પૂર્વ ક્રિકેટર રાકેશ પટેલે પણ ચૂંટણી મેદાનમાં ઝંપલાવ્યું, જલાલપોર સીટ માટે ભાજપમાંથી દાવેદારી નોંધાવી


  • Published By :
  • Published Date : 2022-10-27 12:57:47

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે અનેક લોકો ધારાસભ્ય બનવા તેમનું નશીબ અજમાવી રહ્યા છે. હવે આ ચૂંટણી જંગમાં પૂર્વ ક્રિકેટરની પણ એંન્ટ્રી થઈ છે.  પૂર્વ ભારતીય ક્રિકેટર રાકેશ પટેલે તેમની દાવેદારી નોંધાવતા નવસારીની જલાલપોર સીટ પરથી ચૂંટણી લડશે.


રાકેશ પટેલે દાવેદારી નોંધાવતા આશ્ચર્ય


રાકેશ પટેલ પૂર્વ ભારતીય ક્રિકેટર અને ગુજરાત ક્રિકેટ એસોસિએશનના રણજી ટીમના બોલિંગ કોચ છે. સામાન્ય રીતે લાઈમ લાઈટથી દુર રહેતા રાકેશ પટેલે દાવેદારી નોંધાવતા સૌને આશ્ચર્ય થયું છે. નવસારીની જલાલપોર બેઠક પરથી ચૂંટણી લડવા ઉચ્છુક રાકેશ પટેલે તેમનો બાયોડેટા પણ મોકલી દીધો છે. રાકેશ પટેલ કોળી સમાજમાંથી આવે છે તથા 20 વર્ષથી ભાજપના કાર્યકર્તા છે. સ્થાનિકસ્તરે લોક સંપર્ક ધરાવતા રાકેશ પટેલ સમયાંત્તરે રમતગમત અને સામાજિક પ્રવૃત્તિઓનું પણ યોજતા રહે છે.


જલાલપોર સીટ પર રાકેશ પટેલના જીતવાના ચાન્સ કેવા છે?


નવસારીની જલાલપોર વિધાનસભાની બેઠક ભાજપનો ગઢ છે. વર્ષ 2002થી આ બેઠક પરથી આર.સી પટેલ છેલ્લી ચાર ટર્મથી ચૂંટણી જીતતા આવ્યા છે. જલાલપોર ક્ષેત્રનું વસ્તી ગણિત જોઈએ તો સૌરાષ્ટ્ર પટેલ, કોળી પટેલ, બ્રાહ્મણ, મરાઠી, માછીમાર, મુસ્લિમ, જૈન, ક્ષત્રિય, આહિર તથા અનુસૂચિત જનજાતિના મતદારો છે. જલાલપોર વિધાનસભા સીટમાં કુલ 2,15,970 મતદારો છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.