Gandhinagar : ટેટ ટાટ પાસ ઉમેદવારોનું આંદોલન, સામે આવ્યો એક વીડિયો જે જોઈ તમે પણ કહેશો કે સાવ આવું તો ના હોય.. જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-06-28 10:11:15

ગાંધીનગરમાં ટેટ ટાટ પાસ ઉમેદવારોએ આંદોલન કર્યું હતું. કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માગ કરવામાં આવી. આંદોલન કરવા માટે પહોંચેલા ઉમેદવારો સાથે જે રીતે પોલીસ દ્વારા વર્તન કરવામાં આવ્યું તે અનેક સવાલો કરે એમ છે. મહિલા ઉમેદવારો સાથે જે પ્રમાણે વર્તન કરવામાં આવ્યું છે તેના દ્રશ્યો આપણી સામે છે. ત્યારે એક વીડિયો આંદોલન વખતનો સામે આવ્યો છે જેમાં મહિલા સાથે ગેરવર્તન કરવામાં આવ્યું છે. 

ઉમેદવારોએ શંકા સાથે સંતોષ પણ અનુભવ્યો

મોટાભાગના ઉમેદવારોએ ભરતીનો ભરોસો આપવા માટે મુખ્યમંત્રીનો આભાર માન્યો છે, આટ આટલું માર્યા પછી પણ એ લોકો સરકારને કોઈ જ દ્વેષ ભાવના કે નફરત સાથે નથી જોઈ રહ્યા. બસ એ જેની પ્રતિક્ષામાં હતા એ સાંભળીને થોડી શંકા સાથે પણ સંતોષ મહેસુસ કરે છે. જે 5 સેકન્ડની ક્લિપ સામે આવી છે એ ખતરનાક અને અતિશય દર્દનાક છે. આંદોલન દરમ્યાન ખાસ તો સ્ત્રી શિક્ષકો સાથે જે વર્તન કરવામાં આવ્યું છે તે અનેક સવાલો ઉભા કરે છે.  



ઉમેદવારો આવા દિવસોને નહીં ભૂલી શકે...!

આ તસવીરો આપણાં રાજ્યની અસ્મિતાને શોભતી નથી, ના સરકારની ગરિમાને શોભે છે અને છતાંય સામે આવે છે તો મતલબ સિસ્ટમનો મોટો હિસ્સો આ વાતોને સામાન્ય માની ચુક્યો છે... એ દરેક તસવીરો ફરીથી જુઓ જે ગુજરાતના રસ્તાઓ પર સામે આવી, હવે ભુલી પણ જવાશે પણ આ લોકોને નોકરી મળ્યાં પછી પણ સંઘર્ષના એ દિવસો નહીં ભૂલી શકે જે એમનાં હિસ્સામાં નહોતા આવવા જોઈતા. ત્યારે આ વીડિયો વિશે તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો.   



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.