Gujaratના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી આવ્યા પરષોત્તમ રૂપાલાના સમર્થનમાં, પરેશ ધાનાણી માટે કહ્યું કે... સાંભળો તેમના નિવેદનને..


  • Published By :
  • Published Date : 2024-04-06 19:04:18

રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે ભારતીય જનતા પાર્ટીએ પરષોત્તમ રૂપાલાને પસંદ કર્યા છે. પરંતુ આ લોકસભા બેઠક ભારતીય જનતા પાર્ટી માટે માથાનો દુખાવો બની રહ્યું છે તેવું લાગે છે. ક્ષત્રિય સમાજને લઈ પરષોત્તમ રૂપાલાએ આપેલા નિવેદન બાદ વિવાદ છેડાઈ ગયો છે. ક્ષત્રિય સમાજની માગ છે કે રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે. વિવાદ શાંત થવાને બદલે પ્રતિદિન વધતો જઈ રહ્યો છે. વિવાદને શાંત કરવા માટે ભાજપે ડેમેજ કંટ્રોલ કરવાનો પ્રયત્ન કર્યો છે. પરંતુ વિવાદ શાંત થયો નથી. આ બધા વચ્ચે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પરષોત્તમ રૂપાલાના સમર્થનમાં આવ્યા છે.      

પરષોત્તમ રૂપાલાના સમર્થનમાં આવ્યા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી  

પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદન બાદ તેમનો વિરોધ ગુજરાતના અનેક ભાગોમાં થઈ રહ્યો છે. ક્ષત્રિય સમાજ પોતાની માગ સાથે અડગ છે કે પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે, વિવાદ શાંત કરવા માટે ભાજપ દ્વારા અનેક પ્રયત્નો કરવામાં આવ્યા પરંતુ તેનો કોઈ અર્થ રહ્યો નહીં. એક તરફ ક્ષત્રિય સમાજ વિરોધ કરી રહ્યો છે તો બીજી તરફ પરષોત્તમ રૂપાલાના સમર્થનમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી આવ્યા છે. સમર્થનમાં આવતા તેમણે જણાવ્યું હતું કે, ક્ષત્રિય સમાજ ક્ષમા આપનારો છે, મને ચોક્કસ વિશ્વાસ છે કે ક્ષત્રિય સમાજ પરષોત્તમ રૂપાલાને માફી આપી દેશે.  



પરેશ ધાનાણી માટે વિજય રૂપાણીએ કહ્યું કે.... 

આ સાથે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, પરષોત્તમ રૂપાલાએ બે વખત માફી માંગી લીધી છે. ક્ષત્રિય સમાજ હંમેશા ક્ષમા આપનારો સમાજ છે. મને ચોક્કસ વિશ્વાસ છે કે, ક્ષત્રિય સમાજ પરષોત્તમ રૂપાલાને માફી આપી દેશે. તો પરેશ ધાનાણીને લઈ ચાલી રહેલી અટકળો મામલે જણાવ્યું હતું કે, પરેશ ધાનાણીને લાભ લેવો હોય તો તે પણ ભલે લાભ લઈ લે, પરંતુ શબ્દો યાદ રાખજો પરેશ ધાનાણી ખરાબ રીતે હારશે. મહત્વનું છે કે રાજકોટ લોકસભા બેઠક માટે કોંગ્રેસ દ્વારા ઉમેદવારના નામની જાહેરાત નથી કરવામાં આવી. એવી ચર્ચાઓ ચાલી રહી છે કે પરેશ ધાનાણીને કોંગ્રેસ ટિકીટ આપી શકે છે પરંતુ એવા સમાચાર પણ સામે આવ્યા હતા કે તેમણે ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો છે.  



ભારતીય જનતા પાર્ટીને કોઈ પડકાર નથી - વિજય રૂપાણી

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતની તમામ 26 બેઠક પર ભારતીય જનતા પાર્ટીને કોઈપણ પડકાર નથી. આઝાદી પછી પ્રથમવાર ભારતીય જનતા પાર્ટી એકલા હાથે ચૂંટણી લડી રહી છે. તમામ બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટી પોતાના ઉમેદવાર ઉતારશે. તાજેતરમાં ત્રણ જેટલા સીટિંગ MP ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. જેમાં બે કોંગ્રેસના MP અને એક આમ આદમી પાર્ટીના MP સામેલ છે. કોંગ્રેસ દ્વારા રાજકોટ બેઠકનાં ઉમેદવાર જાહેર ન થવા અંગે જણાવ્યું હતું કે, કોંગ્રેસને ઉમેદવાર નથી મળતા તો કાર્યકર્તા ક્યાંથી મળે? ત્યારે તમામ 26 બેઠકો ઉપર ભાજપની જીત નિશ્ચિત છે.... મહત્વનું છે કે આ વિવાદ દિવસેને દિવસે ઉગ્ર બની રહ્યો છે. 



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.