ગદર-2 ફિલ્મ પહેલા સિનેમા ઘરોમાં રિલીઝ થશે 'ગદર'! સની દેઓલે સોશિયલ મીડિયા પર શેર કરી જાણકારી!


  • Published By :
  • Published Date : 2023-05-27 17:35:43

ગદર 2 ફિલ્મ થોડા સમય બાદ રિલીઝ થવાની છે. સની દેઓલ અને અમીષા પટેલની જોડીએ ગદર ફિલ્મમાં ધૂમ મચાવી હતી. વર્ષ 2001માં ગદર: એક પ્રેમ કથા ફિલ્મ રિલીઝ થઈ હતી. બોક્સ ઓફિસ પર ફિલ્મને દર્શકોનો ભરપૂર પ્રેમ મળ્યો હતો. ત્યારે ગદર-2 ફિલ્મની રિલીઝ પહેલા ગદર ફિલ્મ 22 વર્ષ પછી ફરી એક વખત રિલીઝ થવાની છે. ઝી સ્ટુડિયો પહેલા આ અંગે જાહેરાત કરવામાં આવી હતી.

  

આ તારીખે રિલીઝ થવાની છે ગદર-2 ફિલ્મ!

11 ઓગષ્ટ 2023ના રોજ સની દેઓલ અને અમીષા પટેલની ફિલ્મ ગદર-2 રિલીઝ થવાની છે. ગદર ફિલ્મને લઈ સની દેઓલે પોતાના સોશિયલ મીડિયા પર ફિલ્મ ગદર : એક પ્રેમ કથાનું પોસ્ટર શેર કર્યું છે. ફોટો શેર કરતા અભિનેતાએ કેપ્શનમાં લખ્યું  કે 'વો હી પ્યાર, વો હી કહાની, પર ઈસ બાર અલગ એહસાસ!' ગદર: એક પ્રેમ કથા ફરી એકવાર સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. 9 જૂનના રોજ 4K અને ડોલ્બી એટમોસ સાઉન્ડની સાથે ફિલ્મ રિલીઝ થશે. તે પણ લિમિટેડ પીરિયડ માટે. 



ફિલ્મમાં જોવા મળશે આ કલાકારો!  

સોશિયલ મીડિયા પર સની દેઓલે ગદરનું ટ્રેલર રિલીઝ કર્યું છે. જેમાં ફિલ્મના અમુક સીન્સ જોવા મળી રહ્યા છે. ટ્રેલર પર દર્શકોનો સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. ગદરને મળેલા સારા રિસ્પોન્સને જોતા ફિલ્મના નિર્દેશક અનિલ શર્મા ગદરની સિક્વલ લાવી રહ્યા છે. ગદર-2માં પણ તારા સિંહની ભૂમિકા સની દેઓલ ભજવી રહ્યા છે જ્યારે સકીનાની ભૂમિકા અમિષા પટેલ ભજવી રહ્યા છે. ગદરનું ટ્રેલર જોઈ લોકો પાગલ થઈ રહ્યા છે..             



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી