પૂર્વ ક્રિકેટર રાકેશ પટેલે પણ ચૂંટણી મેદાનમાં ઝંપલાવ્યું, જલાલપોર સીટ માટે ભાજપમાંથી દાવેદારી નોંધાવી


  • Published By :
  • Published Date : 2022-10-27 12:57:47

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે અનેક લોકો ધારાસભ્ય બનવા તેમનું નશીબ અજમાવી રહ્યા છે. હવે આ ચૂંટણી જંગમાં પૂર્વ ક્રિકેટરની પણ એંન્ટ્રી થઈ છે.  પૂર્વ ભારતીય ક્રિકેટર રાકેશ પટેલે તેમની દાવેદારી નોંધાવતા નવસારીની જલાલપોર સીટ પરથી ચૂંટણી લડશે.


રાકેશ પટેલે દાવેદારી નોંધાવતા આશ્ચર્ય


રાકેશ પટેલ પૂર્વ ભારતીય ક્રિકેટર અને ગુજરાત ક્રિકેટ એસોસિએશનના રણજી ટીમના બોલિંગ કોચ છે. સામાન્ય રીતે લાઈમ લાઈટથી દુર રહેતા રાકેશ પટેલે દાવેદારી નોંધાવતા સૌને આશ્ચર્ય થયું છે. નવસારીની જલાલપોર બેઠક પરથી ચૂંટણી લડવા ઉચ્છુક રાકેશ પટેલે તેમનો બાયોડેટા પણ મોકલી દીધો છે. રાકેશ પટેલ કોળી સમાજમાંથી આવે છે તથા 20 વર્ષથી ભાજપના કાર્યકર્તા છે. સ્થાનિકસ્તરે લોક સંપર્ક ધરાવતા રાકેશ પટેલ સમયાંત્તરે રમતગમત અને સામાજિક પ્રવૃત્તિઓનું પણ યોજતા રહે છે.


જલાલપોર સીટ પર રાકેશ પટેલના જીતવાના ચાન્સ કેવા છે?


નવસારીની જલાલપોર વિધાનસભાની બેઠક ભાજપનો ગઢ છે. વર્ષ 2002થી આ બેઠક પરથી આર.સી પટેલ છેલ્લી ચાર ટર્મથી ચૂંટણી જીતતા આવ્યા છે. જલાલપોર ક્ષેત્રનું વસ્તી ગણિત જોઈએ તો સૌરાષ્ટ્ર પટેલ, કોળી પટેલ, બ્રાહ્મણ, મરાઠી, માછીમાર, મુસ્લિમ, જૈન, ક્ષત્રિય, આહિર તથા અનુસૂચિત જનજાતિના મતદારો છે. જલાલપોર વિધાનસભા સીટમાં કુલ 2,15,970 મતદારો છે.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.