ગુજરાત વિધાનસભામાં પ્રથમ વખત કરાઈ રંગોત્સવની ઉજવણી, લોકનૃત્યની જોવા મળી ઝાંંખી


  • Published By :
  • Published Date : 2023-03-07 13:52:34

ગુજરાત વિધાનસભાના ઈતિહાસમાં પ્રથમ વખત વિધાનસભામાં ધૂળેટીનું આયોજન કરવામાં આવ્યું છે. ધારાસભ્યો હોળીના રંગે રંગાયા છે. વિધાનસભા પરિસરમાં લોકનૃત્યની ઝાંખી જોવા મળી હતી. વિધાનસભા સત્ર પહેલા ધારાસભ્યોએ ધૂળેટી પર્વની ઉજવણી કરી હતી. હોળીની ઉજવણીમાં વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી, જીતુ વાઘાણી, કેતન ઈનામદાર, હાર્દિક પટેલ સહિત અનેક ધારાસભ્યોએ ભાગ લીધો હતો.

  

હર્ષ સંઘવીએ ધામધૂમથી કરી ધૂળેટીની ઉજવણી           

વિધાનસભામાં ધૂળેટીની ઉજવણી કરવા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. 100 કિલો જેટલો કેસુડો મંગાવવામાં આવ્યો હતો. વિધાનસભા અધ્યક્ષની પરવાનગી બાદ ધૂળેટીની ઉજવણી કરવામાં આવી હતી. ધૂળેટી પર્વની ઉજવણીમાં હર્ષ સંઘવીનો અલગ અંદાજ જોવા મળ્યો હતો. ખભે ચઢી પિચકારી મારી રહ્યા હતા. તે ઉપરાંત જીતુ વાઘાણી લાઠી નૃત્ય કરી રહેલા કલાકારો સાથે નૃત્ય કરતા દેખાયા.    


હાર્દિક પટેલે કોંગ્રેસને લઈ આપ્યું નિવેદન 

ધૂળેટીની ઉજવણી દરમિયાન ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલે નિવેદન આપ્યું જેમાં તેમણે કહ્યું કે કોંગ્રેસે આ રંગોત્સવમાં ભાગ ન લઈને હોળી સંસ્કૃતિનો વિરોધ કર્યો છે. કેસુડાનો રંગ કેસરિયો હોવાથી કોંગ્રેસે ધૂળેટીની ઉજવણીમાં ભાગ નથી લીધો.   




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.