ત્રિપુરાના પૂર્વ CM બિપ્લવ કુમાર દેવના વારસાગત મકાન પર કરાયો હુમલો, વાહનોને લગાવાઈ આગ


  • Published By :
  • Published Date : 2023-01-04 09:03:20

ત્રિપુરાના પૂર્વ મુખ્યમંત્રી બિપ્લવ કુમાર દેવના વારસાગત મકાન પર હુમલો કરવામાં આવ્યો છે. તોડફોડ કરી ગાડીમાં આગ લગાવી દેવામાં આવી હતી. આ ઘટનાનો આરોપ બીજેપીએ સીપીએમના સમર્થકો પર લગાવ્યો છે. મળતી માહિતી અનુસાર જ્યારે આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો તે દરમિયાન ઘરમાં કોઈ ન હતું.


ઘટનાનો આરોપ ભાજપે CPMના કાર્યકર્તા પર લગાવ્યો 

બિપ્લવ કુમાર દેવ જે ત્રિપુરાના પૂર્વ મુખ્યમંત્રી હતા તેમના ઘર બહાર અસામાજીક તત્વો દ્વારા તોડફોડ કરવામાં આવી હતી. ઉપરાંત આગ પણ લગાડવામાં આવી હતી. આ ઘટનાને લઈ ભાજપ આક્રામક મૂડમાં દેખાઈ રહ્યું છે. ભાજપે આ ઘટનાનો આરોપ CPMના કાર્યકર્તાઓ પર લગાવ્યો છે. પૂર્વ મુખ્યમંત્રીના વારસાઈ ઘર બહાર જે ઘટના બની તે ગોમતી જિલ્લા અંતર્ગત ઉદયપુર સબ ડિવીઝનના જમજુરીમાં આવેલું છે. 


અસામાજીક તત્વોએ લગાવી આગ 

ઘરને તો નુકસાન પહોંચાડવામાં આવ્યું છે પરંતુ પાર્ટીના ઝંડાને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. પાર્ટીના ઝંડાને નષ્ટ કરી દીધો હતો. જે દરમિયાન આ ઘટના બની તે સમયે ઘરમાં કોઈ હાજર ન હતું. પોલિસના જણાવ્યા અનુસાર વાહનોમાં પણ તોડફોડ કરવામાં આવી હતી અને આગ પણ લગાડવામાં આવી હતી.   



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.