Rajkotમાં થયો ગમખ્વાર અકસ્માત, રામાપીર મંદિર પાસે બાઈક અને ટેન્કર વચ્ચે થઈ ટક્કર, ઘટના સ્થળ પર નિપજ્યું મોત, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-01-29 14:20:06

અકસ્માત...  આ શબ્દ સાનમાન્ય બની ગયો છે. અકસ્માતના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે જેમાં કોઈ વ્યક્તિ મોતને ભેટે છે. અકસ્માત પાછળ અનેક કારણો જવાબદાર હોય છે જેમ કે ઓવરસ્પીડિંગ, રોંગ સાઈડમાં આવતું વાહન વગેરે વગેરે... અકસ્માતની વાત એટલા માટે કરવી છે કારણ કે એક અકસ્માત રાજકોટમાં બન્યો છે જેમાં પિતા અને તેમના પુત્રનું મોત ઘટનાસ્થળ પર નિપજ્યું છે. મળતી માહિતી અનુસાર આ અકસ્માત રામાપીરના મંદિર પાસે ટેન્કર અને બાઈક વચ્ચે સર્જાયો છે. આ અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જે પિતા પુત્રનું મોત થયું છે તેમનું નામ અજય પરમાર અને શૈલેષ પરમાર છે. 

 

ઘટના સ્થળ પર નિપજ્યું મોત!

અકસ્માતોની સંખ્યામાં ધરખમ વધારો થયો છે. અનેક પરિવારોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા છે. અનેક વખત અકસ્માત એટલા ભયંકર હોય છે કે ઘટનાસ્થળ પર જ લોકો મોતને ભેટતા હોય છે. ત્યારે એક અકસ્માત રાજકોટમાં સર્જાયો છે. ટેન્કર અને બાઈક વચ્ચે ટક્કર થતા ઘટનાસ્થળ પર પિતા અને પુત્રનું મોત થઈ ગયું છે તેવી માહિતી સામે આવી છે. ટેન્કરના ટાયર નીચે માથુ આવી જવાને કારણે આ દુર્ઘટના સર્જાઈ છે. મળતી માહિતી અનુસાર સંત કબીર રોડ પર રામાપીરના મંદિર પાસે આ દુર્ઘટના સર્જાઈ છે. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ત્યાં આવી પહોંચ્યો હતો અને મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 


ખરાબ રસ્તાને કારણે ગયું ગાડીનું બેલેન્સ અને...  

આ ઘટનાના સીસી ટીવી ફૂટેજ સામે આવ્યા છે. ફૂટેજ પ્રમાણે ખરાબ રસ્તાને કારણે બાઈકનું બેલેન્સ બગડ્યું. વાહનનું બેલેન્સ બગડતા વાહન સ્લીપ થયું અને પાછળથી ટેન્કર આવી ગયું અને તેમના માથા પર ફરી વળ્યું. અને અકસ્માત સર્જાયો છે. આ ઘટના સવારે 8.30 વાગ્યાની આસપાસ બની હતી તેવી માહિતી સામે આવી છે. પિતા અને પુત્ર બાઈક પર જઈ રહ્યા હતા ત્યારે ખરાબ રસ્તાને કારણે બાઈક ચાલકે બેલેન્સ ગુમાવ્યું. બંને નીચે પટકાયા અને માથું ટેન્કરના પાછળના ટાયરમાં આવી ગયું અને દુર્ઘટના સર્જાઈ હતી. મળતી માહિતી અનુસાર ટેન્કર ચાલક સામે ફરિયાદ નોંધવામાં આવી છે. 


અકસ્માતોની સંખ્યામાં થયો છે ધરખમ વધારો 

ઉલ્લેખનિય છે કે અકસ્માતોની સંખ્યામાં વધારો થયો છે. ઘરેથી નીકળેલો માણસ પાછો આવશે કે નહીં તેની ખબર પણ નથી રહેતી. અકસ્માતોની સંખ્યા એ હદ સુધી વધી ગઈ છે કે જ્યાં સુધી માણસ ઘરે પાછો નથી આવતો ત્યાં સુધી ટેન્શન રહ્યા કરે છે. ખરાબ રસ્તો તો એક મોટો પ્રશ્ન બની ગયો છે. અનેક વખત અકસ્માત બિસ્માર રસ્તાને કારણે સર્જાય છે અને લોકો મોતને ભેટે છે.     



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.