રાજ્યમાં માવઠાને લઈ હવામાન વિભાગની આગાહી, આગામી પાંચ દિવસ આ જગ્યાઓ પર વરસશે કમોસમી વરસાદ!


  • Published By :
  • Published Date : 2023-04-27 17:26:09

હવામાન વિભાગે ફરી એક વખત કમોસમી વરસાદની આગાહી કરી છે. આગામી દિવસોમાં હજી પણ વરસાદી માહોલ યથાવત રહેશે તેવી આગાહી કરી છે. 27 એપ્રિલથી પહેલી મે સુધી રાજ્યના વિવિધ ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ભર ઉનાળે વરસાદી માહોલ જામતા ખેડૂતો ચિંતિત થયા છે. આકાશમાંથી વરસતા છાંટા ધરતીપુત્રને રડાવી રહ્યા છે.


આ જગ્યાઓ પર વરસવાનો છે કમોસમી વરસાદ!

27 એપ્રિલે બનાસકાંઠા, અરવલ્લી,સાબરકાંઠા, તાપી, ડાંગ, સુરત, નવસારી, વલસાડ. રાજકોટ, જૂનાગઢ, અમરેલી, મોરબી તેમજ કચ્છ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. 28 એપ્રિલે વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ,ભાવનગર, મોરબી, બોટાદ સહિત અનેક જગ્યાઓ પર વરસાદ વરસી શકે છે. 30 એપ્રિલે અરવલ્લી. મહિસાગર, રાજકોટ, બોટાદ સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. પહેલી મેના રોજ સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગર માટે કમોસમી વરસાદની આગાહી કરી છે. 


ધરતીપુત્રોમાં વધી ચિંતા!  

ઉલ્લેખનિય છે કે ઘણા સમયથી ગુજરાતમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ઉનાળામાં અષાઢી માહોલ જોવા મળી રહ્યો છે. માવઠાને કારણે ખેતરમાં થયેલો પાક બળી જાય છે. પાક નિષ્ફળ જવાથી ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ધરતીપુત્રની ચિંતામાં વધારો થયો છે. પાક નિષ્ફળ જવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે.       



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.