C.R.Patilની હાજરીમાં પૂર્વ ધારાસભ્ય ભુપત ભાયાણી જોડાયા BJPમાં, કેસયિયો ધારણ કરવા પાછળનું જણાવ્યું કારણ! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-02-03 13:40:33

વિસાવદરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ થોડા સમય પહેલા ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપી દીધું હતું. તે સમયથી રાહ જોવાઈ રહી હતી જ્યારે તે કેસરિયો ધારણ કરે. આજે પૂર્વ ધારાસભ્ય ભુપત ભાયાણીએ તેમજ પૂર્વ ધારાસભ્ય અરવિંદ લાડાણીએ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની હાજરીમાં કેસરિયો ધારણ કર્યો છે. સી.આર.પાટીલે બે પૂર્વ ધારાસભ્યનું સ્વાગત કર્યું છે. બે પૂર્વ ધારાસભ્યો ઉપરાંત મોટી સંખ્યામાં કાર્યકરો ભાજપમાં લોકસભા ચૂંટણી પહેલા જોડાયા છે.   

સી.આર.પાટીલે કર્યું પૂર્વ ધારાસભ્યનું વેલકમ!

ભાજપમાં ભરતી મેળો ચાલી રહ્યો છે. ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ નેતાઓ પોતાનો પક્ષ છોડી ભાજપનો કેસરિયો ધારણ કરી લેતા હોય છે. જ્યારે કોઈ ધારાસભ્ય, નેતા કે કોઈ કાર્યકર પાર્ટીમાંથી રાજીનામું આપે ત્યારે સામાન્ય રીતે એવું માનવામાં આવતું હોય છે કે તે થોડા સમયમાં તે ભાજપમાં જોડાઈ જશે. તાજેતરમાં અનેક ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું દીધું હતું તે સમયે લાગતું હતું કે બસ થોડા સમયમાં જ ભાજપમાં ભરતી મેળો શરૂ થવાનો છે. અને આજે ફરી એક વખત ભાજપમાં સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.વિસાવદરના પૂર્વ ધારાસભ્ય ભુપત ભાયાણી તેમજ અરવિંદ લાડાણી ભાજપમાં જોડાઈ ગયા છે. સી.આર.પાટીલે તેમનું ભાજપમાં ખેસ પહેરાવીને સ્વાગત કર્યું હતું.  



૨૦૨૫ના આ વર્ષમાં સમગ્ર વિશ્વ ખુબ મોટી અસ્થિરતામાંથી પસાર થઈ રહ્યું છે . કેમ કે હવે ઇઝરાયેલએ ઈરાન પર હુમલો કરી દીધો છે. સાથે જ ઇઝરાયલે પોતાના ત્યાં "સ્ટેટ ઓફ ઇમર્જન્સી'' જાહેર કરી દીધી છે. ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ જાહેરાત કરી છે કે , ઈરાન પર હુમલા ત્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી ઇઝરાયેલને ઈરાનથી ખતરો ખતમ ના થઈ જાય . ઇઝરાયેલના હુમલા પછી ઈરાનની રાજધાની તેહરાનના અલગ અલગ ભાગોમાં ધડાકાઓ સંભળાયા હતા .

ઇન્દોરના રાજા રઘુવંશી કેસમાં આરોપીઓનું કબુલનામું સામે આવ્યું છે . ચારેય આરોપીઓએ સોનમ રઘુવંશીને જ માસ્ટમાઈન્ડ ગણાવી છે કેમ કે , સોનમ રાજા રઘુવંશી સાથે લગન કરવા નહોતી માંગતી . આ ખુબ ચોંકાવનારો ખુલાસો છે કેમ કે , સોનમ દ્વારા એવું કેહવામાં આવ્યું હતું કે , તેને ડ્રગ આપીને ગાઝીપુર લાવવામાં આવી હતી . સાથે જ આપણે જાણીશું કે રાજા રઘુવંશીના કેસમાં પોલીસ પાસે ક્યા મહત્વના પુરાવા છે?

કોઈ પણ કંપનીમાં જેમ એક ફાઉન્ડરની સાથે એક કો-ફાઉન્ડર હોય છે તેમ અમેરિકા માટે એવું કહેવાતું હતું કે , પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની સાથે એક કો પ્રેસિડન્ટ છે જે છે ટેસ્લાના સીઈઓ ઈલોન મસ્ક . પરંતુ જ્યારથી તેમણે ડોનાલ્ડ ટ્રમ્પની સરકારમાંથી રાજીનામુ આપી દીધું ત્યારથી જ બેઉ વચ્ચેના સંબંધોમાં જોરદાર તણાવ જોવા મળી રહ્યો છે. એક બાજુ પ્લેટફોર્મ એક્સ પર ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈલોન મસ્ક વચ્ચેની અસેહમતીઓ બહાર આવી ગઈ. હવે ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈલોન મસ્કના તણાવની અસર અમેરિકાની સિલિકોન વેલી પર પડવા જઈ રહી છે.

ઈંદોરના રાજા રઘુવંશીના હત્યાના કેસમાં હવે નવા ખુલાસા સામે આવ્યા છે . ઈંદોરના ટ્રાન્સપોર્ટ બિઝનેસમેન રાજા રઘુવંશી જયારે મેઘાલયની રાજધાની શિલોન્ગ ખાતે તેમની પત્ની સોનમ સાથે હનીમૂન મનાવવા ગયા ત્યારે પત્ની સોનમે જ તેમની હત્યા કરાવડાવી હતી . આ બાબતે મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગમા અને મેઘાલયના ડીજીપીની પ્રતિક્રિયા સામે આવી છે.