ભાવનગર મહાનગર પાલિકાના પૂર્વ મેયર ગિરિધર પડાયા જોડાયા આમ આદમી પાર્ટીમાં


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-20 17:41:33

વિધાનસભા ચૂંટણી નજીક આવતા નેતાઓ પોતાના ફાયદો દેખાતા પક્ષ પલટો કરી લેતા હોય છે. આ વાત સાવ સામાન્ય થઈ ગઈ છે. ભાજપના નેતા કોંગ્રેસ અથવા આમ આદમી પાર્ટી સાથે જોડાઈ જતા હોય છે. તો કોંગ્રેસના નેતા ભાજપમાં અથવા આપમાં જોઈન થઈ જતા હોય છે. આમ આદમી પાર્ટીના નેતાઓ પણ પક્ષપલટો કરી લેતા હોય છે. આ વખતે ભાવનગર મહાનગર પાલિકાના પૂર્વ મેયર અને SCના નેતા ગિરિધર પડાયા આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.

   

ગિરિધર પડાયા થયા આપના 

ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. વિધાનસભા ચૂંટણીની તારીખ ગમે ત્યારે જાહેર થઈ શકે છે. ત્યારે પાર્ટીમાં ભંગાણ સર્જાતું રહે છે. ચૂંટણી નજીક આવતા નેતા એક પાર્ટી છોડી બીજી પાર્ટીમાં જોડાઈ જતા હોય છે. ભાવનગર મહાનગર પાલિકાના પૂર્વ મેયર અને SCના નેતા ગિરિધર પડાયા આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. એક બાદ એક નેતાઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. આ અગાઉ પણ ભાજપના દિગ્ગજ નેતા આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.   



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે