ત્રિપુરાના પૂર્વ CM બિપ્લવ કુમાર દેવના વારસાગત મકાન પર કરાયો હુમલો, વાહનોને લગાવાઈ આગ


  • Published By :
  • Published Date : 2023-01-04 09:03:20

ત્રિપુરાના પૂર્વ મુખ્યમંત્રી બિપ્લવ કુમાર દેવના વારસાગત મકાન પર હુમલો કરવામાં આવ્યો છે. તોડફોડ કરી ગાડીમાં આગ લગાવી દેવામાં આવી હતી. આ ઘટનાનો આરોપ બીજેપીએ સીપીએમના સમર્થકો પર લગાવ્યો છે. મળતી માહિતી અનુસાર જ્યારે આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો તે દરમિયાન ઘરમાં કોઈ ન હતું.


ઘટનાનો આરોપ ભાજપે CPMના કાર્યકર્તા પર લગાવ્યો 

બિપ્લવ કુમાર દેવ જે ત્રિપુરાના પૂર્વ મુખ્યમંત્રી હતા તેમના ઘર બહાર અસામાજીક તત્વો દ્વારા તોડફોડ કરવામાં આવી હતી. ઉપરાંત આગ પણ લગાડવામાં આવી હતી. આ ઘટનાને લઈ ભાજપ આક્રામક મૂડમાં દેખાઈ રહ્યું છે. ભાજપે આ ઘટનાનો આરોપ CPMના કાર્યકર્તાઓ પર લગાવ્યો છે. પૂર્વ મુખ્યમંત્રીના વારસાઈ ઘર બહાર જે ઘટના બની તે ગોમતી જિલ્લા અંતર્ગત ઉદયપુર સબ ડિવીઝનના જમજુરીમાં આવેલું છે. 


અસામાજીક તત્વોએ લગાવી આગ 

ઘરને તો નુકસાન પહોંચાડવામાં આવ્યું છે પરંતુ પાર્ટીના ઝંડાને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. પાર્ટીના ઝંડાને નષ્ટ કરી દીધો હતો. જે દરમિયાન આ ઘટના બની તે સમયે ઘરમાં કોઈ હાજર ન હતું. પોલિસના જણાવ્યા અનુસાર વાહનોમાં પણ તોડફોડ કરવામાં આવી હતી અને આગ પણ લગાડવામાં આવી હતી.   



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.