નાગાલેન્ડમાં પ્રથમ વખત થઈ મહિલા ઉમેદવારની જીત, ચાર મહિલા ઉમેદવાર ઉતરી હતી ચૂંટણી મેદાનમાં


  • Published By :
  • Published Date : 2023-03-02 16:51:45

ઉત્તર ભારતના ત્રણ રાજ્યો માટે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. ત્રિપુરામાં મતદાન 16 ફેબ્રુઆરીના રોજ યોજાયું હતું જ્યારે નાગાલેન્ડ અને મેઘાલયમાં મતદાન 27 ફેબ્રુઆરીના રોજ હાથ ધરાયું હતું. નાગાલેન્ડના પરિણામમાં આ વખતે ઈતિહાસ રચાયો છે. આ રાજ્યમાં પહેલીવાર કોઈ મહિલા ઉમેદવાર વિધાનસભા ચૂંટણી જીતી છે. દીમાપુર તૃતીય વિધાનસભાથી હેકાની જખાલૂએ જીત નોંધાવી છે. હેકાની એનડીપીપીના ઉમેદવાર તરીકે ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા. 


184 ઉમેદવારોમાં માત્ર ચાર મહિલા ઉમેદવારો હતા   

નાગાલેન્ડ રાજ્યની સ્થાપના 1963માં થઈ. 60 વર્ષના સમયગાળામાં 14મી વખત ચૂંટણી યોજાઈ હતી. મહત્વની વાત એ છે કે આજ સુધી કોઈ મહિલા ઉમેદવાર નથી જીતી. પરંતુ આ વખતે આ પરંપરા તૂટી છે. નાગાલેન્ડમાં મહિલા મતદારોની સંખ્યા પુરૂષ મતદારો જેટલી જ છે. પરંતુ મહિલાઓને રાજનીતિમાં રસ ન હોય તેવું લાગી રહ્યું છે. 


કોણ હતીએ ચાર મહિલા ઉમેદવાર?

દીમાપુર તૃતીય વિધાનસભા બેઠક પરથી મહિલા ઉમેદવારે હેકાની જાખાલૂએ પોતાની જીત નોંધાવી છે. લોક જનશક્તિ પાર્ટીના ઉમેદવારને 1536 વોટથી માત આપી છે. 60 બેઠકની વિધાનસભા બેઠકો માટે 184 ઉમેદવારો મેદાનમાં હતા જેમાંથી માત્ર ચાર મહિલા ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતરી હતી. જો ચાર મહિલા ઉમેદવારની વાત કરીએ તો હેકાની જાખાલૂ છે જે એનડીપીપીની ઉમેદવાર છે,. બીજી ઉમેદવાર સાલહુટુઆનો ક્રૂસ છે, એ પણ એનડીપીપીની ઉમેદવાર છે. કાહુલી સેમા ભાજપના ઉમેદવાર છે જ્યારે રોજી થોમસન કોંગ્રેસના ઉમેદવાર છે.           




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.