પૂર્વ કેપ્ટન અને મહાન સ્પિનર બિશન સિંહ બેદીનું 77 વર્ષની વયે નિધન, કેવું રહ્યું તેમનું ક્રિકેટ કેરિયર? જાણો


  • Published By :
  • Published Date : 2023-10-23 18:59:36

ભારતના પૂર્વ કેપ્ટન અને સ્પિનની દુનિયાના જાદુગર તરીકે જાણીતા બિશન સિંહ બેદીનું આજે અચાનક નિધન થયું છે, તેઓ 77 વર્ષના હતા. રિપોર્ટ્સ અનુસાર તેઓ ઘણા સમયથી બીમાર હતા. તેમના નિધનથી ખેલ જગતમાં શોક વ્યાપી ગયો છે. તેઓ લાંબા સમય સુધી ભારતીય ક્રિકેટના કેપ્ટન રહ્યા હતા અને તેમનું નામ વિશ્વના શ્રેષ્ઠ સ્પિનરોમાં સામેલ છે. બિશન સિંહ બેદીના અવસાનના સમાચાર સોશિયલ મીડિયા પર જંગલની આગની જેમ ફેલાઈ ગયા હતા. દેશની અગ્રણી સેલિબ્રિટીથી લઈને ક્રિકેટરો સુધી દરેકે તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો અને શ્રદ્ધાંજલિ આપી હતી.


 

દેશના ચાર મહાન સ્પિનરો પૈકીના એક


મહાન સ્પિનર બિશન સિંહ બેદીએ 1967 થી 1979 વચ્ચે ભારત માટે 67 ટેસ્ટ રમી અને 266 વિકેટ લીધી. તેણે 10 વન-ડેમાં 7 વિકેટ પણ લીધી હતી. તેમણે એક ઇનિંગ્સમાં 14 વખત પાંચ વિકેટ અને મેચમાં એક વખત 10 વિકેટ લેવાની સિદ્ધિ મેળવી હતી. તે ભારતીય ક્રિકેટના સ્પિનરોની સ્વર્ણિમ ચોકડીનો ભાગ હતો જેમાં પ્રસન્ના, ભાગવત ચંદ્રશેખર અને શ્રીનિવાસ વેંકટરાઘવનનો સમાવેશ થતો હતો.

બિશન સિંહ બેદીએ ભારતની પ્રથમ વનડે જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.અમૃતસરમાં જન્મેલા સ્પિનર ​​બેદીએ સ્થાનિક સર્કિટ પર દિલ્હીનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેઓ 1966 અને 1978 વચ્ચે એક દાયકાથી વધુ સમય સુધી ભારતના બોલિંગ યુનિટનો મુખ્ય ભાગ હતા. 1990માં ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડના પ્રવાસ દરમિયાન બેદી થોડા સમય માટે ભારતીય ક્રિકેટ ટીમના મેનેજર હતા. રાષ્ટ્રીય પસંદગીકાર હોવા ઉપરાંત, તેઓ મનિન્દર સિંહ અને મુરલી કાર્તિક જેવા ઘણા પ્રતિભાશાળી સ્પિનરોના ગુરૂ પણ હતા. તેમણે ડોમેસ્ટિક ક્રિકેટમાં 370 મેચમાં 1,560 વિકેટ લીધી હતી.


કેવું રહ્યું બેદીનું ક્રિકેટ કેરિયર?


બિશન સિંહ બેદીએ 31 ડિસેમ્બર 1966ના રોજ કોલકાતાના ઐતિહાસિક સ્ટેડિયમ ઈડન ગાર્ડન્સ ખાતે તેની ટેસ્ટ કારકિર્દીની શરૂઆત કરી હતી, જ્યાંરે ઓગસ્ટ-સપ્ટેમ્બર 1979માં ઓવલ ખાતે ઈંગ્લેન્ડ સામે તેમની છેલ્લી ટેસ્ટ રમી હતી. બીજી તરફ, પ્રથમ વન ડે ઈંગ્લેન્ડ સામે 13 જુલાઈ 1974ના રોજ લોર્ડ્સમાં રમાઈ હતી, જ્યારે છેલ્લી વન ડે શ્રીલંકા સામે 16 જૂન 1979ના રોજ માન્ચેસ્ટર ખાતે રમાઈ હતી. ઉલ્લેખનીય છે કે બિશન સિંહ બેદીનો પુત્ર અંગદ બેદી એક્ટર છે. તેણે ઘણી બોલિવૂડ ફિલ્મો અને વેબસિરીઝમાં કામ કર્યું છે, જ્યારે તેની પત્ની નેહા ધૂપિયા ભારતની સૌથી મોટી સ્ટાર્સમાંની એક છે.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.