ભાવનગર મહાનગર પાલિકાના પૂર્વ મેયર ગિરિધર પડાયા જોડાયા આમ આદમી પાર્ટીમાં


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-20 17:41:33

વિધાનસભા ચૂંટણી નજીક આવતા નેતાઓ પોતાના ફાયદો દેખાતા પક્ષ પલટો કરી લેતા હોય છે. આ વાત સાવ સામાન્ય થઈ ગઈ છે. ભાજપના નેતા કોંગ્રેસ અથવા આમ આદમી પાર્ટી સાથે જોડાઈ જતા હોય છે. તો કોંગ્રેસના નેતા ભાજપમાં અથવા આપમાં જોઈન થઈ જતા હોય છે. આમ આદમી પાર્ટીના નેતાઓ પણ પક્ષપલટો કરી લેતા હોય છે. આ વખતે ભાવનગર મહાનગર પાલિકાના પૂર્વ મેયર અને SCના નેતા ગિરિધર પડાયા આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.

   

ગિરિધર પડાયા થયા આપના 

ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. વિધાનસભા ચૂંટણીની તારીખ ગમે ત્યારે જાહેર થઈ શકે છે. ત્યારે પાર્ટીમાં ભંગાણ સર્જાતું રહે છે. ચૂંટણી નજીક આવતા નેતા એક પાર્ટી છોડી બીજી પાર્ટીમાં જોડાઈ જતા હોય છે. ભાવનગર મહાનગર પાલિકાના પૂર્વ મેયર અને SCના નેતા ગિરિધર પડાયા આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. એક બાદ એક નેતાઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. આ અગાઉ પણ ભાજપના દિગ્ગજ નેતા આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.   



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.