Gandhinagar : આજે વધુ એક ધારાસભ્યની વિકેટ પડે તેવી સંભાવના, એવી ચર્ચાઓએ જોર પકડ્યું કે આ પક્ષના ધારાસભ્ય... ! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-20 11:02:59

લોકસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ જોડતોડની રાજનીતિ શરૂ થઈ ગઈ છે. ઓપરેશન કમલમ શરૂ થઈ ગયું છે તેવું લાગી રહ્યું છે. કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીના ધારાસભ્યએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે. ત્યારે એવી અટકળો તેજ થઈ રહી છે કે આજે વધુ એક ધારાસભ્ય પોતાના પદ ઉપરથી રાજીનામું. કોંગ્રેસમાંથી અથવા તો આમ આદમી પાર્ટીના ધારાસભ્યમાંથી કોઈ રાજીનામું આપી શકે છે તેવી ચર્ચાઓ તેજ થઈ રહી છે. એવી પણ ચર્ચાઓ થઈ રહી છે કે સૌરાષ્ટ્રના ધારાસભ્ય હોવાની પાટનગરમાં અટકળો ચાલી રહી છે. ત્યારે આજે કોણ ધારાસભ્ય પદને છોડી શકે છે તેની પર સૌ કોઈની નજર છે. એવી પણ માહિતી સામે આવી છે કે કોંગ્રેસના ધારાસભ્ય પોતાના પદ ઉપરથી રાજીનામું આપી શકે છે.

કોંગ્રેસના ધારાસભ્ય આજે આપી શકે છે રાજીનામું 

ગઈકાલે જ્યારે કોંગ્રેસના ધારાસભ્યે પોતાના પદ ઉપરથી રાજીનામું ત્યારે એવી ચર્ચાઓ થઈ રહી હતી કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય રાજીનામું આપી શકે છે. એવી ચર્ચાઓ થઈ રહી હતી કે આપના ગારીયાધારના ધારાસભ્ય સુધીર વાઘાણી પદ ઉપરથી રાજીનામું આપી શકે છે. ચર્ચાઓ ચાલી રહી હતી તે દરમિયાન જ્યારે જમાવટની ટીમે તેમનો સંપર્ક કર્યો ત્યારે તેમણે કહ્યું કે હું આજે તો હું આમ આદમી પાર્ટીમાં જ છું. તે ઉપરાંત જમાવટની ટીમે પાટણના કિરીટ પટેલ સાથે પણ વાત કરી હતી. 



ઈસુદાન ગઢવીએ રાજીનામાની વાતને લઈ આપી હતી પ્રતિક્રિયા 

ગુજરાત વિધાનસભાનાં ત્રીજા ધારાસભ્યનાં રાજીનામાની અટકળ તેજ છે. જોકે કોઈ ધારાસભ્યએ હજુ સુધી વિધાનસભાના અધ્યક્ષનો મળવાનો સમય નથી માગ્યો. વિધાનસભાનાં અધ્યક્ષ શંકર ચૌધરી આજે પણ ગાંધીનગરમાં જ છે. કોંગ્રેસ અથવા આપના એક ધારાસભ્ય આજે રાજીનામું આપે તેવી શક્યતા છે. આજે કયાંના ધારાસભ્ય અને કઈ પાર્ટીના ધારાસભ્ય રાજીનામું આપી શકે છે તેની પર ચર્ચાઓ થઈ રહી છે. મહત્વનું છે કે આમ આદમી પાર્ટીના વધુ એક ધારાસભ્ય રાજીનામું આપી શકે છે તેવી વાતોની ચર્ચા થયા બાદ આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીનો એક વીડિયો સામે આવ્યો હતો જેમાં તે કહી રહ્યા છે કે આપના ધારાસભ્યો અડીખમ છે. તે બાદ આપના બે ધારાસભ્યોએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. ત્યારે આજે પણ કોંગ્રેસ તૂટી શકે છે તેવા એંધાણ દેખાઈ રહ્યા છે.  



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.