ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રીએ નથુરામ ગોડસેને લઈ આપ્યું નિવેદન! ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રીએ રાહુલ ગાંધી વિશે કહી આ વાત!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-06-08 12:39:27

કેન્દ્ર સરકાર પર અનેક વખત પ્રહાર કરતા રાહુલ ગાંધી દેખાતા હોય છે. એ ભલે ભારત હોય કે પછી વિદેશની ધરતી હોય. પ્રહાર કરવાનો એક મોકો રાહુલ ગાંધી છોડતા નથી. ત્યારે અમેરિકાના પ્રવાસ દરમિયાન રાહુલ ગાંધીએ અનેક મુદ્દાઓ પર વાત કરી છે. ત્યારે રાહુલ ગાંધી વિશે ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રીએ અનેક વાતો કહી છે. પોતાના નિવેદનમાં ત્રિવેન્દ્ર સિંહ રાવતે નથુરામ ગોડસેને દેશભક્ત ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે ગાંધીજીની હત્યા અલગ વિષય છે, અને જ્યાં સુધી તેમણે ગોડસેને સમજ્યા છે અને વાંચ્યા, તે દેશભક્ત હતા. 


'નથુરામ ગોડસે દેશભક્ત હતા' -ઉત્તરાખંડના પૂર્વ સીએમ  

નથુરામ ગોડસે અને મહાત્મા ગાંધીને લઈ અનેક વખત નેતાઓ વિવાદાસ્પદ નિવેદનો આપતા હોય છે. ત્યારે ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતે નથુરામ ગોડસેને લઈ નિવેદન આપ્યું છે અને તેમને દેશભક્ત ગણાવ્યા છે. બલિયામાં પાર્ટીના જિલ્લા મુખ્યાલયમાં પત્રકારો સાથે વાત કરતા તેમણે કહ્યું કે ગાંધીજીની હત્યા એક અલગ મુદ્દો છે. જ્યાં સુધી મેં ગોડસે વિશે જાણ્યું અને વાંચ્યું છે તેના પરથી હું કહું છું કે તે પણ દેશભક્ત હતા. જોકે ગાંધીજીની જે હત્યા થઈ તેની સાથે અમે સહમત નથી. તે સિવાય રાહુલ ગાંધીને લઈને પણ તેમણે નિવેદન આપ્યું છે.  

 

રાહુલ ગાંધી વિશે કહી આ વાત!

રાહુલ ગાંધી વિશે વાત કરતા તેમણે કહ્યું કે માત્ર ગાંધી સરનેમ હોવાથી વિચારધારા પણ ગાંધીવાદી ન બની જાય. તેમણે કહ્યું કે 'જનેઉ'ને બહાર લટકાવવાથી તેમની ઓળખ નહીં બદલાય, તેઓ (રાહુલ ગાંધી) માત્ર વાતો કરે છે. રાવતે આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ માત્ર ગાંધી સરનેમનો લાભ લઈ રહ્યા છે. વધુમાં તેમણે કહ્યું કે 'રાહુલ ગાંધી પોતાની પાર્ટીની ખરાબ હાલત જોઈને હતાશામાં બોલી રહ્યા છે. તે માનસિક તણાવમાં બોલી રહ્યા છે. જે વ્યક્તિ માનસિક તાણમાંથી પસાર થઈ રહી હોય તેને લોકો સ્વીકારશે નહીં."



લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન અનેક વખત એવા નિવેદનો સામે આવતા હોય છે જેની ચર્ચા થતી હોય છે. ત્યારે પીએમ મોદીએ એક સબામાં રાહુલ ગાંધીના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે.

ઘણા લોકો એવા હોય છે જેમને મૌન રહેવું ગમે છે.. જ્યારે કવિને પૂછવામાં આવે કે તમને સૌથી વધારે કોની સાથે રહેવાનું પસંદ છે તો તે કહે છે મૌન સાથે ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે આદિલ મન્સુરીની રચના .

ગઈકાલથી એક બાદ એક નેતાઓના પત્રોની ખૂબ ચર્ચા થઈ રહી છે.. પહેલા કુમાર કાનાણીનો પત્ર આવ્યો, પછી સંજય કોરડીયાનો પત્ર સામે આવ્યો અને પછી અમરેલીના ભાજપ ઉમેદવાર ભરત સુતરીયાનો પત્ર સામે આવ્યો.

ભર ઉનાળે કમોસમી વરસાદ વરસી રહ્યો છે. કમોસમી વરસાદને કારણે જગતના તાતને નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. આવનાર દિવસમાં તાપમાનનો પારો વધશે તેવી વાત કરવામાં આવી હતી પરંતુ લોકોની એની રાહ જોઈ રહ્યા છે કે ચોમાસું ક્યારે બેસશે? ચોમાસાના આગમનને લઈ હવામાન વિભાગ દ્વારા મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે.