રાજ્યમાં માવઠાને લઈ હવામાન વિભાગની આગાહી, આગામી પાંચ દિવસ આ જગ્યાઓ પર વરસશે કમોસમી વરસાદ!


  • Published By :
  • Published Date : 2023-04-27 17:26:09

હવામાન વિભાગે ફરી એક વખત કમોસમી વરસાદની આગાહી કરી છે. આગામી દિવસોમાં હજી પણ વરસાદી માહોલ યથાવત રહેશે તેવી આગાહી કરી છે. 27 એપ્રિલથી પહેલી મે સુધી રાજ્યના વિવિધ ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ભર ઉનાળે વરસાદી માહોલ જામતા ખેડૂતો ચિંતિત થયા છે. આકાશમાંથી વરસતા છાંટા ધરતીપુત્રને રડાવી રહ્યા છે.


આ જગ્યાઓ પર વરસવાનો છે કમોસમી વરસાદ!

27 એપ્રિલે બનાસકાંઠા, અરવલ્લી,સાબરકાંઠા, તાપી, ડાંગ, સુરત, નવસારી, વલસાડ. રાજકોટ, જૂનાગઢ, અમરેલી, મોરબી તેમજ કચ્છ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. 28 એપ્રિલે વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ,ભાવનગર, મોરબી, બોટાદ સહિત અનેક જગ્યાઓ પર વરસાદ વરસી શકે છે. 30 એપ્રિલે અરવલ્લી. મહિસાગર, રાજકોટ, બોટાદ સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. પહેલી મેના રોજ સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગર માટે કમોસમી વરસાદની આગાહી કરી છે. 


ધરતીપુત્રોમાં વધી ચિંતા!  

ઉલ્લેખનિય છે કે ઘણા સમયથી ગુજરાતમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ઉનાળામાં અષાઢી માહોલ જોવા મળી રહ્યો છે. માવઠાને કારણે ખેતરમાં થયેલો પાક બળી જાય છે. પાક નિષ્ફળ જવાથી ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ધરતીપુત્રની ચિંતામાં વધારો થયો છે. પાક નિષ્ફળ જવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે.       



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.