અંબાજી હદાડ માર્ગ પર ગમખ્વાર અકસ્માત, બસના થયા બે ટુકડા, 25 થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત


  • Published By :
  • Published Date : 2023-09-24 17:17:12

એક બાજુ લાખો લોકો માતાના દરબારમાં શીશ નમાવવા જય રહ્યા છે. ત્યારે આ અરેરાટી ભર્યો કિસ્સો સામે આવ્યો છે અને લોકોમાં ફફડાટ ફેલાયો છે.હાલ અંબાજીમાં ભાદરવી પુનમનો મેળો જામ્યો છે. જેમાં લખો લોકો પહોંચી રહ્યા છે. ત્યારે આજે અંબાજી હદાડ માર્ગ પર એક ભયાનક અકસ્માત સર્જાયો છે. આ ઘટનામાં ઘણા લોકો ઇજા ગ્રસ્ત બન્યા છે. જેને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે.

જેમાં આ અકસ્માતમાં ખાનગી બસ પલટી જતા બસના 2 ટુકડા થયા છે. આ ઘટનામાં 25 કરતા વધુ મુસાફરોને ઈજા પહોંચી છે. આ અકસ્માતમાં બાળકો, મહિલાઓ અને પુરુષોને ઈજા પહોંચી છે. પોલીસને જાણ થતાં તુરંત ઘટના સ્થળે પહોંચી હતી. ત્યારબાદ 108 સેવાને જાણ કરવામાં આવી હતી. તમામ ઇજાગ્રસ્તોને 108 અને પોલીસની ગાડી મારફતે સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી