ગાડી પરથી કાબુ ગુમાવતા મુંબઈ-અમદાવાદ હાઈવે પર સર્જાયો અકસ્માત, ચાર લોકો મોતને ભેટ્યા


  • Published By :
  • Published Date : 2023-01-31 10:50:52

હાઈવે પર અનેક વખત અકસ્માત બનતા હોય છે. જેને કારણે લોકોને પોતાનો જીવ ગુમાવાનો વારો આવે છે. ત્યારે મંગળવારના દિવસે મુંબઈ-અમદાવાદ હાઈવે પર દુર્ઘટના સર્જાઈ છે જેમાં ચાર લોકોનો મોત ઘટના સ્થળ પર થયા છે. આ ગંભીર અકસ્માત કાર અને બસ વચ્ચે સર્જાયો છે. મળતી માહિતી અનુસાર ગુજરાતથી મુંબઈ જઈ રહેલી ગાડી બેકાબુ બની હતી અને બેકાબુ બનેલી ગાડી બસ સાથે ભટકાઈ ગઈ હતી જેને કારણે ચાર લોકોના મોત થયા છે.


ગાડી અને બસ વચ્ચે સર્જાયો અકસ્માત 

રોડ અકસ્માતોની સંખ્યામાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે. ઝડપની મજા અનેક વખત મોતની સજામાં ફેરવાઈ જતી હોય છે. અનેક કારણોસર અકસ્માત બનતા હોય છે. ત્યારે મુંબઈ-અમદાવાદ હાઈવે પર અકસ્માત થયો છે જેમાં બેકાબુ બનેલી ગાડી બસ સાથે અથડાઈ ગઈ છે. આ ગમખ્વાર અકસ્માતને કારણે ચાર લોકોના મોત થઈ ગયા છે. મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં આ અકસ્માત સર્જાયો છે. પોલીસે ઘટના સ્થળે આવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા હતા જ્યારે ઈજાગસ્તોને સારવાર માટે મોકલ્યાં હતા.    




આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.