ગદર-2 ફિલ્મ પહેલા સિનેમા ઘરોમાં રિલીઝ થશે 'ગદર'! સની દેઓલે સોશિયલ મીડિયા પર શેર કરી જાણકારી!


  • Published By :
  • Published Date : 2023-05-27 17:35:43

ગદર 2 ફિલ્મ થોડા સમય બાદ રિલીઝ થવાની છે. સની દેઓલ અને અમીષા પટેલની જોડીએ ગદર ફિલ્મમાં ધૂમ મચાવી હતી. વર્ષ 2001માં ગદર: એક પ્રેમ કથા ફિલ્મ રિલીઝ થઈ હતી. બોક્સ ઓફિસ પર ફિલ્મને દર્શકોનો ભરપૂર પ્રેમ મળ્યો હતો. ત્યારે ગદર-2 ફિલ્મની રિલીઝ પહેલા ગદર ફિલ્મ 22 વર્ષ પછી ફરી એક વખત રિલીઝ થવાની છે. ઝી સ્ટુડિયો પહેલા આ અંગે જાહેરાત કરવામાં આવી હતી.

  

આ તારીખે રિલીઝ થવાની છે ગદર-2 ફિલ્મ!

11 ઓગષ્ટ 2023ના રોજ સની દેઓલ અને અમીષા પટેલની ફિલ્મ ગદર-2 રિલીઝ થવાની છે. ગદર ફિલ્મને લઈ સની દેઓલે પોતાના સોશિયલ મીડિયા પર ફિલ્મ ગદર : એક પ્રેમ કથાનું પોસ્ટર શેર કર્યું છે. ફોટો શેર કરતા અભિનેતાએ કેપ્શનમાં લખ્યું  કે 'વો હી પ્યાર, વો હી કહાની, પર ઈસ બાર અલગ એહસાસ!' ગદર: એક પ્રેમ કથા ફરી એકવાર સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. 9 જૂનના રોજ 4K અને ડોલ્બી એટમોસ સાઉન્ડની સાથે ફિલ્મ રિલીઝ થશે. તે પણ લિમિટેડ પીરિયડ માટે. 



ફિલ્મમાં જોવા મળશે આ કલાકારો!  

સોશિયલ મીડિયા પર સની દેઓલે ગદરનું ટ્રેલર રિલીઝ કર્યું છે. જેમાં ફિલ્મના અમુક સીન્સ જોવા મળી રહ્યા છે. ટ્રેલર પર દર્શકોનો સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. ગદરને મળેલા સારા રિસ્પોન્સને જોતા ફિલ્મના નિર્દેશક અનિલ શર્મા ગદરની સિક્વલ લાવી રહ્યા છે. ગદર-2માં પણ તારા સિંહની ભૂમિકા સની દેઓલ ભજવી રહ્યા છે જ્યારે સકીનાની ભૂમિકા અમિષા પટેલ ભજવી રહ્યા છે. ગદરનું ટ્રેલર જોઈ લોકો પાગલ થઈ રહ્યા છે..             



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .