આજથી આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકેની જવાબદારી સંભાળશે ઈસુદાન ગઢવી


  • Published By :
  • Published Date : 2023-01-16 09:34:36

ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ 5 સીટો પર વિજય મેળવ્યો હતો. ગુજરાતની ચૂંટણી પૂર્ણ થયા બાદ આમ આદમી પાર્ટીએ પોતાના સંગઠનમાં ફેરફાર કર્યા છે. ઈસુદાન ગઢવી,ગોપાલ ઈટાલિયા સહિતના નેતાઓને જવાબદારી સોંપવામાં આવી છે. આમ આદમી પાર્ટીના નવા પ્રદેશ અધ્યક્ષ તરીકે ઈસુદાન ગઢવી આજે શપથ લેવાના છે. 


ઈસુદાન ગઢવી બનશે નવા પ્રદેશ અધ્યક્ષ 

આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પૂર્ણ થઈ તે બાદ સંગઠનમાં અનેક મોટા ફેરફાર કર્યા છે. જવાબદારીઓમાં ફેરફાર કરવામાં આવ્યા છે. ચૂંટણી પૂર્ણ થયા બાદ ગોપાલ ઈટાલિયાને નેશનલ જોઈન્ટ સેક્રેટરી બનાવી મહારાષ્ટ્રના સહપ્રભારી તરીકેની જવાબદારી સોંપી છે. ઉપરાંત નવા પ્રદેશ અધ્યક્ષ તરીકેની જવાબદારી ઈસુદાન ગઢવીને સોંપવામાં આવી છે. 


સંગઠનમાં કરાયા છે અનેક ફેરફાર 

4 જાન્યુઆરીના રોજ આમ આદમી પાર્ટીએ ગુજરાતના આમ આદમી પાર્ટીના સંગઠનમાં ફેરફાર કર્યા છે. ચૂંટણી પહેલા પ્રદેશ અધ્યક્ષ તરીકેની ભૂમિકા ગોપાલ ઈટાલિયા સંભાળતા પરંતુ હવેથી આ જવાબદારી ઈસુદાન ગઢવીને સંભાળવી પડશે. ઉપરાંત ઝોન પ્રમાણે પણ પાર્ટીએ કાર્યકારી અધ્યક્ષ નિયુક્ત કરી તેમને જવાબદારી સોંપી છે. નવરંગપૂરામાં આવેલી કાર્યાલયની ઓફિસ ખાતે ઈસુદાન ગઢવી શપથ લેવાના છે. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.