સતત બીજા દિવસે કોરોના સંક્રમિતોનો આંકડો પહોંચ્યો 6 હજારને પાર, જાણો છેલ્લા 24 કલાકમાં કેટલા લોકો થયા સંક્રમિત


  • Published By :
  • Published Date : 2023-04-08 12:18:19

દેશમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે, કેસના આંકડાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ગઈકાલે પણ 6 હજારથી વધુ કોરોના કેસ નોંધાયા હતા ત્યારે આજે પણ કોરોના સંક્રમિતોનો આંકડો 6 હજારને પાર નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 6155 કેસ સામે આવ્યા છે. જ્યારે કોરોનાને કારણે 11 જેટલા લોકોના મોત થઈ ગયા છે. એક્ટિવ કેસની સંખ્યા 31 હજારને પાર પહોંચી ગઈ છે.

 


6 હજારથી વધુ નોંધાયા કોરોના કેસ  

કોરોના સંક્રમિતોનો આંકડો પ્રતિદિન વધી રહ્યો છે. છેલ્લા બે દિવસથી આંકડો 6 હજારને પાર નોંધાઈ રહ્યો છે. ગુરૂવારે કોરોના સંક્રમિતોનો આંકડો 6050 નોંધાયો હતો જ્યારે શુક્રવારે કોરોનાનો આંકડો 6155 નોંધાયો છે. કોરોનાને કારણે મોત થતાં હોવાનો આંકડો પણ ડરાવનારો છે. 11 જેટલા લોકોના મોત કોરોના સંક્રમિત હોવાને કારણે થયા છે. છેલ્લા 24 કલાકમાં 3253 લોકોએ કોરોનાને માત આપી છે. 

   

મનસુખ માંડવિયાએ કરી હતી બેઠક

ઓમિક્રોનને કારણે કોરોના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. આ વેરિયન્ટને કારણે વધારે લોકો કોરોનાથી સંક્રમિત થઈ રહ્યા છે. આ વેરિયન્ટને કારણે કોરોના બહુ ઝડપથી પ્રસરી રહ્યો છે.વધતા કોરોના સંક્રમણને જોતા કેન્દ્ર સરકાર પણ એક્શન મોડમાં આવી ગઈ છે. ગઈકાલે મનસુખ માંડિવાયાએ આરોગ્ય મંત્રીઓ સાથે બેઠક કરી હતી. મહત્વનું છે સમગ્ર દેશમાં કોરોનાને લઈ હોસ્પિટલોમાં મોકડ્રીલનું આયોજન કરવામાં આવવાનું છે. આરોગ્ય મંત્રીએ બધાને સતર્ક રહેવા અપીલ કરી છે. ઉપરાંત ટેસ્ટિંગ વધારવાની માગ કરી છે.      



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.