Gandhinagar:TET-TAT પાસ ઉમેદવારો સરકાર સામે લડી લેવાના મૂડમાં, કાયમી શિક્ષકોની ભરતી માટે ઉમેદવારો યુવરાજસિંહ અને જિગ્નેશ મેવાણીની આગેવાનીમાં કરશે આંદોલન!


  • Published By :
  • Published Date : 2024-06-18 11:34:50

ગાંધીનગરમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો આજે કાયમી શિક્ષકોની ભરતીની માગ સાથે આંદોલન કરવાના છે. ગુજરાતની શાળાઓમાં શિક્ષકોની ઘટ છે.. શાળામાં વિદ્યાર્થીઓ તો હોય છે પરંતુ શિક્ષકો નથી હોતા. શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી માગ ઘણા સમયથી કરવામાં આવી રહી છે. સરકાર કાયમી શિક્ષકોની ભરતી કરવાની બદલીમાં કરાર આધારીત યોજના લઈ આવી. કરાર આધારીત ભરતીનો ટેટ ટાટ પાસ ઉમેદવાર વિરોધ કરી રહ્યા છે અને શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી માગ કરી રહ્યા છે. કાયમી શિક્ષકોની માગ સાથે ટેટ ટાટ પાસ ઉમેદવારો ગાંધીનગરમાં આંદોલન કરવાના છે. ગાંધીનગર ખાતે સરકાર સામે મહા આંદોલન કરવામાં આવવાનું છે ઉમેદવારો દ્વારા.

ગાંધીનગરમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો કરશે હલ્લાબોલ 

ગુજરાતમાં શિક્ષણનું સ્તર ઘટી રહ્યું છે. શિક્ષકો નહીં હોવાને કારણે દેશનું ભાવિ ખતરામાં દેખાઈ રહ્યું છે. શાળામાં શિક્ષકો નથી હોતા જેને કારણે વિદ્યાર્થીઓને ભણતર નથી મળતું. શાળામાં શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માગ ઘણા સમયથી ટેટ ટાટ પાસ ઉમેદવાર કરી રહ્યા છે. કાયમી શિક્ષકોની ભરતી થાય તે માટે આજે ગાંધીનગરમાં ટેટ ટાટ પાસ ઉમેદવાર આંદોલન કરવાના છે. મોટી સંખ્યામાં ટેટ ટાટ પાસ ઉમેદવારો આજે આંદોલન કરવા માટે ગાંધીનગર જવાના છે. યુવરાજસિંહ જાડેજા તેમજ જિગ્નેશ મેવાણી દ્વારા અપીલ કરવામાં આવી છે કે આ આંદોલનમાં મોટી સંખ્યામાં લોકો જોડાય..



જિગ્નેશ મેવાણી તેમજ યુવરાજસિંહ દ્વારા આપવામાં આવી પ્રતિક્રિયા 

જ્ઞાન સહાયકની ભરતી કરવામાં આવી રહી છે સરકાર દ્વારા જેનો વિરોધ ટેટ ટાટ પાસ ઉમેદવારો કરી રહ્યા છે. ટેટ ટાટ પાસ ઉમેદવારોની માગ છે કે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે. કરાર આધારીત નોકરીનો વિરોધ તેમના દ્વારા કરવામાં આવી રહ્યો છે. શિક્ષકોની ભરતીની જાહેરાત હજી સુધી નથી કરવામાં આવી. ટેટ ટાટ પાસ ઉમેદવારો સરકાર સામે લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે. જ્યાં સુધી શિક્ષકોની કાયમી  ભરતી નહીં કરવામાં આવે ત્યાં સુધી આંદોલન યથાવત રહેશે. મહત્વનું છે કે આંદોલનમાં કોંગ્રેસનું સમર્થન મળી રહ્યું છે. તે ઉપરાંત આમ આદમી પાર્ટી દ્વારા પણ આને લઈ પ્રતિક્રિયા આપવામાં આવી રહી છે. 



અનેક વખત રજૂઆત કરવાનો ઉમેદવારોએ કર્યો છે પ્રયત્ન 

ઉલ્લેખનિય છે કે આની પહેલા પણ ટેટ ટાટ પાસ ઉમેદવારો દ્વારા અનેક વખત પ્રયત્નો કરવામાં આવ્યા હતા રજૂઆત કરવા માટે. પરંતુ તેમનો અવાજ સરકાર સુધી નથી પહોંચ્યો તેવું લાગી રહ્યું છે. ત્યારે જોવું રહ્યું કે આજે આંદોલન કરવામાં ઉમેદવારો સફળ થાય છે કે પછી પોલીસ દ્વારા તેમની અટકાયત કરી લેવામાં આવે છે. આ મામલે તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો..  



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.