Gandhinagar : ટેટ ટાટ પાસ ઉમેદવારોનું આંદોલન, સામે આવ્યો એક વીડિયો જે જોઈ તમે પણ કહેશો કે સાવ આવું તો ના હોય.. જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-06-28 10:11:15

ગાંધીનગરમાં ટેટ ટાટ પાસ ઉમેદવારોએ આંદોલન કર્યું હતું. કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માગ કરવામાં આવી. આંદોલન કરવા માટે પહોંચેલા ઉમેદવારો સાથે જે રીતે પોલીસ દ્વારા વર્તન કરવામાં આવ્યું તે અનેક સવાલો કરે એમ છે. મહિલા ઉમેદવારો સાથે જે પ્રમાણે વર્તન કરવામાં આવ્યું છે તેના દ્રશ્યો આપણી સામે છે. ત્યારે એક વીડિયો આંદોલન વખતનો સામે આવ્યો છે જેમાં મહિલા સાથે ગેરવર્તન કરવામાં આવ્યું છે. 

ઉમેદવારોએ શંકા સાથે સંતોષ પણ અનુભવ્યો

મોટાભાગના ઉમેદવારોએ ભરતીનો ભરોસો આપવા માટે મુખ્યમંત્રીનો આભાર માન્યો છે, આટ આટલું માર્યા પછી પણ એ લોકો સરકારને કોઈ જ દ્વેષ ભાવના કે નફરત સાથે નથી જોઈ રહ્યા. બસ એ જેની પ્રતિક્ષામાં હતા એ સાંભળીને થોડી શંકા સાથે પણ સંતોષ મહેસુસ કરે છે. જે 5 સેકન્ડની ક્લિપ સામે આવી છે એ ખતરનાક અને અતિશય દર્દનાક છે. આંદોલન દરમ્યાન ખાસ તો સ્ત્રી શિક્ષકો સાથે જે વર્તન કરવામાં આવ્યું છે તે અનેક સવાલો ઉભા કરે છે.  



ઉમેદવારો આવા દિવસોને નહીં ભૂલી શકે...!

આ તસવીરો આપણાં રાજ્યની અસ્મિતાને શોભતી નથી, ના સરકારની ગરિમાને શોભે છે અને છતાંય સામે આવે છે તો મતલબ સિસ્ટમનો મોટો હિસ્સો આ વાતોને સામાન્ય માની ચુક્યો છે... એ દરેક તસવીરો ફરીથી જુઓ જે ગુજરાતના રસ્તાઓ પર સામે આવી, હવે ભુલી પણ જવાશે પણ આ લોકોને નોકરી મળ્યાં પછી પણ સંઘર્ષના એ દિવસો નહીં ભૂલી શકે જે એમનાં હિસ્સામાં નહોતા આવવા જોઈતા. ત્યારે આ વીડિયો વિશે તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો.   



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.