C.R.Patilની હાજરીમાં પૂર્વ ધારાસભ્ય ભુપત ભાયાણી જોડાયા BJPમાં, કેસયિયો ધારણ કરવા પાછળનું જણાવ્યું કારણ! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-02-03 13:40:33

વિસાવદરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ થોડા સમય પહેલા ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપી દીધું હતું. તે સમયથી રાહ જોવાઈ રહી હતી જ્યારે તે કેસરિયો ધારણ કરે. આજે પૂર્વ ધારાસભ્ય ભુપત ભાયાણીએ તેમજ પૂર્વ ધારાસભ્ય અરવિંદ લાડાણીએ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની હાજરીમાં કેસરિયો ધારણ કર્યો છે. સી.આર.પાટીલે બે પૂર્વ ધારાસભ્યનું સ્વાગત કર્યું છે. બે પૂર્વ ધારાસભ્યો ઉપરાંત મોટી સંખ્યામાં કાર્યકરો ભાજપમાં લોકસભા ચૂંટણી પહેલા જોડાયા છે.   

સી.આર.પાટીલે કર્યું પૂર્વ ધારાસભ્યનું વેલકમ!

ભાજપમાં ભરતી મેળો ચાલી રહ્યો છે. ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ નેતાઓ પોતાનો પક્ષ છોડી ભાજપનો કેસરિયો ધારણ કરી લેતા હોય છે. જ્યારે કોઈ ધારાસભ્ય, નેતા કે કોઈ કાર્યકર પાર્ટીમાંથી રાજીનામું આપે ત્યારે સામાન્ય રીતે એવું માનવામાં આવતું હોય છે કે તે થોડા સમયમાં તે ભાજપમાં જોડાઈ જશે. તાજેતરમાં અનેક ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું દીધું હતું તે સમયે લાગતું હતું કે બસ થોડા સમયમાં જ ભાજપમાં ભરતી મેળો શરૂ થવાનો છે. અને આજે ફરી એક વખત ભાજપમાં સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.વિસાવદરના પૂર્વ ધારાસભ્ય ભુપત ભાયાણી તેમજ અરવિંદ લાડાણી ભાજપમાં જોડાઈ ગયા છે. સી.આર.પાટીલે તેમનું ભાજપમાં ખેસ પહેરાવીને સ્વાગત કર્યું હતું.  



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે