ઊડતાં ગુજરાત ! ગાંધીના ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સની રેલમછેલ. વડોદરા NSUIના કાર્યકરોએ રાજ્યની દારૂનીતિ સામે ગૃહમંત્રી હર્ષ સંઘવી વિરુદ્ધ જાહેર રસ્તા પર નશાબંધીના કાર્ડ્સ સાથે ચક્કાજામ કર્યો.


  • Published By : Simple Thakkar
  • Published Date : 2025-03-18 18:30:47

અમદાવાદ હોય કે વડોદરા પૈસાદાર લોકોના નબીરાઓ સામાન્ય માણસને એવી રીતે કચડી રહ્યા છે કે જાણે તેઓ જીવન જીવવાના હક્કદાર જ નથી! કયાં સુધી લોકો મરતા રહશે? ગુજરાતમાં કેવી છે આ દારૂબંધી?જયાં સામાન્ય માણસ માટે પોલીસ કડકાઈથી કામ લે છે, ત્યાં નબીરાઓ સામે પોલીસ કેમ ઢીલી પડે છે? વડોદરા શહેરમાં થયેલા રક્ષિતકાંડને લઈને રાજ્યભરમાં રોષ જોવા મળી રહ્યો છે. વડોદરાના NSUIના કાર્યકરોએ રાજ્યની કથડતી દારૂનીતિ અને ડ્રગ્સના ખુલ્લા વેચાણ સામે જાહેર રસ્તા પર આવીને પોલિટેકનિક કોલેજના ગેટ સામે મુખ્ય રોડ પર કાર્યકરોએ ચક્કાજામ કર્યો હતો અને ભાજપ હાય હાયના નારા લગાવ્યા હતા. આ ઉપરાંત નશો ભગાવો, ગુજરાત બચાવો અને ગૃહમંત્રી રાજીનામું આપોનાં પોસ્ટર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતુંઆ વિરોધ પ્રદર્શન સામે ફતેગંજ પોલીસે વિરોધ કરી રહેલા  10 જેટલા કાર્યકરોની ટીંગાટોળી સાથે અટકાયત કરી હતી.




ગૃહમંત્રી વારંવાર મીડિયા સામે આવી કરોડના ડ્રગ્સના પેકેટ પકડાયની સફળતાનો શ્રેય લે છે ત્યારે લોકોને મનમાં પ્રશ્ન થાય છે કે પકડાયેલું ડ્રગ્સ પૂરે પૂરું જાહેર થાય છે કે કેમ? જે રીતે રાજ્યભરમાં HIT & RUNના કેસ વધી રહ્યા છે તે જોતાં ગૃહમંત્રીની પકડ ઢીલી પડતી હોય તેમ લાગી રહયું છે... NSUIના કાર્યકર દુષ્યન્ત રાજપુરોહિતએ જણાવ્યું હતું કે, વડોદરા શહેરમાં જે રીતે હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો, જેમાં એક મહિલાનું મોત થયું હતું, જ્યારે સાત લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જે વ્યક્તિ કાર ચલાવતો હતો તે ડ્રગ્સના નશામાં હતો. ગુજરાતમાં ડ્રગ્સ એક્ટ છે, દારૂબંધી છે, તેમ છતાં ડ્રગ્સ અને દારૂનો વેપલો ચાલી રહ્યો છે.

 


વડોદરાની એમ એસ યુનિવર્સિટીમાં કાયદાનો અભ્યાસ કરનારો ૨૩ વર્ષીય રક્ષિતે કરેલા અકસ્માત બાદ, વિધાર્થીઓએ રક્ષિત ચોરસિયાને યુનિવર્સિટી માંથી હકાલપટ્ટી કરવાની માંગ કરી છે 

ફિલ્મ કલાકાર જહાનવી કપૂરે પણ આ ઘટના અંગે નિદા કરી છે. અકસ્માત બાદ ઓમ નમો શિવાય ના નારા લગાવી શું સહિત કરવા માંગતો હશે રક્ષિત? ધર્મના નામે શું બધુંજ ચાલે દેશમાં?

કેટલાય સવાલો ના જવાબ આપણે પણ આપવાના છે શું વ્યક્તિ ધર્મના નામે સમાજ કશું પણ ચલાવી લઈશું? શું આપણો ધર્મ આવા લોકોને રક્ષણ કરવા માટે છે? અકસ્માતમાં મારનાર લોકોના ભગવાન નથી કે એમનો ધર્મ નથી? 

 સમાજમાં આવા ગુન્હા કે ઘટનાઓ ને અટકાવી શકશે તેને માટે સૌએ મળીને કામ કરવું પડશે. બાળકોને જરૂર કરતાં વધુ નાણાં આપીને નવી પેઢીને વિનાશ તરફ ના ધકેલીએ એજ મોટી સમાજ  અને દેશ પ્રત્યે સેવા હશે. તમારા સંતાનોને સારા નાગરિક બનાવો. રખડતો ગુનેગાર કે નસેડી યુવા એ નવી મહાસત્તાની ખેવના કરતો આપણા દેશ માટે શું યોગદાન આપશે ..?  


 

 






ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી