આજથી આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકેની જવાબદારી સંભાળશે ઈસુદાન ગઢવી


  • Published By :
  • Published Date : 2023-01-16 09:34:36

ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ 5 સીટો પર વિજય મેળવ્યો હતો. ગુજરાતની ચૂંટણી પૂર્ણ થયા બાદ આમ આદમી પાર્ટીએ પોતાના સંગઠનમાં ફેરફાર કર્યા છે. ઈસુદાન ગઢવી,ગોપાલ ઈટાલિયા સહિતના નેતાઓને જવાબદારી સોંપવામાં આવી છે. આમ આદમી પાર્ટીના નવા પ્રદેશ અધ્યક્ષ તરીકે ઈસુદાન ગઢવી આજે શપથ લેવાના છે. 


ઈસુદાન ગઢવી બનશે નવા પ્રદેશ અધ્યક્ષ 

આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પૂર્ણ થઈ તે બાદ સંગઠનમાં અનેક મોટા ફેરફાર કર્યા છે. જવાબદારીઓમાં ફેરફાર કરવામાં આવ્યા છે. ચૂંટણી પૂર્ણ થયા બાદ ગોપાલ ઈટાલિયાને નેશનલ જોઈન્ટ સેક્રેટરી બનાવી મહારાષ્ટ્રના સહપ્રભારી તરીકેની જવાબદારી સોંપી છે. ઉપરાંત નવા પ્રદેશ અધ્યક્ષ તરીકેની જવાબદારી ઈસુદાન ગઢવીને સોંપવામાં આવી છે. 


સંગઠનમાં કરાયા છે અનેક ફેરફાર 

4 જાન્યુઆરીના રોજ આમ આદમી પાર્ટીએ ગુજરાતના આમ આદમી પાર્ટીના સંગઠનમાં ફેરફાર કર્યા છે. ચૂંટણી પહેલા પ્રદેશ અધ્યક્ષ તરીકેની ભૂમિકા ગોપાલ ઈટાલિયા સંભાળતા પરંતુ હવેથી આ જવાબદારી ઈસુદાન ગઢવીને સંભાળવી પડશે. ઉપરાંત ઝોન પ્રમાણે પણ પાર્ટીએ કાર્યકારી અધ્યક્ષ નિયુક્ત કરી તેમને જવાબદારી સોંપી છે. નવરંગપૂરામાં આવેલી કાર્યાલયની ઓફિસ ખાતે ઈસુદાન ગઢવી શપથ લેવાના છે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.