ઊડતાં ગુજરાત ! ગાંધીના ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સની રેલમછેલ. વડોદરા NSUIના કાર્યકરોએ રાજ્યની દારૂનીતિ સામે ગૃહમંત્રી હર્ષ સંઘવી વિરુદ્ધ જાહેર રસ્તા પર નશાબંધીના કાર્ડ્સ સાથે ચક્કાજામ કર્યો.


  • Published By : Simple Thakkar
  • Published Date : 2025-03-18 18:30:47

અમદાવાદ હોય કે વડોદરા પૈસાદાર લોકોના નબીરાઓ સામાન્ય માણસને એવી રીતે કચડી રહ્યા છે કે જાણે તેઓ જીવન જીવવાના હક્કદાર જ નથી! કયાં સુધી લોકો મરતા રહશે? ગુજરાતમાં કેવી છે આ દારૂબંધી?જયાં સામાન્ય માણસ માટે પોલીસ કડકાઈથી કામ લે છે, ત્યાં નબીરાઓ સામે પોલીસ કેમ ઢીલી પડે છે? વડોદરા શહેરમાં થયેલા રક્ષિતકાંડને લઈને રાજ્યભરમાં રોષ જોવા મળી રહ્યો છે. વડોદરાના NSUIના કાર્યકરોએ રાજ્યની કથડતી દારૂનીતિ અને ડ્રગ્સના ખુલ્લા વેચાણ સામે જાહેર રસ્તા પર આવીને પોલિટેકનિક કોલેજના ગેટ સામે મુખ્ય રોડ પર કાર્યકરોએ ચક્કાજામ કર્યો હતો અને ભાજપ હાય હાયના નારા લગાવ્યા હતા. આ ઉપરાંત નશો ભગાવો, ગુજરાત બચાવો અને ગૃહમંત્રી રાજીનામું આપોનાં પોસ્ટર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતુંઆ વિરોધ પ્રદર્શન સામે ફતેગંજ પોલીસે વિરોધ કરી રહેલા  10 જેટલા કાર્યકરોની ટીંગાટોળી સાથે અટકાયત કરી હતી.




ગૃહમંત્રી વારંવાર મીડિયા સામે આવી કરોડના ડ્રગ્સના પેકેટ પકડાયની સફળતાનો શ્રેય લે છે ત્યારે લોકોને મનમાં પ્રશ્ન થાય છે કે પકડાયેલું ડ્રગ્સ પૂરે પૂરું જાહેર થાય છે કે કેમ? જે રીતે રાજ્યભરમાં HIT & RUNના કેસ વધી રહ્યા છે તે જોતાં ગૃહમંત્રીની પકડ ઢીલી પડતી હોય તેમ લાગી રહયું છે... NSUIના કાર્યકર દુષ્યન્ત રાજપુરોહિતએ જણાવ્યું હતું કે, વડોદરા શહેરમાં જે રીતે હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો, જેમાં એક મહિલાનું મોત થયું હતું, જ્યારે સાત લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જે વ્યક્તિ કાર ચલાવતો હતો તે ડ્રગ્સના નશામાં હતો. ગુજરાતમાં ડ્રગ્સ એક્ટ છે, દારૂબંધી છે, તેમ છતાં ડ્રગ્સ અને દારૂનો વેપલો ચાલી રહ્યો છે.

 


વડોદરાની એમ એસ યુનિવર્સિટીમાં કાયદાનો અભ્યાસ કરનારો ૨૩ વર્ષીય રક્ષિતે કરેલા અકસ્માત બાદ, વિધાર્થીઓએ રક્ષિત ચોરસિયાને યુનિવર્સિટી માંથી હકાલપટ્ટી કરવાની માંગ કરી છે 

ફિલ્મ કલાકાર જહાનવી કપૂરે પણ આ ઘટના અંગે નિદા કરી છે. અકસ્માત બાદ ઓમ નમો શિવાય ના નારા લગાવી શું સહિત કરવા માંગતો હશે રક્ષિત? ધર્મના નામે શું બધુંજ ચાલે દેશમાં?

કેટલાય સવાલો ના જવાબ આપણે પણ આપવાના છે શું વ્યક્તિ ધર્મના નામે સમાજ કશું પણ ચલાવી લઈશું? શું આપણો ધર્મ આવા લોકોને રક્ષણ કરવા માટે છે? અકસ્માતમાં મારનાર લોકોના ભગવાન નથી કે એમનો ધર્મ નથી? 

 સમાજમાં આવા ગુન્હા કે ઘટનાઓ ને અટકાવી શકશે તેને માટે સૌએ મળીને કામ કરવું પડશે. બાળકોને જરૂર કરતાં વધુ નાણાં આપીને નવી પેઢીને વિનાશ તરફ ના ધકેલીએ એજ મોટી સમાજ  અને દેશ પ્રત્યે સેવા હશે. તમારા સંતાનોને સારા નાગરિક બનાવો. રખડતો ગુનેગાર કે નસેડી યુવા એ નવી મહાસત્તાની ખેવના કરતો આપણા દેશ માટે શું યોગદાન આપશે ..?  


 

 






ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.