આ કારણથી હાર્દિક પટેલની જવાબદારીમાંથી બાદબાકી કરાઈ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-11 16:53:37

ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા ત્રણેય પક્ષો પોતાની રીતે સભાઓ ગુંજવી રહી છે, રેલીઓ કરી રહી છે ત્યારે ભાજપની આવતીકાલે ગૌરવ યાત્રા શરૂ થઈ રહી છે. આ યાત્રા હાલ વિવાદનું કેન્દ્ર બની રહી છે. 


હાર્દિક પટેલનું નામ રાખીને ફરી હટાવી દેવાયું

આવતીકાલે ગુજરાત પ્રદેશ ભાજપની ગૌરવ યાત્રા શરૂ થવા જઈ રહી છે. મહેસાણાના બહુચરા વિસ્તારમાં  ગુજરાત ગૌરવ યાત્રાનું નૈતૃત્વ પહેલા નીતિન પટેલ અને હાર્દિક પટેલને આપવામાં આવ્યું હતું. ત્યાર બાદ નીતિન પટેલનું નામ નૈતૃત્વમાંથી હટાવી લેવામાં આવ્યું હતું. 


આ કારણથી હાર્દિકનું નામ હટાવી લેવાયું

હાર્દિક પટેલ પહેલેથી ઉગ્ર સ્વભાવના અને મન ફાવે તેમ નિવેદન આપતા નેતાઓમાંના એક છે. હાર્દિક પટેલ પર પાટીદાર આંદોલન સમયનો એક કેસ છે. આ કેસમાં તેમને જામીન મળ્યા છે. આ જામીન માટે શરત રાખવામાં આવી હતી કે હાર્દિક પટેલ બહુચરાજી વિસ્તારમાં નહીં આવી શકે. જો હાર્દિક પટેલ આ વિસ્તારની અંદર આવે તો શરત ભંગ થઈ કહેવાય. જો શરત ભંગ થાય તો તેમની સામે પોલીસ કાર્યવાહી પણ કરવામાં આવી શકે છે. આથી હાર્દિક પટેલના નામની બાદબાકી કરવામાં આવી છે.  


હાર્દિકનું નામ હટાવી અલગ નેતાઓને જવાબદારી

બહુચરાજી વિસ્તારની ગુજરાત ગૌરવ યાત્રાની જવાબદારી હાર્દિક પટેલને આપીને હટાવી દેવામાં આવી હતી. ત્યાર બાદ ફરી કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ, રજની પટેલ અને નંદાજી ઠાકોરનું નામ ઉમેરી દેવામાં આવ્યું હતું. કેન્દ્રમાંથી ગુજરાત ગૌરવ યાત્રાનું નૈતૃત્વ પરષોત્તમ રૂપાલા અને દાનવે દાદારાવ કરશે.  


બહુચરાજીથી માતાના મઢ સુધીની ગૌરવ યાત્રા

આવતીકાલથી 20 ઓક્ટોબર એટલે કે કુલ આઠ દિવસ સુધી ભાજપ ગૌરવ યાત્રા કરશે. આવતીકાલે સવારે 9 વાગ્યે ગુજરત ગૌરવ યાત્રાનું દ્વારકા ખાતે પ્રસ્થાન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા કરશે. આ યાત્રામાં મહેસાણા, અરવલ્લી, પાટણ અને બનાસકાંઠા એમ ચાર જિલ્લાઓને આવરી લેવામાં આવશે. 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.