Gujaratના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી આવ્યા પરષોત્તમ રૂપાલાના સમર્થનમાં, પરેશ ધાનાણી માટે કહ્યું કે... સાંભળો તેમના નિવેદનને..


  • Published By :
  • Published Date : 2024-04-06 19:04:18

રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે ભારતીય જનતા પાર્ટીએ પરષોત્તમ રૂપાલાને પસંદ કર્યા છે. પરંતુ આ લોકસભા બેઠક ભારતીય જનતા પાર્ટી માટે માથાનો દુખાવો બની રહ્યું છે તેવું લાગે છે. ક્ષત્રિય સમાજને લઈ પરષોત્તમ રૂપાલાએ આપેલા નિવેદન બાદ વિવાદ છેડાઈ ગયો છે. ક્ષત્રિય સમાજની માગ છે કે રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે. વિવાદ શાંત થવાને બદલે પ્રતિદિન વધતો જઈ રહ્યો છે. વિવાદને શાંત કરવા માટે ભાજપે ડેમેજ કંટ્રોલ કરવાનો પ્રયત્ન કર્યો છે. પરંતુ વિવાદ શાંત થયો નથી. આ બધા વચ્ચે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પરષોત્તમ રૂપાલાના સમર્થનમાં આવ્યા છે.      

પરષોત્તમ રૂપાલાના સમર્થનમાં આવ્યા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી  

પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદન બાદ તેમનો વિરોધ ગુજરાતના અનેક ભાગોમાં થઈ રહ્યો છે. ક્ષત્રિય સમાજ પોતાની માગ સાથે અડગ છે કે પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે, વિવાદ શાંત કરવા માટે ભાજપ દ્વારા અનેક પ્રયત્નો કરવામાં આવ્યા પરંતુ તેનો કોઈ અર્થ રહ્યો નહીં. એક તરફ ક્ષત્રિય સમાજ વિરોધ કરી રહ્યો છે તો બીજી તરફ પરષોત્તમ રૂપાલાના સમર્થનમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી આવ્યા છે. સમર્થનમાં આવતા તેમણે જણાવ્યું હતું કે, ક્ષત્રિય સમાજ ક્ષમા આપનારો છે, મને ચોક્કસ વિશ્વાસ છે કે ક્ષત્રિય સમાજ પરષોત્તમ રૂપાલાને માફી આપી દેશે.  



પરેશ ધાનાણી માટે વિજય રૂપાણીએ કહ્યું કે.... 

આ સાથે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, પરષોત્તમ રૂપાલાએ બે વખત માફી માંગી લીધી છે. ક્ષત્રિય સમાજ હંમેશા ક્ષમા આપનારો સમાજ છે. મને ચોક્કસ વિશ્વાસ છે કે, ક્ષત્રિય સમાજ પરષોત્તમ રૂપાલાને માફી આપી દેશે. તો પરેશ ધાનાણીને લઈ ચાલી રહેલી અટકળો મામલે જણાવ્યું હતું કે, પરેશ ધાનાણીને લાભ લેવો હોય તો તે પણ ભલે લાભ લઈ લે, પરંતુ શબ્દો યાદ રાખજો પરેશ ધાનાણી ખરાબ રીતે હારશે. મહત્વનું છે કે રાજકોટ લોકસભા બેઠક માટે કોંગ્રેસ દ્વારા ઉમેદવારના નામની જાહેરાત નથી કરવામાં આવી. એવી ચર્ચાઓ ચાલી રહી છે કે પરેશ ધાનાણીને કોંગ્રેસ ટિકીટ આપી શકે છે પરંતુ એવા સમાચાર પણ સામે આવ્યા હતા કે તેમણે ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો છે.  



ભારતીય જનતા પાર્ટીને કોઈ પડકાર નથી - વિજય રૂપાણી

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતની તમામ 26 બેઠક પર ભારતીય જનતા પાર્ટીને કોઈપણ પડકાર નથી. આઝાદી પછી પ્રથમવાર ભારતીય જનતા પાર્ટી એકલા હાથે ચૂંટણી લડી રહી છે. તમામ બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટી પોતાના ઉમેદવાર ઉતારશે. તાજેતરમાં ત્રણ જેટલા સીટિંગ MP ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. જેમાં બે કોંગ્રેસના MP અને એક આમ આદમી પાર્ટીના MP સામેલ છે. કોંગ્રેસ દ્વારા રાજકોટ બેઠકનાં ઉમેદવાર જાહેર ન થવા અંગે જણાવ્યું હતું કે, કોંગ્રેસને ઉમેદવાર નથી મળતા તો કાર્યકર્તા ક્યાંથી મળે? ત્યારે તમામ 26 બેઠકો ઉપર ભાજપની જીત નિશ્ચિત છે.... મહત્વનું છે કે આ વિવાદ દિવસેને દિવસે ઉગ્ર બની રહ્યો છે. 



પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.

રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.