ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રીએ નથુરામ ગોડસેને લઈ આપ્યું નિવેદન! ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રીએ રાહુલ ગાંધી વિશે કહી આ વાત!


  • Published By :
  • Published Date : 2023-06-08 12:39:27

કેન્દ્ર સરકાર પર અનેક વખત પ્રહાર કરતા રાહુલ ગાંધી દેખાતા હોય છે. એ ભલે ભારત હોય કે પછી વિદેશની ધરતી હોય. પ્રહાર કરવાનો એક મોકો રાહુલ ગાંધી છોડતા નથી. ત્યારે અમેરિકાના પ્રવાસ દરમિયાન રાહુલ ગાંધીએ અનેક મુદ્દાઓ પર વાત કરી છે. ત્યારે રાહુલ ગાંધી વિશે ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રીએ અનેક વાતો કહી છે. પોતાના નિવેદનમાં ત્રિવેન્દ્ર સિંહ રાવતે નથુરામ ગોડસેને દેશભક્ત ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે ગાંધીજીની હત્યા અલગ વિષય છે, અને જ્યાં સુધી તેમણે ગોડસેને સમજ્યા છે અને વાંચ્યા, તે દેશભક્ત હતા. 


'નથુરામ ગોડસે દેશભક્ત હતા' -ઉત્તરાખંડના પૂર્વ સીએમ  

નથુરામ ગોડસે અને મહાત્મા ગાંધીને લઈ અનેક વખત નેતાઓ વિવાદાસ્પદ નિવેદનો આપતા હોય છે. ત્યારે ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતે નથુરામ ગોડસેને લઈ નિવેદન આપ્યું છે અને તેમને દેશભક્ત ગણાવ્યા છે. બલિયામાં પાર્ટીના જિલ્લા મુખ્યાલયમાં પત્રકારો સાથે વાત કરતા તેમણે કહ્યું કે ગાંધીજીની હત્યા એક અલગ મુદ્દો છે. જ્યાં સુધી મેં ગોડસે વિશે જાણ્યું અને વાંચ્યું છે તેના પરથી હું કહું છું કે તે પણ દેશભક્ત હતા. જોકે ગાંધીજીની જે હત્યા થઈ તેની સાથે અમે સહમત નથી. તે સિવાય રાહુલ ગાંધીને લઈને પણ તેમણે નિવેદન આપ્યું છે.  

 

રાહુલ ગાંધી વિશે કહી આ વાત!

રાહુલ ગાંધી વિશે વાત કરતા તેમણે કહ્યું કે માત્ર ગાંધી સરનેમ હોવાથી વિચારધારા પણ ગાંધીવાદી ન બની જાય. તેમણે કહ્યું કે 'જનેઉ'ને બહાર લટકાવવાથી તેમની ઓળખ નહીં બદલાય, તેઓ (રાહુલ ગાંધી) માત્ર વાતો કરે છે. રાવતે આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ માત્ર ગાંધી સરનેમનો લાભ લઈ રહ્યા છે. વધુમાં તેમણે કહ્યું કે 'રાહુલ ગાંધી પોતાની પાર્ટીની ખરાબ હાલત જોઈને હતાશામાં બોલી રહ્યા છે. તે માનસિક તણાવમાં બોલી રહ્યા છે. જે વ્યક્તિ માનસિક તાણમાંથી પસાર થઈ રહી હોય તેને લોકો સ્વીકારશે નહીં."



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.