C.R.Patilની હાજરીમાં પૂર્વ ધારાસભ્ય ભુપત ભાયાણી જોડાયા BJPમાં, કેસયિયો ધારણ કરવા પાછળનું જણાવ્યું કારણ! જુઓ વીડિયો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-02-03 13:40:33

વિસાવદરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ થોડા સમય પહેલા ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપી દીધું હતું. તે સમયથી રાહ જોવાઈ રહી હતી જ્યારે તે કેસરિયો ધારણ કરે. આજે પૂર્વ ધારાસભ્ય ભુપત ભાયાણીએ તેમજ પૂર્વ ધારાસભ્ય અરવિંદ લાડાણીએ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની હાજરીમાં કેસરિયો ધારણ કર્યો છે. સી.આર.પાટીલે બે પૂર્વ ધારાસભ્યનું સ્વાગત કર્યું છે. બે પૂર્વ ધારાસભ્યો ઉપરાંત મોટી સંખ્યામાં કાર્યકરો ભાજપમાં લોકસભા ચૂંટણી પહેલા જોડાયા છે.   

સી.આર.પાટીલે કર્યું પૂર્વ ધારાસભ્યનું વેલકમ!

ભાજપમાં ભરતી મેળો ચાલી રહ્યો છે. ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ નેતાઓ પોતાનો પક્ષ છોડી ભાજપનો કેસરિયો ધારણ કરી લેતા હોય છે. જ્યારે કોઈ ધારાસભ્ય, નેતા કે કોઈ કાર્યકર પાર્ટીમાંથી રાજીનામું આપે ત્યારે સામાન્ય રીતે એવું માનવામાં આવતું હોય છે કે તે થોડા સમયમાં તે ભાજપમાં જોડાઈ જશે. તાજેતરમાં અનેક ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું દીધું હતું તે સમયે લાગતું હતું કે બસ થોડા સમયમાં જ ભાજપમાં ભરતી મેળો શરૂ થવાનો છે. અને આજે ફરી એક વખત ભાજપમાં સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.વિસાવદરના પૂર્વ ધારાસભ્ય ભુપત ભાયાણી તેમજ અરવિંદ લાડાણી ભાજપમાં જોડાઈ ગયા છે. સી.આર.પાટીલે તેમનું ભાજપમાં ખેસ પહેરાવીને સ્વાગત કર્યું હતું.  



ભાજપના કાર્યકરોમાં અસંતોષની લાગણી જાણે બહાર આવી રહી છે તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી.. થોડા સમય પહેલા એવા સમાચાર સામે આવ્યા કે ત્રણ નેતા વિરૂદ્ધ પગલા લેવા માટે હાઈકમાન્ડમાં રજૂઆત કરવામાં આવી.. આ બધા વચ્ચે એવું લાગી રહ્યું છે કે જવાહર ચાવડા આવનાર સમયમાં કંઈ નવા જૂની કરી શકે છે...

આજકાલ ગુજરાતમાં અકસ્માતના અનેક ઘટનાઓ બને છે. ફરી એક વાર આણંદના વાસદમાં ઓવર સ્પીડિંગ કાર પરથી કાબૂ ગુમાવતાં ચાર યુવકોના કરૂણ મોત થયા હતા. જ્યારે એક ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ ઘટના બની ત્યારે યુવાન સોશિયલ મીડિયા પર લાઈવ કરી રહ્યો હતો અને દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. જે વીડિયો સામે આવ્યો છે તે હચમચાવી દે તેવો છે..

મહીસાગરમાં એક અકસ્માત સર્જાયો છે જેમાં બે વ્યક્તિના મોત થઈ ગયા છે. ખાનપુરના પાંડરવાડા ગામની આ ઘટના છે જ્યાં કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો છે.. આ ઘટનામાં બાળકનો આબાદ બચાવ થયો છે. બાબલિયા ડિટવાસ હાઈવે પર આ અકસ્માત થયો છે.

અમદાવાદ મનપાના આરોગ્ય વિભાગ દ્વારા અનેક કેરીનો રસ બનાવતા એકમો પર દરોડા પાડવામાં આવ્યા હતા અને ત્યાંથી સેમ્પલ લેવામાં આવ્યા છે અને લેબોરેટરીમાં મોકલી દેવાયા છે તેવી માહિતી સામે આવી છે..