Gandhinagar - 'આઇકોનિક રોડ' પર લકઝરી કારમાં સિનસપાટા કરનારા નબીરા વિરૂદ્ધ પોલીસે કરી કાર્યવાહી


  • Published By :
  • Published Date : 2024-08-21 18:15:26

સોશિયલ મીડિયાનો જમાનો છે. લાઈક મેળવાના ચક્કરમાં યુવાનો પોતાના જીવને જોખમમાં મૂકતા પહેલા નથી વિચારતા.. સોશિયલ મીડિયા પર સ્ટંટ વાળા વીડિયો વાયરલ થતાં અનેક કિસ્સાઓમાં પોલીસ કાર્યવાહી કરતી હોય છે. અનેક ઉદાહરણો આપણી સામે છે. ત્યારે ગાંધીનગરથી આવા જ સમાચાર સામે આવ્યા છે જેમાં પોલીસે જોખમી સ્ટંટ કરનાર 20 જેટલા નબીરાઓ વિરૂદ્ધ પોલીસે એક્શન લીધા છે. ગાંધીનગરમાં આઈકોનિક રોડ પર અનેક નબીરાઓ  મોંઘીઘાટ ગાડીઓને પુરઝડપે દોડાવી રહ્યા છે.. વીડિયો વાયરલ થયા બાદ પોલીસે કાર્યવાહી કરી છે જ્યારે અન્યની શોધખોળ કરવામાં આવી રહી છે.

Image

   

લોકો પોતાના જીવને મૂકે છે જોખમમાં!

રીલ્સ બનાવા માટે યુવાનો કઈ હદ સુધી જઈ શકે છે તે આપણે સોશિયલ મીડિયા સ્ક્રોલ કરીએ છીએ ત્યારે જોતા હોઈએ છીએ.. પોતાના જીવની પરવા તો અનેક વખત લોકો કરતા જ નથી પરંતુ કોઈ વખત તો સામે વાળાના જીવનની પણ પરવાહ લોકો નથી કરતા. અનેક રીલ્સ તો એવી હોય છે જે જોયા પછી આપણને બીક લાગવા લાગે છે. એ લોકોના દિમાગમાં કદાચ એવું હોય છે કે જેટલો જોખમી સ્ટંટ એટલા વધારે લાઈક.. સ્ટંટ કરનાર લોકો એ ભૂલી જાય છે કે પોલીસ પણ હવે સોશિયલ મીડિયા પર એક્ટિવ છે. જોખમી વીડિયો વાયરલ થયા બાદ પોલીસ કાર્યવાહી કરે છે. 

Image


વીડિયો વાયરલ થતા કરાઈ કાર્યવાહી 

ત્યારે ગાંધીનગરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં નબીરાઓ કરોડો રૂપિયાના ખર્ચે બનેલા 'આઇકોનિક રોડ' પર 10થી વધુ લકઝુરિયસ કાર ચલાવી રહ્યા છે.  સોશિયલ મીડિયા પર અનેક એવા વીડિયો જ વાયરલ થતા હોય છે જેમાં કાયદા અને વ્યવસ્થાને પકડાર કરવામાં આવતો હોય તેવું લાગે છે. આ વીડિયો વાયરલ થતા પોલીસે નબીરાઓની તપાસ કરવાની શરૂઆત કરી.. અને 7 જેટલા નબીરાઓ વિરૂદ્ધ કાર્યવાહી કરી છે. ગાડીના નંબરના આધારે નબીરાઓની શોધખોળ હાથ ધરી હતી. મહત્વનું છે કે જે વીડિયો વાયરલ થયા બાદ પોલીસે કાર્યવાહી કરી છે તે વીડિયો બે મહિના પહેલાનો છે. ત્યારે આ મામલે તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો.  



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.