ત્રિપુરાના પૂર્વ CM બિપ્લવ કુમાર દેવના વારસાગત મકાન પર કરાયો હુમલો, વાહનોને લગાવાઈ આગ


  • Published By :
  • Published Date : 2023-01-04 09:03:20

ત્રિપુરાના પૂર્વ મુખ્યમંત્રી બિપ્લવ કુમાર દેવના વારસાગત મકાન પર હુમલો કરવામાં આવ્યો છે. તોડફોડ કરી ગાડીમાં આગ લગાવી દેવામાં આવી હતી. આ ઘટનાનો આરોપ બીજેપીએ સીપીએમના સમર્થકો પર લગાવ્યો છે. મળતી માહિતી અનુસાર જ્યારે આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો તે દરમિયાન ઘરમાં કોઈ ન હતું.


ઘટનાનો આરોપ ભાજપે CPMના કાર્યકર્તા પર લગાવ્યો 

બિપ્લવ કુમાર દેવ જે ત્રિપુરાના પૂર્વ મુખ્યમંત્રી હતા તેમના ઘર બહાર અસામાજીક તત્વો દ્વારા તોડફોડ કરવામાં આવી હતી. ઉપરાંત આગ પણ લગાડવામાં આવી હતી. આ ઘટનાને લઈ ભાજપ આક્રામક મૂડમાં દેખાઈ રહ્યું છે. ભાજપે આ ઘટનાનો આરોપ CPMના કાર્યકર્તાઓ પર લગાવ્યો છે. પૂર્વ મુખ્યમંત્રીના વારસાઈ ઘર બહાર જે ઘટના બની તે ગોમતી જિલ્લા અંતર્ગત ઉદયપુર સબ ડિવીઝનના જમજુરીમાં આવેલું છે. 


અસામાજીક તત્વોએ લગાવી આગ 

ઘરને તો નુકસાન પહોંચાડવામાં આવ્યું છે પરંતુ પાર્ટીના ઝંડાને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. પાર્ટીના ઝંડાને નષ્ટ કરી દીધો હતો. જે દરમિયાન આ ઘટના બની તે સમયે ઘરમાં કોઈ હાજર ન હતું. પોલિસના જણાવ્યા અનુસાર વાહનોમાં પણ તોડફોડ કરવામાં આવી હતી અને આગ પણ લગાડવામાં આવી હતી.   



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.