ગુજરાત વિધાનસભામાં પ્રથમ વખત કરાઈ રંગોત્સવની ઉજવણી, લોકનૃત્યની જોવા મળી ઝાંંખી


  • Published By :
  • Published Date : 2023-03-07 13:52:34

ગુજરાત વિધાનસભાના ઈતિહાસમાં પ્રથમ વખત વિધાનસભામાં ધૂળેટીનું આયોજન કરવામાં આવ્યું છે. ધારાસભ્યો હોળીના રંગે રંગાયા છે. વિધાનસભા પરિસરમાં લોકનૃત્યની ઝાંખી જોવા મળી હતી. વિધાનસભા સત્ર પહેલા ધારાસભ્યોએ ધૂળેટી પર્વની ઉજવણી કરી હતી. હોળીની ઉજવણીમાં વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી, જીતુ વાઘાણી, કેતન ઈનામદાર, હાર્દિક પટેલ સહિત અનેક ધારાસભ્યોએ ભાગ લીધો હતો.

  

હર્ષ સંઘવીએ ધામધૂમથી કરી ધૂળેટીની ઉજવણી           

વિધાનસભામાં ધૂળેટીની ઉજવણી કરવા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. 100 કિલો જેટલો કેસુડો મંગાવવામાં આવ્યો હતો. વિધાનસભા અધ્યક્ષની પરવાનગી બાદ ધૂળેટીની ઉજવણી કરવામાં આવી હતી. ધૂળેટી પર્વની ઉજવણીમાં હર્ષ સંઘવીનો અલગ અંદાજ જોવા મળ્યો હતો. ખભે ચઢી પિચકારી મારી રહ્યા હતા. તે ઉપરાંત જીતુ વાઘાણી લાઠી નૃત્ય કરી રહેલા કલાકારો સાથે નૃત્ય કરતા દેખાયા.    


હાર્દિક પટેલે કોંગ્રેસને લઈ આપ્યું નિવેદન 

ધૂળેટીની ઉજવણી દરમિયાન ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલે નિવેદન આપ્યું જેમાં તેમણે કહ્યું કે કોંગ્રેસે આ રંગોત્સવમાં ભાગ ન લઈને હોળી સંસ્કૃતિનો વિરોધ કર્યો છે. કેસુડાનો રંગ કેસરિયો હોવાથી કોંગ્રેસે ધૂળેટીની ઉજવણીમાં ભાગ નથી લીધો.   




પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.