હવામાન વિભાગની આગાહી, આજે પણ નહીં મળે કમોસમી વરસાદથી રાહત, માવઠાને કારણે ખેડૂતોને નુકસાન વેઠવાનો આવ્યો વારો


  • Published By :
  • Published Date : 2023-03-24 09:18:21

ઉનાળા દરમિયાન કમોસમી વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા ઘણા દિવસોથી રાજ્યના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદને કારણે ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે પણ વિવિધ જગ્યાઓ પર વરસાદ વરસી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ ઉત્તર તથા સૌરાષ્ટ્ર ભાગમાં વરસાદ વરસી શકે છે. ઉપરાંત જૂનાગઢ, પોરબંદર, ભાવનગર સહિતના વિસ્તારો માટે માવઠાની આગાહી કરવામાં આવી છે.   

  

અનેક વિસ્તારોમાં આજે પણ ખાબકી શકે છે વરસાદ 

છેલ્લા ઘણા દિવસોથી રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. અનેક જગ્યાઓ પર ગાજવીજ સાથે તો કોઈ જગ્યાઓ પર કરા સાથે વરસાદ વરસી રહ્યો છે. ઉનાળા દરમિયાન થઈ રહેલા વરસાદને કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. ગઈકાલે રાજ્યના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. અમદાવાદના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો હતો. ત્યારે આજે પણ રાજ્યના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 


ગઈ કાલે પણ વરસ્યો હતો ધોધમાર વરસાદ 

સૌરાષ્ટ્ર-કચ્છ, જામનગર, પોરબંદર,જૂનાગઢ, ભાવનગર, અમરેલી, દ્વારતા સહિત બનાસકાંઠા, સાબરકાંઠા સહિતના વિસ્તારોમાં પણ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉપરાંત ગઈકાલે વરસેલા વરસાદે અનેક જગ્યાઓ પર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જી હતી. ગઈકાલે ભાવનગર, જામનગર, અમરેલી, બોટાદ સહિતના વિસ્તારોના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. અનેક જગ્યાઓ પર તો બપોરથી જ વરસાદ વરસી રહ્યો હતો જેને કારણે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થઈ ગયું હતું. 


ખેડૂતોની સ્થિતિ બની રહી છે દયનિય 

માવઠાને કારણે સૌથી વધારે નુકસાન ખેડૂતોને થયું છે. અનેક જગ્યાઓ પર ખેતરમાં પાણી ભરાઈ ગયા હતા જેને કારણે પાકને નુકસાન થયું છે. ઉનાળા દરમિયાન થતા પાકો બગડી ગયા છે જેને કારણે ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે. કુદરતનો માર સહન કરવા ખેડૂતો મજબૂર બન્યા છે. ત્યારે આ કમોસમી વરસાદ બાદ ગરમીનું પ્રમાણ વધી શકે છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.     



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.