સતત બીજા દિવસે કોરોના સંક્રમિતોનો આંકડો પહોંચ્યો 6 હજારને પાર, જાણો છેલ્લા 24 કલાકમાં કેટલા લોકો થયા સંક્રમિત


  • Published By :
  • Published Date : 2023-04-08 12:18:19

દેશમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે, કેસના આંકડાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ગઈકાલે પણ 6 હજારથી વધુ કોરોના કેસ નોંધાયા હતા ત્યારે આજે પણ કોરોના સંક્રમિતોનો આંકડો 6 હજારને પાર નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 6155 કેસ સામે આવ્યા છે. જ્યારે કોરોનાને કારણે 11 જેટલા લોકોના મોત થઈ ગયા છે. એક્ટિવ કેસની સંખ્યા 31 હજારને પાર પહોંચી ગઈ છે.

 


6 હજારથી વધુ નોંધાયા કોરોના કેસ  

કોરોના સંક્રમિતોનો આંકડો પ્રતિદિન વધી રહ્યો છે. છેલ્લા બે દિવસથી આંકડો 6 હજારને પાર નોંધાઈ રહ્યો છે. ગુરૂવારે કોરોના સંક્રમિતોનો આંકડો 6050 નોંધાયો હતો જ્યારે શુક્રવારે કોરોનાનો આંકડો 6155 નોંધાયો છે. કોરોનાને કારણે મોત થતાં હોવાનો આંકડો પણ ડરાવનારો છે. 11 જેટલા લોકોના મોત કોરોના સંક્રમિત હોવાને કારણે થયા છે. છેલ્લા 24 કલાકમાં 3253 લોકોએ કોરોનાને માત આપી છે. 

   

મનસુખ માંડવિયાએ કરી હતી બેઠક

ઓમિક્રોનને કારણે કોરોના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. આ વેરિયન્ટને કારણે વધારે લોકો કોરોનાથી સંક્રમિત થઈ રહ્યા છે. આ વેરિયન્ટને કારણે કોરોના બહુ ઝડપથી પ્રસરી રહ્યો છે.વધતા કોરોના સંક્રમણને જોતા કેન્દ્ર સરકાર પણ એક્શન મોડમાં આવી ગઈ છે. ગઈકાલે મનસુખ માંડિવાયાએ આરોગ્ય મંત્રીઓ સાથે બેઠક કરી હતી. મહત્વનું છે સમગ્ર દેશમાં કોરોનાને લઈ હોસ્પિટલોમાં મોકડ્રીલનું આયોજન કરવામાં આવવાનું છે. આરોગ્ય મંત્રીએ બધાને સતર્ક રહેવા અપીલ કરી છે. ઉપરાંત ટેસ્ટિંગ વધારવાની માગ કરી છે.      



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.