પ્રધાનમંત્રી મોદીએ બ્રિટનના PM ઋષિ સુનક સાથે મુલાકાત યોજી, વિવિધ મુદ્દાઓ પર કરી ચર્ચા


  • Published By :
  • Published Date : 2022-11-15 13:59:12

ઈન્ડોનેશિયામાં આજથી શરૂ થયેલા બે દિવસના 17માં જી-20 શિખર સંમેલનમાં ઉપસ્થિત રહેવા માટે પ્રધાનમંત્રી મોદી બાલી પહોંચ્યા હતા. આ સંમેલનમાં તેમણે અન્ય દેશોના પ્રધાનમંત્રીઓ અને પ્રમુખો સાથે મુલાકાત કરી હતી. જેમાં બ્રિટનના ભારતીય મુળના વડાપ્રધાન ઋષિ સુનકનો પણ સમાવેશ થતો હતો. 


પીએમ મોદીની ઋષિ સુનક સાથે બેઠક


જી-20 શિખર વાર્તા દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના બ્રિટીશ સમકક્ષ ઋષિ સુનક સાથે બેઠક યોજી હતી. આ મુલાકાત દરમિયાન બંને નેતાઓએ વિવિધ વૈશ્વિક સમસ્યાઓ અને મુદ્દાઓ અંગે ચર્ચા કરી હતી. પીએમ મોદીની યુકેના પીએમ ઋષિ સુનક સાથે આ અનૌપચારિક મુલાકાત કરી હતી.


તે ઉપરાંત પીએમ મોદીએ અમેરિકાના પ્રુમખ જો બિડેન અને ફ્રાંસના પ્રમુખ ઈમેન્યુએલ મૈક્રો સાથે પણ મુલાકાત કરી હતી. આ તમામ મુલાકાત દ્વિપક્ષીય નહીં પણ અનૌપચારિક છે.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.