ગાડી પરથી કાબુ ગુમાવતા મુંબઈ-અમદાવાદ હાઈવે પર સર્જાયો અકસ્માત, ચાર લોકો મોતને ભેટ્યા


  • Published By :
  • Published Date : 2023-01-31 10:50:52

હાઈવે પર અનેક વખત અકસ્માત બનતા હોય છે. જેને કારણે લોકોને પોતાનો જીવ ગુમાવાનો વારો આવે છે. ત્યારે મંગળવારના દિવસે મુંબઈ-અમદાવાદ હાઈવે પર દુર્ઘટના સર્જાઈ છે જેમાં ચાર લોકોનો મોત ઘટના સ્થળ પર થયા છે. આ ગંભીર અકસ્માત કાર અને બસ વચ્ચે સર્જાયો છે. મળતી માહિતી અનુસાર ગુજરાતથી મુંબઈ જઈ રહેલી ગાડી બેકાબુ બની હતી અને બેકાબુ બનેલી ગાડી બસ સાથે ભટકાઈ ગઈ હતી જેને કારણે ચાર લોકોના મોત થયા છે.


ગાડી અને બસ વચ્ચે સર્જાયો અકસ્માત 

રોડ અકસ્માતોની સંખ્યામાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે. ઝડપની મજા અનેક વખત મોતની સજામાં ફેરવાઈ જતી હોય છે. અનેક કારણોસર અકસ્માત બનતા હોય છે. ત્યારે મુંબઈ-અમદાવાદ હાઈવે પર અકસ્માત થયો છે જેમાં બેકાબુ બનેલી ગાડી બસ સાથે અથડાઈ ગઈ છે. આ ગમખ્વાર અકસ્માતને કારણે ચાર લોકોના મોત થઈ ગયા છે. મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં આ અકસ્માત સર્જાયો છે. પોલીસે ઘટના સ્થળે આવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા હતા જ્યારે ઈજાગસ્તોને સારવાર માટે મોકલ્યાં હતા.    




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.