Gandhinagar:TET-TAT પાસ ઉમેદવારો સરકાર સામે લડી લેવાના મૂડમાં, કાયમી શિક્ષકોની ભરતી માટે ઉમેદવારો યુવરાજસિંહ અને જિગ્નેશ મેવાણીની આગેવાનીમાં કરશે આંદોલન!


  • Published By :
  • Published Date : 2024-06-18 11:34:50

ગાંધીનગરમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો આજે કાયમી શિક્ષકોની ભરતીની માગ સાથે આંદોલન કરવાના છે. ગુજરાતની શાળાઓમાં શિક્ષકોની ઘટ છે.. શાળામાં વિદ્યાર્થીઓ તો હોય છે પરંતુ શિક્ષકો નથી હોતા. શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી માગ ઘણા સમયથી કરવામાં આવી રહી છે. સરકાર કાયમી શિક્ષકોની ભરતી કરવાની બદલીમાં કરાર આધારીત યોજના લઈ આવી. કરાર આધારીત ભરતીનો ટેટ ટાટ પાસ ઉમેદવાર વિરોધ કરી રહ્યા છે અને શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી માગ કરી રહ્યા છે. કાયમી શિક્ષકોની માગ સાથે ટેટ ટાટ પાસ ઉમેદવારો ગાંધીનગરમાં આંદોલન કરવાના છે. ગાંધીનગર ખાતે સરકાર સામે મહા આંદોલન કરવામાં આવવાનું છે ઉમેદવારો દ્વારા.

ગાંધીનગરમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો કરશે હલ્લાબોલ 

ગુજરાતમાં શિક્ષણનું સ્તર ઘટી રહ્યું છે. શિક્ષકો નહીં હોવાને કારણે દેશનું ભાવિ ખતરામાં દેખાઈ રહ્યું છે. શાળામાં શિક્ષકો નથી હોતા જેને કારણે વિદ્યાર્થીઓને ભણતર નથી મળતું. શાળામાં શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માગ ઘણા સમયથી ટેટ ટાટ પાસ ઉમેદવાર કરી રહ્યા છે. કાયમી શિક્ષકોની ભરતી થાય તે માટે આજે ગાંધીનગરમાં ટેટ ટાટ પાસ ઉમેદવાર આંદોલન કરવાના છે. મોટી સંખ્યામાં ટેટ ટાટ પાસ ઉમેદવારો આજે આંદોલન કરવા માટે ગાંધીનગર જવાના છે. યુવરાજસિંહ જાડેજા તેમજ જિગ્નેશ મેવાણી દ્વારા અપીલ કરવામાં આવી છે કે આ આંદોલનમાં મોટી સંખ્યામાં લોકો જોડાય..



જિગ્નેશ મેવાણી તેમજ યુવરાજસિંહ દ્વારા આપવામાં આવી પ્રતિક્રિયા 

જ્ઞાન સહાયકની ભરતી કરવામાં આવી રહી છે સરકાર દ્વારા જેનો વિરોધ ટેટ ટાટ પાસ ઉમેદવારો કરી રહ્યા છે. ટેટ ટાટ પાસ ઉમેદવારોની માગ છે કે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે. કરાર આધારીત નોકરીનો વિરોધ તેમના દ્વારા કરવામાં આવી રહ્યો છે. શિક્ષકોની ભરતીની જાહેરાત હજી સુધી નથી કરવામાં આવી. ટેટ ટાટ પાસ ઉમેદવારો સરકાર સામે લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે. જ્યાં સુધી શિક્ષકોની કાયમી  ભરતી નહીં કરવામાં આવે ત્યાં સુધી આંદોલન યથાવત રહેશે. મહત્વનું છે કે આંદોલનમાં કોંગ્રેસનું સમર્થન મળી રહ્યું છે. તે ઉપરાંત આમ આદમી પાર્ટી દ્વારા પણ આને લઈ પ્રતિક્રિયા આપવામાં આવી રહી છે. 



અનેક વખત રજૂઆત કરવાનો ઉમેદવારોએ કર્યો છે પ્રયત્ન 

ઉલ્લેખનિય છે કે આની પહેલા પણ ટેટ ટાટ પાસ ઉમેદવારો દ્વારા અનેક વખત પ્રયત્નો કરવામાં આવ્યા હતા રજૂઆત કરવા માટે. પરંતુ તેમનો અવાજ સરકાર સુધી નથી પહોંચ્યો તેવું લાગી રહ્યું છે. ત્યારે જોવું રહ્યું કે આજે આંદોલન કરવામાં ઉમેદવારો સફળ થાય છે કે પછી પોલીસ દ્વારા તેમની અટકાયત કરી લેવામાં આવે છે. આ મામલે તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો..  



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.