Rajkotમાં થયો ગમખ્વાર અકસ્માત, રામાપીર મંદિર પાસે બાઈક અને ટેન્કર વચ્ચે થઈ ટક્કર, ઘટના સ્થળ પર નિપજ્યું મોત, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-01-29 14:20:06

અકસ્માત...  આ શબ્દ સાનમાન્ય બની ગયો છે. અકસ્માતના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે જેમાં કોઈ વ્યક્તિ મોતને ભેટે છે. અકસ્માત પાછળ અનેક કારણો જવાબદાર હોય છે જેમ કે ઓવરસ્પીડિંગ, રોંગ સાઈડમાં આવતું વાહન વગેરે વગેરે... અકસ્માતની વાત એટલા માટે કરવી છે કારણ કે એક અકસ્માત રાજકોટમાં બન્યો છે જેમાં પિતા અને તેમના પુત્રનું મોત ઘટનાસ્થળ પર નિપજ્યું છે. મળતી માહિતી અનુસાર આ અકસ્માત રામાપીરના મંદિર પાસે ટેન્કર અને બાઈક વચ્ચે સર્જાયો છે. આ અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જે પિતા પુત્રનું મોત થયું છે તેમનું નામ અજય પરમાર અને શૈલેષ પરમાર છે. 

 

ઘટના સ્થળ પર નિપજ્યું મોત!

અકસ્માતોની સંખ્યામાં ધરખમ વધારો થયો છે. અનેક પરિવારોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા છે. અનેક વખત અકસ્માત એટલા ભયંકર હોય છે કે ઘટનાસ્થળ પર જ લોકો મોતને ભેટતા હોય છે. ત્યારે એક અકસ્માત રાજકોટમાં સર્જાયો છે. ટેન્કર અને બાઈક વચ્ચે ટક્કર થતા ઘટનાસ્થળ પર પિતા અને પુત્રનું મોત થઈ ગયું છે તેવી માહિતી સામે આવી છે. ટેન્કરના ટાયર નીચે માથુ આવી જવાને કારણે આ દુર્ઘટના સર્જાઈ છે. મળતી માહિતી અનુસાર સંત કબીર રોડ પર રામાપીરના મંદિર પાસે આ દુર્ઘટના સર્જાઈ છે. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ત્યાં આવી પહોંચ્યો હતો અને મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 


ખરાબ રસ્તાને કારણે ગયું ગાડીનું બેલેન્સ અને...  

આ ઘટનાના સીસી ટીવી ફૂટેજ સામે આવ્યા છે. ફૂટેજ પ્રમાણે ખરાબ રસ્તાને કારણે બાઈકનું બેલેન્સ બગડ્યું. વાહનનું બેલેન્સ બગડતા વાહન સ્લીપ થયું અને પાછળથી ટેન્કર આવી ગયું અને તેમના માથા પર ફરી વળ્યું. અને અકસ્માત સર્જાયો છે. આ ઘટના સવારે 8.30 વાગ્યાની આસપાસ બની હતી તેવી માહિતી સામે આવી છે. પિતા અને પુત્ર બાઈક પર જઈ રહ્યા હતા ત્યારે ખરાબ રસ્તાને કારણે બાઈક ચાલકે બેલેન્સ ગુમાવ્યું. બંને નીચે પટકાયા અને માથું ટેન્કરના પાછળના ટાયરમાં આવી ગયું અને દુર્ઘટના સર્જાઈ હતી. મળતી માહિતી અનુસાર ટેન્કર ચાલક સામે ફરિયાદ નોંધવામાં આવી છે. 


અકસ્માતોની સંખ્યામાં થયો છે ધરખમ વધારો 

ઉલ્લેખનિય છે કે અકસ્માતોની સંખ્યામાં વધારો થયો છે. ઘરેથી નીકળેલો માણસ પાછો આવશે કે નહીં તેની ખબર પણ નથી રહેતી. અકસ્માતોની સંખ્યા એ હદ સુધી વધી ગઈ છે કે જ્યાં સુધી માણસ ઘરે પાછો નથી આવતો ત્યાં સુધી ટેન્શન રહ્યા કરે છે. ખરાબ રસ્તો તો એક મોટો પ્રશ્ન બની ગયો છે. અનેક વખત અકસ્માત બિસ્માર રસ્તાને કારણે સર્જાય છે અને લોકો મોતને ભેટે છે.     



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે