ગાડી પરથી કાબુ ગુમાવતા મુંબઈ-અમદાવાદ હાઈવે પર સર્જાયો અકસ્માત, ચાર લોકો મોતને ભેટ્યા


  • Published By :
  • Published Date : 2023-01-31 10:50:52

હાઈવે પર અનેક વખત અકસ્માત બનતા હોય છે. જેને કારણે લોકોને પોતાનો જીવ ગુમાવાનો વારો આવે છે. ત્યારે મંગળવારના દિવસે મુંબઈ-અમદાવાદ હાઈવે પર દુર્ઘટના સર્જાઈ છે જેમાં ચાર લોકોનો મોત ઘટના સ્થળ પર થયા છે. આ ગંભીર અકસ્માત કાર અને બસ વચ્ચે સર્જાયો છે. મળતી માહિતી અનુસાર ગુજરાતથી મુંબઈ જઈ રહેલી ગાડી બેકાબુ બની હતી અને બેકાબુ બનેલી ગાડી બસ સાથે ભટકાઈ ગઈ હતી જેને કારણે ચાર લોકોના મોત થયા છે.


ગાડી અને બસ વચ્ચે સર્જાયો અકસ્માત 

રોડ અકસ્માતોની સંખ્યામાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે. ઝડપની મજા અનેક વખત મોતની સજામાં ફેરવાઈ જતી હોય છે. અનેક કારણોસર અકસ્માત બનતા હોય છે. ત્યારે મુંબઈ-અમદાવાદ હાઈવે પર અકસ્માત થયો છે જેમાં બેકાબુ બનેલી ગાડી બસ સાથે અથડાઈ ગઈ છે. આ ગમખ્વાર અકસ્માતને કારણે ચાર લોકોના મોત થઈ ગયા છે. મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં આ અકસ્માત સર્જાયો છે. પોલીસે ઘટના સ્થળે આવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા હતા જ્યારે ઈજાગસ્તોને સારવાર માટે મોકલ્યાં હતા.    




રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.