એક જ પરિવારના ચાર સભ્યોએ દાંતીવાડા ડેમમાં લગાવી મોતની છલાંગ, સામૂહિક આત્મહત્યાથી પંથકમાં શોકની લહેર


  • Published By :
  • Published Date : 2023-11-05 16:57:46

રાજ્યમાં સામૂહિક આત્મહત્યાના કિસ્સા સતત વધી રહ્યા છે, સુરત બાદ હવે બનાસકાંઠાના પાલનપુર તાલુકાના નાની ભટામલ  ગામે એક જ પરિવારના ચાર લોકોએ દાંતીવાડા ડેમમાં પડી આપઘાત કરતા ચકચાર મચી ગઈ છે. સ્થાનિક લોકોએ ચારેયના મૃતદેહોને દાંતીવાડા ડેમમાં  ડેમમાથી બહાર કાઢી દીધા છે. આ તમામ મૃતદેહોને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા છે. એક જ પરિવારના 4 લોકોના મોત મામલે પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે, 4 લોકોએ અગમ્ય કારણોસર દાંતીવાડા ડેમમાં કૂદીને કરી લીધો આપઘાત કરતા પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.


ઘર કંકાસના કારણે આપઘાત


દાંતીવાડા ડેમમાં એક જ પરિવારના સાસુ,વહુ, દીકરી અને દીકરાએ સામુહિક રીતે આત્મહત્યા કરી લેતા પંથકમાં હાહાકાર મચી ગયો છે. કોઈના ત્રાસથી આત્મહત્યા કરી લીધી હોય તેવું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે. મૃતક પરણીતાના ભાઈએ બનેવી અને બહેનનાં સસરા સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પતિ અને સસરાના ઘર કંકાસમાં પત્ની, દીકરો, દીકરી અને સાસુએ આત્મહત્યા કર્યાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પોલીસએ મૃતક પરણીતાના ભાઈ પ્રવીણસિંહ ઠાકોરની ફરિયાદને આધારે પતિ નારણસીંગ ગેનસીંગ ચૌહાણ અને સસરા ગેનસીંગ સ્વરૂપસીંગ ચૌહાણ સામે 306નો ગુનો દાખલ કરી હાથ ધરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા આ લોકોના પરિવારજનો અને પાડોશીઓના નિવેદન લેવાની ગતિવિધી હાથ ધરી છે. આ ચકચારી ઘટનાના પગલે લોકોના ટોળે ટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યાં હતાં. તેમજ સમગ્ર દાંતીવાડા પંથકમાં શોકની લહેર વ્યાપી જવા પામી છે.  



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી