Gandhinagar - 'આઇકોનિક રોડ' પર લકઝરી કારમાં સિનસપાટા કરનારા નબીરા વિરૂદ્ધ પોલીસે કરી કાર્યવાહી


  • Published By :
  • Published Date : 2024-08-21 18:15:26

સોશિયલ મીડિયાનો જમાનો છે. લાઈક મેળવાના ચક્કરમાં યુવાનો પોતાના જીવને જોખમમાં મૂકતા પહેલા નથી વિચારતા.. સોશિયલ મીડિયા પર સ્ટંટ વાળા વીડિયો વાયરલ થતાં અનેક કિસ્સાઓમાં પોલીસ કાર્યવાહી કરતી હોય છે. અનેક ઉદાહરણો આપણી સામે છે. ત્યારે ગાંધીનગરથી આવા જ સમાચાર સામે આવ્યા છે જેમાં પોલીસે જોખમી સ્ટંટ કરનાર 20 જેટલા નબીરાઓ વિરૂદ્ધ પોલીસે એક્શન લીધા છે. ગાંધીનગરમાં આઈકોનિક રોડ પર અનેક નબીરાઓ  મોંઘીઘાટ ગાડીઓને પુરઝડપે દોડાવી રહ્યા છે.. વીડિયો વાયરલ થયા બાદ પોલીસે કાર્યવાહી કરી છે જ્યારે અન્યની શોધખોળ કરવામાં આવી રહી છે.

Image

   

લોકો પોતાના જીવને મૂકે છે જોખમમાં!

રીલ્સ બનાવા માટે યુવાનો કઈ હદ સુધી જઈ શકે છે તે આપણે સોશિયલ મીડિયા સ્ક્રોલ કરીએ છીએ ત્યારે જોતા હોઈએ છીએ.. પોતાના જીવની પરવા તો અનેક વખત લોકો કરતા જ નથી પરંતુ કોઈ વખત તો સામે વાળાના જીવનની પણ પરવાહ લોકો નથી કરતા. અનેક રીલ્સ તો એવી હોય છે જે જોયા પછી આપણને બીક લાગવા લાગે છે. એ લોકોના દિમાગમાં કદાચ એવું હોય છે કે જેટલો જોખમી સ્ટંટ એટલા વધારે લાઈક.. સ્ટંટ કરનાર લોકો એ ભૂલી જાય છે કે પોલીસ પણ હવે સોશિયલ મીડિયા પર એક્ટિવ છે. જોખમી વીડિયો વાયરલ થયા બાદ પોલીસ કાર્યવાહી કરે છે. 

Image


વીડિયો વાયરલ થતા કરાઈ કાર્યવાહી 

ત્યારે ગાંધીનગરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં નબીરાઓ કરોડો રૂપિયાના ખર્ચે બનેલા 'આઇકોનિક રોડ' પર 10થી વધુ લકઝુરિયસ કાર ચલાવી રહ્યા છે.  સોશિયલ મીડિયા પર અનેક એવા વીડિયો જ વાયરલ થતા હોય છે જેમાં કાયદા અને વ્યવસ્થાને પકડાર કરવામાં આવતો હોય તેવું લાગે છે. આ વીડિયો વાયરલ થતા પોલીસે નબીરાઓની તપાસ કરવાની શરૂઆત કરી.. અને 7 જેટલા નબીરાઓ વિરૂદ્ધ કાર્યવાહી કરી છે. ગાડીના નંબરના આધારે નબીરાઓની શોધખોળ હાથ ધરી હતી. મહત્વનું છે કે જે વીડિયો વાયરલ થયા બાદ પોલીસે કાર્યવાહી કરી છે તે વીડિયો બે મહિના પહેલાનો છે. ત્યારે આ મામલે તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો.  



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.