હવામાન વિભાગની આગાહી, આજે પણ નહીં મળે કમોસમી વરસાદથી રાહત, માવઠાને કારણે ખેડૂતોને નુકસાન વેઠવાનો આવ્યો વારો


  • Published By :
  • Published Date : 2023-03-24 09:18:21

ઉનાળા દરમિયાન કમોસમી વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા ઘણા દિવસોથી રાજ્યના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદને કારણે ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે પણ વિવિધ જગ્યાઓ પર વરસાદ વરસી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ ઉત્તર તથા સૌરાષ્ટ્ર ભાગમાં વરસાદ વરસી શકે છે. ઉપરાંત જૂનાગઢ, પોરબંદર, ભાવનગર સહિતના વિસ્તારો માટે માવઠાની આગાહી કરવામાં આવી છે.   

  

અનેક વિસ્તારોમાં આજે પણ ખાબકી શકે છે વરસાદ 

છેલ્લા ઘણા દિવસોથી રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. અનેક જગ્યાઓ પર ગાજવીજ સાથે તો કોઈ જગ્યાઓ પર કરા સાથે વરસાદ વરસી રહ્યો છે. ઉનાળા દરમિયાન થઈ રહેલા વરસાદને કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. ગઈકાલે રાજ્યના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. અમદાવાદના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો હતો. ત્યારે આજે પણ રાજ્યના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 


ગઈ કાલે પણ વરસ્યો હતો ધોધમાર વરસાદ 

સૌરાષ્ટ્ર-કચ્છ, જામનગર, પોરબંદર,જૂનાગઢ, ભાવનગર, અમરેલી, દ્વારતા સહિત બનાસકાંઠા, સાબરકાંઠા સહિતના વિસ્તારોમાં પણ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉપરાંત ગઈકાલે વરસેલા વરસાદે અનેક જગ્યાઓ પર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જી હતી. ગઈકાલે ભાવનગર, જામનગર, અમરેલી, બોટાદ સહિતના વિસ્તારોના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. અનેક જગ્યાઓ પર તો બપોરથી જ વરસાદ વરસી રહ્યો હતો જેને કારણે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થઈ ગયું હતું. 


ખેડૂતોની સ્થિતિ બની રહી છે દયનિય 

માવઠાને કારણે સૌથી વધારે નુકસાન ખેડૂતોને થયું છે. અનેક જગ્યાઓ પર ખેતરમાં પાણી ભરાઈ ગયા હતા જેને કારણે પાકને નુકસાન થયું છે. ઉનાળા દરમિયાન થતા પાકો બગડી ગયા છે જેને કારણે ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે. કુદરતનો માર સહન કરવા ખેડૂતો મજબૂર બન્યા છે. ત્યારે આ કમોસમી વરસાદ બાદ ગરમીનું પ્રમાણ વધી શકે છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.     



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.