હવામાન વિભાગની આગાહી, આજે પણ નહીં મળે કમોસમી વરસાદથી રાહત, માવઠાને કારણે ખેડૂતોને નુકસાન વેઠવાનો આવ્યો વારો


  • Published By :
  • Published Date : 2023-03-24 09:18:21

ઉનાળા દરમિયાન કમોસમી વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા ઘણા દિવસોથી રાજ્યના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદને કારણે ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે પણ વિવિધ જગ્યાઓ પર વરસાદ વરસી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ ઉત્તર તથા સૌરાષ્ટ્ર ભાગમાં વરસાદ વરસી શકે છે. ઉપરાંત જૂનાગઢ, પોરબંદર, ભાવનગર સહિતના વિસ્તારો માટે માવઠાની આગાહી કરવામાં આવી છે.   

  

અનેક વિસ્તારોમાં આજે પણ ખાબકી શકે છે વરસાદ 

છેલ્લા ઘણા દિવસોથી રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. અનેક જગ્યાઓ પર ગાજવીજ સાથે તો કોઈ જગ્યાઓ પર કરા સાથે વરસાદ વરસી રહ્યો છે. ઉનાળા દરમિયાન થઈ રહેલા વરસાદને કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. ગઈકાલે રાજ્યના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. અમદાવાદના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો હતો. ત્યારે આજે પણ રાજ્યના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 


ગઈ કાલે પણ વરસ્યો હતો ધોધમાર વરસાદ 

સૌરાષ્ટ્ર-કચ્છ, જામનગર, પોરબંદર,જૂનાગઢ, ભાવનગર, અમરેલી, દ્વારતા સહિત બનાસકાંઠા, સાબરકાંઠા સહિતના વિસ્તારોમાં પણ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉપરાંત ગઈકાલે વરસેલા વરસાદે અનેક જગ્યાઓ પર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જી હતી. ગઈકાલે ભાવનગર, જામનગર, અમરેલી, બોટાદ સહિતના વિસ્તારોના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. અનેક જગ્યાઓ પર તો બપોરથી જ વરસાદ વરસી રહ્યો હતો જેને કારણે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થઈ ગયું હતું. 


ખેડૂતોની સ્થિતિ બની રહી છે દયનિય 

માવઠાને કારણે સૌથી વધારે નુકસાન ખેડૂતોને થયું છે. અનેક જગ્યાઓ પર ખેતરમાં પાણી ભરાઈ ગયા હતા જેને કારણે પાકને નુકસાન થયું છે. ઉનાળા દરમિયાન થતા પાકો બગડી ગયા છે જેને કારણે ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે. કુદરતનો માર સહન કરવા ખેડૂતો મજબૂર બન્યા છે. ત્યારે આ કમોસમી વરસાદ બાદ ગરમીનું પ્રમાણ વધી શકે છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.     



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.