પ્રધાનમંત્રી મોદીએ બ્રિટનના PM ઋષિ સુનક સાથે મુલાકાત યોજી, વિવિધ મુદ્દાઓ પર કરી ચર્ચા


  • Published By :
  • Published Date : 2022-11-15 13:59:12

ઈન્ડોનેશિયામાં આજથી શરૂ થયેલા બે દિવસના 17માં જી-20 શિખર સંમેલનમાં ઉપસ્થિત રહેવા માટે પ્રધાનમંત્રી મોદી બાલી પહોંચ્યા હતા. આ સંમેલનમાં તેમણે અન્ય દેશોના પ્રધાનમંત્રીઓ અને પ્રમુખો સાથે મુલાકાત કરી હતી. જેમાં બ્રિટનના ભારતીય મુળના વડાપ્રધાન ઋષિ સુનકનો પણ સમાવેશ થતો હતો. 


પીએમ મોદીની ઋષિ સુનક સાથે બેઠક


જી-20 શિખર વાર્તા દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના બ્રિટીશ સમકક્ષ ઋષિ સુનક સાથે બેઠક યોજી હતી. આ મુલાકાત દરમિયાન બંને નેતાઓએ વિવિધ વૈશ્વિક સમસ્યાઓ અને મુદ્દાઓ અંગે ચર્ચા કરી હતી. પીએમ મોદીની યુકેના પીએમ ઋષિ સુનક સાથે આ અનૌપચારિક મુલાકાત કરી હતી.


તે ઉપરાંત પીએમ મોદીએ અમેરિકાના પ્રુમખ જો બિડેન અને ફ્રાંસના પ્રમુખ ઈમેન્યુએલ મૈક્રો સાથે પણ મુલાકાત કરી હતી. આ તમામ મુલાકાત દ્વિપક્ષીય નહીં પણ અનૌપચારિક છે.



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.