ગદર-2 ફિલ્મ પહેલા સિનેમા ઘરોમાં રિલીઝ થશે 'ગદર'! સની દેઓલે સોશિયલ મીડિયા પર શેર કરી જાણકારી!


  • Published By :
  • Published Date : 2023-05-27 17:35:43

ગદર 2 ફિલ્મ થોડા સમય બાદ રિલીઝ થવાની છે. સની દેઓલ અને અમીષા પટેલની જોડીએ ગદર ફિલ્મમાં ધૂમ મચાવી હતી. વર્ષ 2001માં ગદર: એક પ્રેમ કથા ફિલ્મ રિલીઝ થઈ હતી. બોક્સ ઓફિસ પર ફિલ્મને દર્શકોનો ભરપૂર પ્રેમ મળ્યો હતો. ત્યારે ગદર-2 ફિલ્મની રિલીઝ પહેલા ગદર ફિલ્મ 22 વર્ષ પછી ફરી એક વખત રિલીઝ થવાની છે. ઝી સ્ટુડિયો પહેલા આ અંગે જાહેરાત કરવામાં આવી હતી.

  

આ તારીખે રિલીઝ થવાની છે ગદર-2 ફિલ્મ!

11 ઓગષ્ટ 2023ના રોજ સની દેઓલ અને અમીષા પટેલની ફિલ્મ ગદર-2 રિલીઝ થવાની છે. ગદર ફિલ્મને લઈ સની દેઓલે પોતાના સોશિયલ મીડિયા પર ફિલ્મ ગદર : એક પ્રેમ કથાનું પોસ્ટર શેર કર્યું છે. ફોટો શેર કરતા અભિનેતાએ કેપ્શનમાં લખ્યું  કે 'વો હી પ્યાર, વો હી કહાની, પર ઈસ બાર અલગ એહસાસ!' ગદર: એક પ્રેમ કથા ફરી એકવાર સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. 9 જૂનના રોજ 4K અને ડોલ્બી એટમોસ સાઉન્ડની સાથે ફિલ્મ રિલીઝ થશે. તે પણ લિમિટેડ પીરિયડ માટે. 



ફિલ્મમાં જોવા મળશે આ કલાકારો!  

સોશિયલ મીડિયા પર સની દેઓલે ગદરનું ટ્રેલર રિલીઝ કર્યું છે. જેમાં ફિલ્મના અમુક સીન્સ જોવા મળી રહ્યા છે. ટ્રેલર પર દર્શકોનો સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. ગદરને મળેલા સારા રિસ્પોન્સને જોતા ફિલ્મના નિર્દેશક અનિલ શર્મા ગદરની સિક્વલ લાવી રહ્યા છે. ગદર-2માં પણ તારા સિંહની ભૂમિકા સની દેઓલ ભજવી રહ્યા છે જ્યારે સકીનાની ભૂમિકા અમિષા પટેલ ભજવી રહ્યા છે. ગદરનું ટ્રેલર જોઈ લોકો પાગલ થઈ રહ્યા છે..             



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.