ગાડી પરથી કાબુ ગુમાવતા મુંબઈ-અમદાવાદ હાઈવે પર સર્જાયો અકસ્માત, ચાર લોકો મોતને ભેટ્યા


  • Published By :
  • Published Date : 2023-01-31 10:50:52

હાઈવે પર અનેક વખત અકસ્માત બનતા હોય છે. જેને કારણે લોકોને પોતાનો જીવ ગુમાવાનો વારો આવે છે. ત્યારે મંગળવારના દિવસે મુંબઈ-અમદાવાદ હાઈવે પર દુર્ઘટના સર્જાઈ છે જેમાં ચાર લોકોનો મોત ઘટના સ્થળ પર થયા છે. આ ગંભીર અકસ્માત કાર અને બસ વચ્ચે સર્જાયો છે. મળતી માહિતી અનુસાર ગુજરાતથી મુંબઈ જઈ રહેલી ગાડી બેકાબુ બની હતી અને બેકાબુ બનેલી ગાડી બસ સાથે ભટકાઈ ગઈ હતી જેને કારણે ચાર લોકોના મોત થયા છે.


ગાડી અને બસ વચ્ચે સર્જાયો અકસ્માત 

રોડ અકસ્માતોની સંખ્યામાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે. ઝડપની મજા અનેક વખત મોતની સજામાં ફેરવાઈ જતી હોય છે. અનેક કારણોસર અકસ્માત બનતા હોય છે. ત્યારે મુંબઈ-અમદાવાદ હાઈવે પર અકસ્માત થયો છે જેમાં બેકાબુ બનેલી ગાડી બસ સાથે અથડાઈ ગઈ છે. આ ગમખ્વાર અકસ્માતને કારણે ચાર લોકોના મોત થઈ ગયા છે. મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં આ અકસ્માત સર્જાયો છે. પોલીસે ઘટના સ્થળે આવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા હતા જ્યારે ઈજાગસ્તોને સારવાર માટે મોકલ્યાં હતા.    




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.