નાગાલેન્ડમાં પ્રથમ વખત થઈ મહિલા ઉમેદવારની જીત, ચાર મહિલા ઉમેદવાર ઉતરી હતી ચૂંટણી મેદાનમાં


  • Published By :
  • Published Date : 2023-03-02 16:51:45

ઉત્તર ભારતના ત્રણ રાજ્યો માટે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. ત્રિપુરામાં મતદાન 16 ફેબ્રુઆરીના રોજ યોજાયું હતું જ્યારે નાગાલેન્ડ અને મેઘાલયમાં મતદાન 27 ફેબ્રુઆરીના રોજ હાથ ધરાયું હતું. નાગાલેન્ડના પરિણામમાં આ વખતે ઈતિહાસ રચાયો છે. આ રાજ્યમાં પહેલીવાર કોઈ મહિલા ઉમેદવાર વિધાનસભા ચૂંટણી જીતી છે. દીમાપુર તૃતીય વિધાનસભાથી હેકાની જખાલૂએ જીત નોંધાવી છે. હેકાની એનડીપીપીના ઉમેદવાર તરીકે ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા. 


184 ઉમેદવારોમાં માત્ર ચાર મહિલા ઉમેદવારો હતા   

નાગાલેન્ડ રાજ્યની સ્થાપના 1963માં થઈ. 60 વર્ષના સમયગાળામાં 14મી વખત ચૂંટણી યોજાઈ હતી. મહત્વની વાત એ છે કે આજ સુધી કોઈ મહિલા ઉમેદવાર નથી જીતી. પરંતુ આ વખતે આ પરંપરા તૂટી છે. નાગાલેન્ડમાં મહિલા મતદારોની સંખ્યા પુરૂષ મતદારો જેટલી જ છે. પરંતુ મહિલાઓને રાજનીતિમાં રસ ન હોય તેવું લાગી રહ્યું છે. 


કોણ હતીએ ચાર મહિલા ઉમેદવાર?

દીમાપુર તૃતીય વિધાનસભા બેઠક પરથી મહિલા ઉમેદવારે હેકાની જાખાલૂએ પોતાની જીત નોંધાવી છે. લોક જનશક્તિ પાર્ટીના ઉમેદવારને 1536 વોટથી માત આપી છે. 60 બેઠકની વિધાનસભા બેઠકો માટે 184 ઉમેદવારો મેદાનમાં હતા જેમાંથી માત્ર ચાર મહિલા ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતરી હતી. જો ચાર મહિલા ઉમેદવારની વાત કરીએ તો હેકાની જાખાલૂ છે જે એનડીપીપીની ઉમેદવાર છે,. બીજી ઉમેદવાર સાલહુટુઆનો ક્રૂસ છે, એ પણ એનડીપીપીની ઉમેદવાર છે. કાહુલી સેમા ભાજપના ઉમેદવાર છે જ્યારે રોજી થોમસન કોંગ્રેસના ઉમેદવાર છે.           




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.