ત્રિપુરાના પૂર્વ CM બિપ્લવ કુમાર દેવના વારસાગત મકાન પર કરાયો હુમલો, વાહનોને લગાવાઈ આગ


  • Published By :
  • Published Date : 2023-01-04 09:03:20

ત્રિપુરાના પૂર્વ મુખ્યમંત્રી બિપ્લવ કુમાર દેવના વારસાગત મકાન પર હુમલો કરવામાં આવ્યો છે. તોડફોડ કરી ગાડીમાં આગ લગાવી દેવામાં આવી હતી. આ ઘટનાનો આરોપ બીજેપીએ સીપીએમના સમર્થકો પર લગાવ્યો છે. મળતી માહિતી અનુસાર જ્યારે આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો તે દરમિયાન ઘરમાં કોઈ ન હતું.


ઘટનાનો આરોપ ભાજપે CPMના કાર્યકર્તા પર લગાવ્યો 

બિપ્લવ કુમાર દેવ જે ત્રિપુરાના પૂર્વ મુખ્યમંત્રી હતા તેમના ઘર બહાર અસામાજીક તત્વો દ્વારા તોડફોડ કરવામાં આવી હતી. ઉપરાંત આગ પણ લગાડવામાં આવી હતી. આ ઘટનાને લઈ ભાજપ આક્રામક મૂડમાં દેખાઈ રહ્યું છે. ભાજપે આ ઘટનાનો આરોપ CPMના કાર્યકર્તાઓ પર લગાવ્યો છે. પૂર્વ મુખ્યમંત્રીના વારસાઈ ઘર બહાર જે ઘટના બની તે ગોમતી જિલ્લા અંતર્ગત ઉદયપુર સબ ડિવીઝનના જમજુરીમાં આવેલું છે. 


અસામાજીક તત્વોએ લગાવી આગ 

ઘરને તો નુકસાન પહોંચાડવામાં આવ્યું છે પરંતુ પાર્ટીના ઝંડાને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. પાર્ટીના ઝંડાને નષ્ટ કરી દીધો હતો. જે દરમિયાન આ ઘટના બની તે સમયે ઘરમાં કોઈ હાજર ન હતું. પોલિસના જણાવ્યા અનુસાર વાહનોમાં પણ તોડફોડ કરવામાં આવી હતી અને આગ પણ લગાડવામાં આવી હતી.   



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.