Gandhinagar : Gift Cityમાં દારૂનું વેચાણ શરૂ! આ હોટલ તેમજ ક્લબને આપવામાં આવી દારૂ પિરસવાની પરમિટ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-01-13 11:57:04

ગિફ્ટ સિટીમાં દારૂ પરમિટ આપવાનું શરૂ થઇ ગયું છે. સરકારની જાહેરાત બાદ સત્તાવાર છૂટ અપાઈ છે. સત્તાવાર રીતે બે એકમોને છૂટ આપવામાં આવી છે. 2 સ્થળોએ દારૂ પરમીટની છૂટ આપવામાં આવી છે. 2 હોટેલોને દારૂ પીરસવાની પરવાનગી મળી છે. રાજ્ય સરકારની જાહેરાત બાદ ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં સત્તાવાર છૂટ અપાઈ છે. ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં એક હોટલ અને એક ક્લબને દારૂની પરમિટ મળી છે. હોટલ ગ્રાન્ડ મરક્યુરી અને ગિફ્ટ સિટી ક્લબમાં હવે દારૂ મળશે. 

લિકર પરમિટને લઈ નિયમો કરાયા છે જાહેર! 

ગિફ્ટ સીટીમાં લિકર પરમિટને લઈને નિયમ જાહેર કરાયા હતા. જે હેઠળ દારુનું સેવન કર્યા બાદ વાહન ચલાવી શકાશે નહીં. જ્યારે પરમિટ માટે FL3 પ્રકારનું લાયસન્સ મેળવવાનું રહેશે. FL3 લાયસન્સ ધારકે ખરીદેલ જથ્થાની માહિતી આપવી પડશે. 21 વર્ષથી વધુ વયના લોકો જ સેવન કરી શકશે. ઉપરાંત અધિક્રૃત અધિકારી પાસેથી પરમિટ લેવી પડશે અને સમગ્ર વિસ્તારને CCTV સર્વેલન્સ હેઠળ રાખવાનો રહેશે.


શું હોય છે એફએલ-3 લાયસન્સ?

એફએલ-3 લાયસન્સની વાત કરીએ તો ગિફ્ટ સિટીમાં નોકરી કરતા અથવા અધિકૃત મુલાકાતીઓને લીકર પીરસવા માંગતી હોટલ/ક્લબ/રેસ્ટોરન્ટને લીકર પીરસવા અંગેનું લાયસન્સ. ગિફ્ટ સિટી ગાંધીનગરમાં આવેલ અથવા આવનાર ખાનપાન સુવિધા ધરાવતી હોટલ/કલબ/રેસ્ટોરન્ટને લાયસન્સ મળી શકશે. FL-3 લાયસન્સધારક, લીકર એક્સેસ પરમિટ અને ટેમ્પરરી પરમિટધારક જો કાયદા નિયમો કે સૂચનાનો ભંગ કરશે તો ગુજરાત નશાબંધી અધિનિયમ-1949 તથા અન્ય પ્રવર્તમાન કાયદા હેઠળ શિક્ષાત્મક પગલાં લેવાની કાર્યવાહી કરવામાં આવશે.


ફોરેન નિવેશકોને આકર્ષવા સરકારે આપી હતી છૂટ

સરકાર અને ગિફ્ટ સિટીનાં સૂત્રોનું માનીએ તો આ પોલિસી કહેવત ‘મજબૂરીનું નામ મહાત્મા ગાંધી’ને સાર્થક કરે છે. સાબરમતીના કિનારે ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ અને ટેક હબ બનાવવું એ નરેન્દ્ર મોદીનું સ્વપ્નું જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી હતું. પરંતુ એક નાની અડચણ બાધા બની રહી હતી. જોકે, નવી વાઇન ડાઇન પોલિસીથી ગિફ્ટ સિટીને ફાયદો થશે. ફોરેન નિવેશકોને આકર્ષવા માટે સરકારે ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ આપી હતી. મહત્વનું છે કે આ બાદ રાજનીતિ ગરમાઈ હતી. 



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"