ગુજરાત વિધાનસભામાં પ્રથમ વખત કરાઈ રંગોત્સવની ઉજવણી, લોકનૃત્યની જોવા મળી ઝાંંખી


  • Published By :
  • Published Date : 2023-03-07 13:52:34

ગુજરાત વિધાનસભાના ઈતિહાસમાં પ્રથમ વખત વિધાનસભામાં ધૂળેટીનું આયોજન કરવામાં આવ્યું છે. ધારાસભ્યો હોળીના રંગે રંગાયા છે. વિધાનસભા પરિસરમાં લોકનૃત્યની ઝાંખી જોવા મળી હતી. વિધાનસભા સત્ર પહેલા ધારાસભ્યોએ ધૂળેટી પર્વની ઉજવણી કરી હતી. હોળીની ઉજવણીમાં વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી, જીતુ વાઘાણી, કેતન ઈનામદાર, હાર્દિક પટેલ સહિત અનેક ધારાસભ્યોએ ભાગ લીધો હતો.

  

હર્ષ સંઘવીએ ધામધૂમથી કરી ધૂળેટીની ઉજવણી           

વિધાનસભામાં ધૂળેટીની ઉજવણી કરવા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. 100 કિલો જેટલો કેસુડો મંગાવવામાં આવ્યો હતો. વિધાનસભા અધ્યક્ષની પરવાનગી બાદ ધૂળેટીની ઉજવણી કરવામાં આવી હતી. ધૂળેટી પર્વની ઉજવણીમાં હર્ષ સંઘવીનો અલગ અંદાજ જોવા મળ્યો હતો. ખભે ચઢી પિચકારી મારી રહ્યા હતા. તે ઉપરાંત જીતુ વાઘાણી લાઠી નૃત્ય કરી રહેલા કલાકારો સાથે નૃત્ય કરતા દેખાયા.    


હાર્દિક પટેલે કોંગ્રેસને લઈ આપ્યું નિવેદન 

ધૂળેટીની ઉજવણી દરમિયાન ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલે નિવેદન આપ્યું જેમાં તેમણે કહ્યું કે કોંગ્રેસે આ રંગોત્સવમાં ભાગ ન લઈને હોળી સંસ્કૃતિનો વિરોધ કર્યો છે. કેસુડાનો રંગ કેસરિયો હોવાથી કોંગ્રેસે ધૂળેટીની ઉજવણીમાં ભાગ નથી લીધો.   




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.