Gujaratના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી આવ્યા પરષોત્તમ રૂપાલાના સમર્થનમાં, પરેશ ધાનાણી માટે કહ્યું કે... સાંભળો તેમના નિવેદનને..


  • Published By :
  • Published Date : 2024-04-06 19:04:18

રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે ભારતીય જનતા પાર્ટીએ પરષોત્તમ રૂપાલાને પસંદ કર્યા છે. પરંતુ આ લોકસભા બેઠક ભારતીય જનતા પાર્ટી માટે માથાનો દુખાવો બની રહ્યું છે તેવું લાગે છે. ક્ષત્રિય સમાજને લઈ પરષોત્તમ રૂપાલાએ આપેલા નિવેદન બાદ વિવાદ છેડાઈ ગયો છે. ક્ષત્રિય સમાજની માગ છે કે રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે. વિવાદ શાંત થવાને બદલે પ્રતિદિન વધતો જઈ રહ્યો છે. વિવાદને શાંત કરવા માટે ભાજપે ડેમેજ કંટ્રોલ કરવાનો પ્રયત્ન કર્યો છે. પરંતુ વિવાદ શાંત થયો નથી. આ બધા વચ્ચે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પરષોત્તમ રૂપાલાના સમર્થનમાં આવ્યા છે.      

પરષોત્તમ રૂપાલાના સમર્થનમાં આવ્યા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી  

પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદન બાદ તેમનો વિરોધ ગુજરાતના અનેક ભાગોમાં થઈ રહ્યો છે. ક્ષત્રિય સમાજ પોતાની માગ સાથે અડગ છે કે પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે, વિવાદ શાંત કરવા માટે ભાજપ દ્વારા અનેક પ્રયત્નો કરવામાં આવ્યા પરંતુ તેનો કોઈ અર્થ રહ્યો નહીં. એક તરફ ક્ષત્રિય સમાજ વિરોધ કરી રહ્યો છે તો બીજી તરફ પરષોત્તમ રૂપાલાના સમર્થનમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી આવ્યા છે. સમર્થનમાં આવતા તેમણે જણાવ્યું હતું કે, ક્ષત્રિય સમાજ ક્ષમા આપનારો છે, મને ચોક્કસ વિશ્વાસ છે કે ક્ષત્રિય સમાજ પરષોત્તમ રૂપાલાને માફી આપી દેશે.  



પરેશ ધાનાણી માટે વિજય રૂપાણીએ કહ્યું કે.... 

આ સાથે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, પરષોત્તમ રૂપાલાએ બે વખત માફી માંગી લીધી છે. ક્ષત્રિય સમાજ હંમેશા ક્ષમા આપનારો સમાજ છે. મને ચોક્કસ વિશ્વાસ છે કે, ક્ષત્રિય સમાજ પરષોત્તમ રૂપાલાને માફી આપી દેશે. તો પરેશ ધાનાણીને લઈ ચાલી રહેલી અટકળો મામલે જણાવ્યું હતું કે, પરેશ ધાનાણીને લાભ લેવો હોય તો તે પણ ભલે લાભ લઈ લે, પરંતુ શબ્દો યાદ રાખજો પરેશ ધાનાણી ખરાબ રીતે હારશે. મહત્વનું છે કે રાજકોટ લોકસભા બેઠક માટે કોંગ્રેસ દ્વારા ઉમેદવારના નામની જાહેરાત નથી કરવામાં આવી. એવી ચર્ચાઓ ચાલી રહી છે કે પરેશ ધાનાણીને કોંગ્રેસ ટિકીટ આપી શકે છે પરંતુ એવા સમાચાર પણ સામે આવ્યા હતા કે તેમણે ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો છે.  



ભારતીય જનતા પાર્ટીને કોઈ પડકાર નથી - વિજય રૂપાણી

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતની તમામ 26 બેઠક પર ભારતીય જનતા પાર્ટીને કોઈપણ પડકાર નથી. આઝાદી પછી પ્રથમવાર ભારતીય જનતા પાર્ટી એકલા હાથે ચૂંટણી લડી રહી છે. તમામ બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટી પોતાના ઉમેદવાર ઉતારશે. તાજેતરમાં ત્રણ જેટલા સીટિંગ MP ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. જેમાં બે કોંગ્રેસના MP અને એક આમ આદમી પાર્ટીના MP સામેલ છે. કોંગ્રેસ દ્વારા રાજકોટ બેઠકનાં ઉમેદવાર જાહેર ન થવા અંગે જણાવ્યું હતું કે, કોંગ્રેસને ઉમેદવાર નથી મળતા તો કાર્યકર્તા ક્યાંથી મળે? ત્યારે તમામ 26 બેઠકો ઉપર ભાજપની જીત નિશ્ચિત છે.... મહત્વનું છે કે આ વિવાદ દિવસેને દિવસે ઉગ્ર બની રહ્યો છે. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.