રાજ્યમાં માવઠાને લઈ હવામાન વિભાગની આગાહી, આગામી પાંચ દિવસ આ જગ્યાઓ પર વરસશે કમોસમી વરસાદ!


  • Published By :
  • Published Date : 2023-04-27 17:26:09

હવામાન વિભાગે ફરી એક વખત કમોસમી વરસાદની આગાહી કરી છે. આગામી દિવસોમાં હજી પણ વરસાદી માહોલ યથાવત રહેશે તેવી આગાહી કરી છે. 27 એપ્રિલથી પહેલી મે સુધી રાજ્યના વિવિધ ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ભર ઉનાળે વરસાદી માહોલ જામતા ખેડૂતો ચિંતિત થયા છે. આકાશમાંથી વરસતા છાંટા ધરતીપુત્રને રડાવી રહ્યા છે.


આ જગ્યાઓ પર વરસવાનો છે કમોસમી વરસાદ!

27 એપ્રિલે બનાસકાંઠા, અરવલ્લી,સાબરકાંઠા, તાપી, ડાંગ, સુરત, નવસારી, વલસાડ. રાજકોટ, જૂનાગઢ, અમરેલી, મોરબી તેમજ કચ્છ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. 28 એપ્રિલે વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ,ભાવનગર, મોરબી, બોટાદ સહિત અનેક જગ્યાઓ પર વરસાદ વરસી શકે છે. 30 એપ્રિલે અરવલ્લી. મહિસાગર, રાજકોટ, બોટાદ સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. પહેલી મેના રોજ સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગર માટે કમોસમી વરસાદની આગાહી કરી છે. 


ધરતીપુત્રોમાં વધી ચિંતા!  

ઉલ્લેખનિય છે કે ઘણા સમયથી ગુજરાતમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ઉનાળામાં અષાઢી માહોલ જોવા મળી રહ્યો છે. માવઠાને કારણે ખેતરમાં થયેલો પાક બળી જાય છે. પાક નિષ્ફળ જવાથી ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ધરતીપુત્રની ચિંતામાં વધારો થયો છે. પાક નિષ્ફળ જવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે.       



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.