અંબાજી હદાડ માર્ગ પર ગમખ્વાર અકસ્માત, બસના થયા બે ટુકડા, 25 થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત


  • Published By :
  • Published Date : 2023-09-24 17:17:12

એક બાજુ લાખો લોકો માતાના દરબારમાં શીશ નમાવવા જય રહ્યા છે. ત્યારે આ અરેરાટી ભર્યો કિસ્સો સામે આવ્યો છે અને લોકોમાં ફફડાટ ફેલાયો છે.હાલ અંબાજીમાં ભાદરવી પુનમનો મેળો જામ્યો છે. જેમાં લખો લોકો પહોંચી રહ્યા છે. ત્યારે આજે અંબાજી હદાડ માર્ગ પર એક ભયાનક અકસ્માત સર્જાયો છે. આ ઘટનામાં ઘણા લોકો ઇજા ગ્રસ્ત બન્યા છે. જેને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે.

જેમાં આ અકસ્માતમાં ખાનગી બસ પલટી જતા બસના 2 ટુકડા થયા છે. આ ઘટનામાં 25 કરતા વધુ મુસાફરોને ઈજા પહોંચી છે. આ અકસ્માતમાં બાળકો, મહિલાઓ અને પુરુષોને ઈજા પહોંચી છે. પોલીસને જાણ થતાં તુરંત ઘટના સ્થળે પહોંચી હતી. ત્યારબાદ 108 સેવાને જાણ કરવામાં આવી હતી. તમામ ઇજાગ્રસ્તોને 108 અને પોલીસની ગાડી મારફતે સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.