પ્રધાનમંત્રી મોદીએ બ્રિટનના PM ઋષિ સુનક સાથે મુલાકાત યોજી, વિવિધ મુદ્દાઓ પર કરી ચર્ચા


  • Published By :
  • Published Date : 2022-11-15 13:59:12

ઈન્ડોનેશિયામાં આજથી શરૂ થયેલા બે દિવસના 17માં જી-20 શિખર સંમેલનમાં ઉપસ્થિત રહેવા માટે પ્રધાનમંત્રી મોદી બાલી પહોંચ્યા હતા. આ સંમેલનમાં તેમણે અન્ય દેશોના પ્રધાનમંત્રીઓ અને પ્રમુખો સાથે મુલાકાત કરી હતી. જેમાં બ્રિટનના ભારતીય મુળના વડાપ્રધાન ઋષિ સુનકનો પણ સમાવેશ થતો હતો. 


પીએમ મોદીની ઋષિ સુનક સાથે બેઠક


જી-20 શિખર વાર્તા દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના બ્રિટીશ સમકક્ષ ઋષિ સુનક સાથે બેઠક યોજી હતી. આ મુલાકાત દરમિયાન બંને નેતાઓએ વિવિધ વૈશ્વિક સમસ્યાઓ અને મુદ્દાઓ અંગે ચર્ચા કરી હતી. પીએમ મોદીની યુકેના પીએમ ઋષિ સુનક સાથે આ અનૌપચારિક મુલાકાત કરી હતી.


તે ઉપરાંત પીએમ મોદીએ અમેરિકાના પ્રુમખ જો બિડેન અને ફ્રાંસના પ્રમુખ ઈમેન્યુએલ મૈક્રો સાથે પણ મુલાકાત કરી હતી. આ તમામ મુલાકાત દ્વિપક્ષીય નહીં પણ અનૌપચારિક છે.



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.