પૂર્વ કેપ્ટન અને મહાન સ્પિનર બિશન સિંહ બેદીનું 77 વર્ષની વયે નિધન, કેવું રહ્યું તેમનું ક્રિકેટ કેરિયર? જાણો


  • Published By :
  • Published Date : 2023-10-23 18:59:36

ભારતના પૂર્વ કેપ્ટન અને સ્પિનની દુનિયાના જાદુગર તરીકે જાણીતા બિશન સિંહ બેદીનું આજે અચાનક નિધન થયું છે, તેઓ 77 વર્ષના હતા. રિપોર્ટ્સ અનુસાર તેઓ ઘણા સમયથી બીમાર હતા. તેમના નિધનથી ખેલ જગતમાં શોક વ્યાપી ગયો છે. તેઓ લાંબા સમય સુધી ભારતીય ક્રિકેટના કેપ્ટન રહ્યા હતા અને તેમનું નામ વિશ્વના શ્રેષ્ઠ સ્પિનરોમાં સામેલ છે. બિશન સિંહ બેદીના અવસાનના સમાચાર સોશિયલ મીડિયા પર જંગલની આગની જેમ ફેલાઈ ગયા હતા. દેશની અગ્રણી સેલિબ્રિટીથી લઈને ક્રિકેટરો સુધી દરેકે તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો અને શ્રદ્ધાંજલિ આપી હતી.


 

દેશના ચાર મહાન સ્પિનરો પૈકીના એક


મહાન સ્પિનર બિશન સિંહ બેદીએ 1967 થી 1979 વચ્ચે ભારત માટે 67 ટેસ્ટ રમી અને 266 વિકેટ લીધી. તેણે 10 વન-ડેમાં 7 વિકેટ પણ લીધી હતી. તેમણે એક ઇનિંગ્સમાં 14 વખત પાંચ વિકેટ અને મેચમાં એક વખત 10 વિકેટ લેવાની સિદ્ધિ મેળવી હતી. તે ભારતીય ક્રિકેટના સ્પિનરોની સ્વર્ણિમ ચોકડીનો ભાગ હતો જેમાં પ્રસન્ના, ભાગવત ચંદ્રશેખર અને શ્રીનિવાસ વેંકટરાઘવનનો સમાવેશ થતો હતો.

બિશન સિંહ બેદીએ ભારતની પ્રથમ વનડે જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.અમૃતસરમાં જન્મેલા સ્પિનર ​​બેદીએ સ્થાનિક સર્કિટ પર દિલ્હીનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેઓ 1966 અને 1978 વચ્ચે એક દાયકાથી વધુ સમય સુધી ભારતના બોલિંગ યુનિટનો મુખ્ય ભાગ હતા. 1990માં ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડના પ્રવાસ દરમિયાન બેદી થોડા સમય માટે ભારતીય ક્રિકેટ ટીમના મેનેજર હતા. રાષ્ટ્રીય પસંદગીકાર હોવા ઉપરાંત, તેઓ મનિન્દર સિંહ અને મુરલી કાર્તિક જેવા ઘણા પ્રતિભાશાળી સ્પિનરોના ગુરૂ પણ હતા. તેમણે ડોમેસ્ટિક ક્રિકેટમાં 370 મેચમાં 1,560 વિકેટ લીધી હતી.


કેવું રહ્યું બેદીનું ક્રિકેટ કેરિયર?


બિશન સિંહ બેદીએ 31 ડિસેમ્બર 1966ના રોજ કોલકાતાના ઐતિહાસિક સ્ટેડિયમ ઈડન ગાર્ડન્સ ખાતે તેની ટેસ્ટ કારકિર્દીની શરૂઆત કરી હતી, જ્યાંરે ઓગસ્ટ-સપ્ટેમ્બર 1979માં ઓવલ ખાતે ઈંગ્લેન્ડ સામે તેમની છેલ્લી ટેસ્ટ રમી હતી. બીજી તરફ, પ્રથમ વન ડે ઈંગ્લેન્ડ સામે 13 જુલાઈ 1974ના રોજ લોર્ડ્સમાં રમાઈ હતી, જ્યારે છેલ્લી વન ડે શ્રીલંકા સામે 16 જૂન 1979ના રોજ માન્ચેસ્ટર ખાતે રમાઈ હતી. ઉલ્લેખનીય છે કે બિશન સિંહ બેદીનો પુત્ર અંગદ બેદી એક્ટર છે. તેણે ઘણી બોલિવૂડ ફિલ્મો અને વેબસિરીઝમાં કામ કર્યું છે, જ્યારે તેની પત્ની નેહા ધૂપિયા ભારતની સૌથી મોટી સ્ટાર્સમાંની એક છે.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.