ભાવનગર મહાનગર પાલિકાના પૂર્વ મેયર ગિરિધર પડાયા જોડાયા આમ આદમી પાર્ટીમાં


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-20 17:41:33

વિધાનસભા ચૂંટણી નજીક આવતા નેતાઓ પોતાના ફાયદો દેખાતા પક્ષ પલટો કરી લેતા હોય છે. આ વાત સાવ સામાન્ય થઈ ગઈ છે. ભાજપના નેતા કોંગ્રેસ અથવા આમ આદમી પાર્ટી સાથે જોડાઈ જતા હોય છે. તો કોંગ્રેસના નેતા ભાજપમાં અથવા આપમાં જોઈન થઈ જતા હોય છે. આમ આદમી પાર્ટીના નેતાઓ પણ પક્ષપલટો કરી લેતા હોય છે. આ વખતે ભાવનગર મહાનગર પાલિકાના પૂર્વ મેયર અને SCના નેતા ગિરિધર પડાયા આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.

   

ગિરિધર પડાયા થયા આપના 

ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. વિધાનસભા ચૂંટણીની તારીખ ગમે ત્યારે જાહેર થઈ શકે છે. ત્યારે પાર્ટીમાં ભંગાણ સર્જાતું રહે છે. ચૂંટણી નજીક આવતા નેતા એક પાર્ટી છોડી બીજી પાર્ટીમાં જોડાઈ જતા હોય છે. ભાવનગર મહાનગર પાલિકાના પૂર્વ મેયર અને SCના નેતા ગિરિધર પડાયા આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. એક બાદ એક નેતાઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. આ અગાઉ પણ ભાજપના દિગ્ગજ નેતા આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.   



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.