સતત બીજા દિવસે કોરોના સંક્રમિતોનો આંકડો પહોંચ્યો 6 હજારને પાર, જાણો છેલ્લા 24 કલાકમાં કેટલા લોકો થયા સંક્રમિત


  • Published By :
  • Published Date : 2023-04-08 12:18:19

દેશમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે, કેસના આંકડાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ગઈકાલે પણ 6 હજારથી વધુ કોરોના કેસ નોંધાયા હતા ત્યારે આજે પણ કોરોના સંક્રમિતોનો આંકડો 6 હજારને પાર નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 6155 કેસ સામે આવ્યા છે. જ્યારે કોરોનાને કારણે 11 જેટલા લોકોના મોત થઈ ગયા છે. એક્ટિવ કેસની સંખ્યા 31 હજારને પાર પહોંચી ગઈ છે.

 


6 હજારથી વધુ નોંધાયા કોરોના કેસ  

કોરોના સંક્રમિતોનો આંકડો પ્રતિદિન વધી રહ્યો છે. છેલ્લા બે દિવસથી આંકડો 6 હજારને પાર નોંધાઈ રહ્યો છે. ગુરૂવારે કોરોના સંક્રમિતોનો આંકડો 6050 નોંધાયો હતો જ્યારે શુક્રવારે કોરોનાનો આંકડો 6155 નોંધાયો છે. કોરોનાને કારણે મોત થતાં હોવાનો આંકડો પણ ડરાવનારો છે. 11 જેટલા લોકોના મોત કોરોના સંક્રમિત હોવાને કારણે થયા છે. છેલ્લા 24 કલાકમાં 3253 લોકોએ કોરોનાને માત આપી છે. 

   

મનસુખ માંડવિયાએ કરી હતી બેઠક

ઓમિક્રોનને કારણે કોરોના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. આ વેરિયન્ટને કારણે વધારે લોકો કોરોનાથી સંક્રમિત થઈ રહ્યા છે. આ વેરિયન્ટને કારણે કોરોના બહુ ઝડપથી પ્રસરી રહ્યો છે.વધતા કોરોના સંક્રમણને જોતા કેન્દ્ર સરકાર પણ એક્શન મોડમાં આવી ગઈ છે. ગઈકાલે મનસુખ માંડિવાયાએ આરોગ્ય મંત્રીઓ સાથે બેઠક કરી હતી. મહત્વનું છે સમગ્ર દેશમાં કોરોનાને લઈ હોસ્પિટલોમાં મોકડ્રીલનું આયોજન કરવામાં આવવાનું છે. આરોગ્ય મંત્રીએ બધાને સતર્ક રહેવા અપીલ કરી છે. ઉપરાંત ટેસ્ટિંગ વધારવાની માગ કરી છે.      



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.