આજથી આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકેની જવાબદારી સંભાળશે ઈસુદાન ગઢવી


  • Published By :
  • Published Date : 2023-01-16 09:34:36

ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ 5 સીટો પર વિજય મેળવ્યો હતો. ગુજરાતની ચૂંટણી પૂર્ણ થયા બાદ આમ આદમી પાર્ટીએ પોતાના સંગઠનમાં ફેરફાર કર્યા છે. ઈસુદાન ગઢવી,ગોપાલ ઈટાલિયા સહિતના નેતાઓને જવાબદારી સોંપવામાં આવી છે. આમ આદમી પાર્ટીના નવા પ્રદેશ અધ્યક્ષ તરીકે ઈસુદાન ગઢવી આજે શપથ લેવાના છે. 


ઈસુદાન ગઢવી બનશે નવા પ્રદેશ અધ્યક્ષ 

આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પૂર્ણ થઈ તે બાદ સંગઠનમાં અનેક મોટા ફેરફાર કર્યા છે. જવાબદારીઓમાં ફેરફાર કરવામાં આવ્યા છે. ચૂંટણી પૂર્ણ થયા બાદ ગોપાલ ઈટાલિયાને નેશનલ જોઈન્ટ સેક્રેટરી બનાવી મહારાષ્ટ્રના સહપ્રભારી તરીકેની જવાબદારી સોંપી છે. ઉપરાંત નવા પ્રદેશ અધ્યક્ષ તરીકેની જવાબદારી ઈસુદાન ગઢવીને સોંપવામાં આવી છે. 


સંગઠનમાં કરાયા છે અનેક ફેરફાર 

4 જાન્યુઆરીના રોજ આમ આદમી પાર્ટીએ ગુજરાતના આમ આદમી પાર્ટીના સંગઠનમાં ફેરફાર કર્યા છે. ચૂંટણી પહેલા પ્રદેશ અધ્યક્ષ તરીકેની ભૂમિકા ગોપાલ ઈટાલિયા સંભાળતા પરંતુ હવેથી આ જવાબદારી ઈસુદાન ગઢવીને સંભાળવી પડશે. ઉપરાંત ઝોન પ્રમાણે પણ પાર્ટીએ કાર્યકારી અધ્યક્ષ નિયુક્ત કરી તેમને જવાબદારી સોંપી છે. નવરંગપૂરામાં આવેલી કાર્યાલયની ઓફિસ ખાતે ઈસુદાન ગઢવી શપથ લેવાના છે. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.