Gandhinagar : Gift Cityમાં દારૂનું વેચાણ શરૂ! આ હોટલ તેમજ ક્લબને આપવામાં આવી દારૂ પિરસવાની પરમિટ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-01-13 11:57:04

ગિફ્ટ સિટીમાં દારૂ પરમિટ આપવાનું શરૂ થઇ ગયું છે. સરકારની જાહેરાત બાદ સત્તાવાર છૂટ અપાઈ છે. સત્તાવાર રીતે બે એકમોને છૂટ આપવામાં આવી છે. 2 સ્થળોએ દારૂ પરમીટની છૂટ આપવામાં આવી છે. 2 હોટેલોને દારૂ પીરસવાની પરવાનગી મળી છે. રાજ્ય સરકારની જાહેરાત બાદ ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં સત્તાવાર છૂટ અપાઈ છે. ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં એક હોટલ અને એક ક્લબને દારૂની પરમિટ મળી છે. હોટલ ગ્રાન્ડ મરક્યુરી અને ગિફ્ટ સિટી ક્લબમાં હવે દારૂ મળશે. 

લિકર પરમિટને લઈ નિયમો કરાયા છે જાહેર! 

ગિફ્ટ સીટીમાં લિકર પરમિટને લઈને નિયમ જાહેર કરાયા હતા. જે હેઠળ દારુનું સેવન કર્યા બાદ વાહન ચલાવી શકાશે નહીં. જ્યારે પરમિટ માટે FL3 પ્રકારનું લાયસન્સ મેળવવાનું રહેશે. FL3 લાયસન્સ ધારકે ખરીદેલ જથ્થાની માહિતી આપવી પડશે. 21 વર્ષથી વધુ વયના લોકો જ સેવન કરી શકશે. ઉપરાંત અધિક્રૃત અધિકારી પાસેથી પરમિટ લેવી પડશે અને સમગ્ર વિસ્તારને CCTV સર્વેલન્સ હેઠળ રાખવાનો રહેશે.


શું હોય છે એફએલ-3 લાયસન્સ?

એફએલ-3 લાયસન્સની વાત કરીએ તો ગિફ્ટ સિટીમાં નોકરી કરતા અથવા અધિકૃત મુલાકાતીઓને લીકર પીરસવા માંગતી હોટલ/ક્લબ/રેસ્ટોરન્ટને લીકર પીરસવા અંગેનું લાયસન્સ. ગિફ્ટ સિટી ગાંધીનગરમાં આવેલ અથવા આવનાર ખાનપાન સુવિધા ધરાવતી હોટલ/કલબ/રેસ્ટોરન્ટને લાયસન્સ મળી શકશે. FL-3 લાયસન્સધારક, લીકર એક્સેસ પરમિટ અને ટેમ્પરરી પરમિટધારક જો કાયદા નિયમો કે સૂચનાનો ભંગ કરશે તો ગુજરાત નશાબંધી અધિનિયમ-1949 તથા અન્ય પ્રવર્તમાન કાયદા હેઠળ શિક્ષાત્મક પગલાં લેવાની કાર્યવાહી કરવામાં આવશે.


ફોરેન નિવેશકોને આકર્ષવા સરકારે આપી હતી છૂટ

સરકાર અને ગિફ્ટ સિટીનાં સૂત્રોનું માનીએ તો આ પોલિસી કહેવત ‘મજબૂરીનું નામ મહાત્મા ગાંધી’ને સાર્થક કરે છે. સાબરમતીના કિનારે ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ અને ટેક હબ બનાવવું એ નરેન્દ્ર મોદીનું સ્વપ્નું જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી હતું. પરંતુ એક નાની અડચણ બાધા બની રહી હતી. જોકે, નવી વાઇન ડાઇન પોલિસીથી ગિફ્ટ સિટીને ફાયદો થશે. ફોરેન નિવેશકોને આકર્ષવા માટે સરકારે ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ આપી હતી. મહત્વનું છે કે આ બાદ રાજનીતિ ગરમાઈ હતી. 



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે