃતીય વિધાનસભાથી હેકાની જખાલૂએ જીત નોંધાવી છે. હેકાની એનડીપીપીના ઉમેદવાર તરીકે ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા. 


184 ઉમેદવારોમાં માત્ર ચાર મહિલા ઉમેદવારો હતા   

નાગાલેન્ડ રાજ્યની સ્થાપના 1963માં થઈ. 60 વર્ષના સમયગાળામાં 14મી વખત ચૂંટણી યોજાઈ હતી. મહત્વની વાત એ છે કે આજ સુધી કોઈ મહિલા ઉમેદવાર નથી જીતી. પરંતુ આ વખતે આ પરંપરા તૂટી છે. નાગાલેન્ડમાં મહિલા મતદારોની સંખ્યા પુરૂષ મતદારો જેટલી જ છે. પરંતુ મહિલાઓને રાજનીતિમાં રસ ન હોય તેવું લાગી રહ્યું છે. 


કોણ હતીએ ચાર મહિલા ઉમેદવાર?

દીમાપુર તૃતીય વિધાનસભા બેઠક પરથી મહિલા ઉમેદવારે હેકાની જાખાલૂએ પોતાની જીત નોંધાવી છે. લોક જનશક્તિ પાર્ટીના ઉમેદવારને 1536 વોટથી માત આપી છે. 60 બેઠકની વિધાનસભા બેઠકો માટે 184 ઉમેદવારો મેદાનમાં હતા જેમાંથી માત્ર ચાર મહિલા ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતરી હતી. જો ચાર મહિલા ઉમેદવારની વાત કરીએ તો હેકાની જાખાલૂ છે જે એનડીપીપીની ઉમેદવાર છે,. બીજી ઉમેદવાર સાલહુટુઆનો ક્રૂસ છે, એ પણ એનડીપીપીની ઉમેદવાર છે. કાહુલી સેમા ભાજપના ઉમેદવાર છે જ્યારે રોજી થોમસન કોંગ્રેસના ઉમેદવાર છે.           




રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.