પૂર્વ ક્રિકેટર રાકેશ પટેલે પણ ચૂંટણી મેદાનમાં ઝંપલાવ્યું, જલાલપોર સીટ માટે ભાજપમાંથી દાવેદારી નોંધાવી


  • Published By :
  • Published Date : 2022-10-27 12:57:47

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે અનેક લોકો ધારાસભ્ય બનવા તેમનું નશીબ અજમાવી રહ્યા છે. હવે આ ચૂંટણી જંગમાં પૂર્વ ક્રિકેટરની પણ એંન્ટ્રી થઈ છે.  પૂર્વ ભારતીય ક્રિકેટર રાકેશ પટેલે તેમની દાવેદારી નોંધાવતા નવસારીની જલાલપોર સીટ પરથી ચૂંટણી લડશે.


રાકેશ પટેલે દાવેદારી નોંધાવતા આશ્ચર્ય


રાકેશ પટેલ પૂર્વ ભારતીય ક્રિકેટર અને ગુજરાત ક્રિકેટ એસોસિએશનના રણજી ટીમના બોલિંગ કોચ છે. સામાન્ય રીતે લાઈમ લાઈટથી દુર રહેતા રાકેશ પટેલે દાવેદારી નોંધાવતા સૌને આશ્ચર્ય થયું છે. નવસારીની જલાલપોર બેઠક પરથી ચૂંટણી લડવા ઉચ્છુક રાકેશ પટેલે તેમનો બાયોડેટા પણ મોકલી દીધો છે. રાકેશ પટેલ કોળી સમાજમાંથી આવે છે તથા 20 વર્ષથી ભાજપના કાર્યકર્તા છે. સ્થાનિકસ્તરે લોક સંપર્ક ધરાવતા રાકેશ પટેલ સમયાંત્તરે રમતગમત અને સામાજિક પ્રવૃત્તિઓનું પણ યોજતા રહે છે.


જલાલપોર સીટ પર રાકેશ પટેલના જીતવાના ચાન્સ કેવા છે?


નવસારીની જલાલપોર વિધાનસભાની બેઠક ભાજપનો ગઢ છે. વર્ષ 2002થી આ બેઠક પરથી આર.સી પટેલ છેલ્લી ચાર ટર્મથી ચૂંટણી જીતતા આવ્યા છે. જલાલપોર ક્ષેત્રનું વસ્તી ગણિત જોઈએ તો સૌરાષ્ટ્ર પટેલ, કોળી પટેલ, બ્રાહ્મણ, મરાઠી, માછીમાર, મુસ્લિમ, જૈન, ક્ષત્રિય, આહિર તથા અનુસૂચિત જનજાતિના મતદારો છે. જલાલપોર વિધાનસભા સીટમાં કુલ 2,15,970 મતદારો છે.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.