અંબાજી હદાડ માર્ગ પર ગમખ્વાર અકસ્માત, બસના થયા બે ટુકડા, 25 થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત


  • Published By :
  • Published Date : 2023-09-24 17:17:12

એક બાજુ લાખો લોકો માતાના દરબારમાં શીશ નમાવવા જય રહ્યા છે. ત્યારે આ અરેરાટી ભર્યો કિસ્સો સામે આવ્યો છે અને લોકોમાં ફફડાટ ફેલાયો છે.હાલ અંબાજીમાં ભાદરવી પુનમનો મેળો જામ્યો છે. જેમાં લખો લોકો પહોંચી રહ્યા છે. ત્યારે આજે અંબાજી હદાડ માર્ગ પર એક ભયાનક અકસ્માત સર્જાયો છે. આ ઘટનામાં ઘણા લોકો ઇજા ગ્રસ્ત બન્યા છે. જેને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે.

જેમાં આ અકસ્માતમાં ખાનગી બસ પલટી જતા બસના 2 ટુકડા થયા છે. આ ઘટનામાં 25 કરતા વધુ મુસાફરોને ઈજા પહોંચી છે. આ અકસ્માતમાં બાળકો, મહિલાઓ અને પુરુષોને ઈજા પહોંચી છે. પોલીસને જાણ થતાં તુરંત ઘટના સ્થળે પહોંચી હતી. ત્યારબાદ 108 સેવાને જાણ કરવામાં આવી હતી. તમામ ઇજાગ્રસ્તોને 108 અને પોલીસની ગાડી મારફતે સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.