Rajkotમાં થયો ગમખ્વાર અકસ્માત, રામાપીર મંદિર પાસે બાઈક અને ટેન્કર વચ્ચે થઈ ટક્કર, ઘટના સ્થળ પર નિપજ્યું મોત, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-01-29 14:20:06

અકસ્માત...  આ શબ્દ સાનમાન્ય બની ગયો છે. અકસ્માતના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે જેમાં કોઈ વ્યક્તિ મોતને ભેટે છે. અકસ્માત પાછળ અનેક કારણો જવાબદાર હોય છે જેમ કે ઓવરસ્પીડિંગ, રોંગ સાઈડમાં આવતું વાહન વગેરે વગેરે... અકસ્માતની વાત એટલા માટે કરવી છે કારણ કે એક અકસ્માત રાજકોટમાં બન્યો છે જેમાં પિતા અને તેમના પુત્રનું મોત ઘટનાસ્થળ પર નિપજ્યું છે. મળતી માહિતી અનુસાર આ અકસ્માત રામાપીરના મંદિર પાસે ટેન્કર અને બાઈક વચ્ચે સર્જાયો છે. આ અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જે પિતા પુત્રનું મોત થયું છે તેમનું નામ અજય પરમાર અને શૈલેષ પરમાર છે. 

 

ઘટના સ્થળ પર નિપજ્યું મોત!

અકસ્માતોની સંખ્યામાં ધરખમ વધારો થયો છે. અનેક પરિવારોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા છે. અનેક વખત અકસ્માત એટલા ભયંકર હોય છે કે ઘટનાસ્થળ પર જ લોકો મોતને ભેટતા હોય છે. ત્યારે એક અકસ્માત રાજકોટમાં સર્જાયો છે. ટેન્કર અને બાઈક વચ્ચે ટક્કર થતા ઘટનાસ્થળ પર પિતા અને પુત્રનું મોત થઈ ગયું છે તેવી માહિતી સામે આવી છે. ટેન્કરના ટાયર નીચે માથુ આવી જવાને કારણે આ દુર્ઘટના સર્જાઈ છે. મળતી માહિતી અનુસાર સંત કબીર રોડ પર રામાપીરના મંદિર પાસે આ દુર્ઘટના સર્જાઈ છે. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ત્યાં આવી પહોંચ્યો હતો અને મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 


ખરાબ રસ્તાને કારણે ગયું ગાડીનું બેલેન્સ અને...  

આ ઘટનાના સીસી ટીવી ફૂટેજ સામે આવ્યા છે. ફૂટેજ પ્રમાણે ખરાબ રસ્તાને કારણે બાઈકનું બેલેન્સ બગડ્યું. વાહનનું બેલેન્સ બગડતા વાહન સ્લીપ થયું અને પાછળથી ટેન્કર આવી ગયું અને તેમના માથા પર ફરી વળ્યું. અને અકસ્માત સર્જાયો છે. આ ઘટના સવારે 8.30 વાગ્યાની આસપાસ બની હતી તેવી માહિતી સામે આવી છે. પિતા અને પુત્ર બાઈક પર જઈ રહ્યા હતા ત્યારે ખરાબ રસ્તાને કારણે બાઈક ચાલકે બેલેન્સ ગુમાવ્યું. બંને નીચે પટકાયા અને માથું ટેન્કરના પાછળના ટાયરમાં આવી ગયું અને દુર્ઘટના સર્જાઈ હતી. મળતી માહિતી અનુસાર ટેન્કર ચાલક સામે ફરિયાદ નોંધવામાં આવી છે. 


અકસ્માતોની સંખ્યામાં થયો છે ધરખમ વધારો 

ઉલ્લેખનિય છે કે અકસ્માતોની સંખ્યામાં વધારો થયો છે. ઘરેથી નીકળેલો માણસ પાછો આવશે કે નહીં તેની ખબર પણ નથી રહેતી. અકસ્માતોની સંખ્યા એ હદ સુધી વધી ગઈ છે કે જ્યાં સુધી માણસ ઘરે પાછો નથી આવતો ત્યાં સુધી ટેન્શન રહ્યા કરે છે. ખરાબ રસ્તો તો એક મોટો પ્રશ્ન બની ગયો છે. અનેક વખત અકસ્માત બિસ્માર રસ્તાને કારણે સર્જાય છે અને લોકો મોતને ભેટે છે.     



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.