નાગાલેન્ડમાં પ્રથમ વખત થઈ મહિલા ઉમેદવારની જીત, ચાર મહિલા ઉમેદવાર ઉતરી હતી ચૂંટણી મેદાનમાં


  • Published By :
  • Published Date : 2023-03-02 16:51:45

ઉત્તર ભારતના ત્રણ રાજ્યો માટે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. ત્રિપુરામાં મતદાન 16 ફેબ્રુઆરીના રોજ યોજાયું હતું જ્યારે નાગાલેન્ડ અને મેઘાલયમાં મતદાન 27 ફેબ્રુઆરીના રોજ હાથ ધરાયું હતું. નાગાલેન્ડના પરિણામમાં આ વખતે ઈતિહાસ રચાયો છે. આ રાજ્યમાં પહેલીવાર કોઈ મહિલા ઉમેદવાર વિધાનસભા ચૂંટણી જીતી છે. દીમાપુર તૃતીય વિધાનસભાથી હેકાની જખાલૂએ જીત નોંધાવી છે. હેકાની એનડીપીપીના ઉમેદવાર તરીકે ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા. 


184 ઉમેદવારોમાં માત્ર ચાર મહિલા ઉમેદવારો હતા   

નાગાલેન્ડ રાજ્યની સ્થાપના 1963માં થઈ. 60 વર્ષના સમયગાળામાં 14મી વખત ચૂંટણી યોજાઈ હતી. મહત્વની વાત એ છે કે આજ સુધી કોઈ મહિલા ઉમેદવાર નથી જીતી. પરંતુ આ વખતે આ પરંપરા તૂટી છે. નાગાલેન્ડમાં મહિલા મતદારોની સંખ્યા પુરૂષ મતદારો જેટલી જ છે. પરંતુ મહિલાઓને રાજનીતિમાં રસ ન હોય તેવું લાગી રહ્યું છે. 


કોણ હતીએ ચાર મહિલા ઉમેદવાર?

દીમાપુર તૃતીય વિધાનસભા બેઠક પરથી મહિલા ઉમેદવારે હેકાની જાખાલૂએ પોતાની જીત નોંધાવી છે. લોક જનશક્તિ પાર્ટીના ઉમેદવારને 1536 વોટથી માત આપી છે. 60 બેઠકની વિધાનસભા બેઠકો માટે 184 ઉમેદવારો મેદાનમાં હતા જેમાંથી માત્ર ચાર મહિલા ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતરી હતી. જો ચાર મહિલા ઉમેદવારની વાત કરીએ તો હેકાની જાખાલૂ છે જે એનડીપીપીની ઉમેદવાર છે,. બીજી ઉમેદવાર સાલહુટુઆનો ક્રૂસ છે, એ પણ એનડીપીપીની ઉમેદવાર છે. કાહુલી સેમા ભાજપના ઉમેદવાર છે જ્યારે રોજી થોમસન કોંગ્રેસના ઉમેદવાર છે.           




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.