ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રીએ નથુરામ ગોડસેને લઈ આપ્યું નિવેદન! ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રીએ રાહુલ ગાંધી વિશે કહી આ વાત!


  • Published By :
  • Published Date : 2023-06-08 12:39:27

કેન્દ્ર સરકાર પર અનેક વખત પ્રહાર કરતા રાહુલ ગાંધી દેખાતા હોય છે. એ ભલે ભારત હોય કે પછી વિદેશની ધરતી હોય. પ્રહાર કરવાનો એક મોકો રાહુલ ગાંધી છોડતા નથી. ત્યારે અમેરિકાના પ્રવાસ દરમિયાન રાહુલ ગાંધીએ અનેક મુદ્દાઓ પર વાત કરી છે. ત્યારે રાહુલ ગાંધી વિશે ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રીએ અનેક વાતો કહી છે. પોતાના નિવેદનમાં ત્રિવેન્દ્ર સિંહ રાવતે નથુરામ ગોડસેને દેશભક્ત ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે ગાંધીજીની હત્યા અલગ વિષય છે, અને જ્યાં સુધી તેમણે ગોડસેને સમજ્યા છે અને વાંચ્યા, તે દેશભક્ત હતા. 


'નથુરામ ગોડસે દેશભક્ત હતા' -ઉત્તરાખંડના પૂર્વ સીએમ  

નથુરામ ગોડસે અને મહાત્મા ગાંધીને લઈ અનેક વખત નેતાઓ વિવાદાસ્પદ નિવેદનો આપતા હોય છે. ત્યારે ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતે નથુરામ ગોડસેને લઈ નિવેદન આપ્યું છે અને તેમને દેશભક્ત ગણાવ્યા છે. બલિયામાં પાર્ટીના જિલ્લા મુખ્યાલયમાં પત્રકારો સાથે વાત કરતા તેમણે કહ્યું કે ગાંધીજીની હત્યા એક અલગ મુદ્દો છે. જ્યાં સુધી મેં ગોડસે વિશે જાણ્યું અને વાંચ્યું છે તેના પરથી હું કહું છું કે તે પણ દેશભક્ત હતા. જોકે ગાંધીજીની જે હત્યા થઈ તેની સાથે અમે સહમત નથી. તે સિવાય રાહુલ ગાંધીને લઈને પણ તેમણે નિવેદન આપ્યું છે.  

 

રાહુલ ગાંધી વિશે કહી આ વાત!

રાહુલ ગાંધી વિશે વાત કરતા તેમણે કહ્યું કે માત્ર ગાંધી સરનેમ હોવાથી વિચારધારા પણ ગાંધીવાદી ન બની જાય. તેમણે કહ્યું કે 'જનેઉ'ને બહાર લટકાવવાથી તેમની ઓળખ નહીં બદલાય, તેઓ (રાહુલ ગાંધી) માત્ર વાતો કરે છે. રાવતે આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ માત્ર ગાંધી સરનેમનો લાભ લઈ રહ્યા છે. વધુમાં તેમણે કહ્યું કે 'રાહુલ ગાંધી પોતાની પાર્ટીની ખરાબ હાલત જોઈને હતાશામાં બોલી રહ્યા છે. તે માનસિક તણાવમાં બોલી રહ્યા છે. જે વ્યક્તિ માનસિક તાણમાંથી પસાર થઈ રહી હોય તેને લોકો સ્વીકારશે નહીં."



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.