C.R.Patilની હાજરીમાં પૂર્વ ધારાસભ્ય ભુપત ભાયાણી જોડાયા BJPમાં, કેસયિયો ધારણ કરવા પાછળનું જણાવ્યું કારણ! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-02-03 13:40:33

વિસાવદરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ થોડા સમય પહેલા ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપી દીધું હતું. તે સમયથી રાહ જોવાઈ રહી હતી જ્યારે તે કેસરિયો ધારણ કરે. આજે પૂર્વ ધારાસભ્ય ભુપત ભાયાણીએ તેમજ પૂર્વ ધારાસભ્ય અરવિંદ લાડાણીએ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની હાજરીમાં કેસરિયો ધારણ કર્યો છે. સી.આર.પાટીલે બે પૂર્વ ધારાસભ્યનું સ્વાગત કર્યું છે. બે પૂર્વ ધારાસભ્યો ઉપરાંત મોટી સંખ્યામાં કાર્યકરો ભાજપમાં લોકસભા ચૂંટણી પહેલા જોડાયા છે.   

સી.આર.પાટીલે કર્યું પૂર્વ ધારાસભ્યનું વેલકમ!

ભાજપમાં ભરતી મેળો ચાલી રહ્યો છે. ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ નેતાઓ પોતાનો પક્ષ છોડી ભાજપનો કેસરિયો ધારણ કરી લેતા હોય છે. જ્યારે કોઈ ધારાસભ્ય, નેતા કે કોઈ કાર્યકર પાર્ટીમાંથી રાજીનામું આપે ત્યારે સામાન્ય રીતે એવું માનવામાં આવતું હોય છે કે તે થોડા સમયમાં તે ભાજપમાં જોડાઈ જશે. તાજેતરમાં અનેક ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું દીધું હતું તે સમયે લાગતું હતું કે બસ થોડા સમયમાં જ ભાજપમાં ભરતી મેળો શરૂ થવાનો છે. અને આજે ફરી એક વખત ભાજપમાં સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.વિસાવદરના પૂર્વ ધારાસભ્ય ભુપત ભાયાણી તેમજ અરવિંદ લાડાણી ભાજપમાં જોડાઈ ગયા છે. સી.આર.પાટીલે તેમનું ભાજપમાં ખેસ પહેરાવીને સ્વાગત કર્યું હતું.  



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.