Gandhinagar : આજે વધુ એક ધારાસભ્યની વિકેટ પડે તેવી સંભાવના, એવી ચર્ચાઓએ જોર પકડ્યું કે આ પક્ષના ધારાસભ્ય... ! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-20 11:02:59

લોકસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ જોડતોડની રાજનીતિ શરૂ થઈ ગઈ છે. ઓપરેશન કમલમ શરૂ થઈ ગયું છે તેવું લાગી રહ્યું છે. કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીના ધારાસભ્યએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે. ત્યારે એવી અટકળો તેજ થઈ રહી છે કે આજે વધુ એક ધારાસભ્ય પોતાના પદ ઉપરથી રાજીનામું. કોંગ્રેસમાંથી અથવા તો આમ આદમી પાર્ટીના ધારાસભ્યમાંથી કોઈ રાજીનામું આપી શકે છે તેવી ચર્ચાઓ તેજ થઈ રહી છે. એવી પણ ચર્ચાઓ થઈ રહી છે કે સૌરાષ્ટ્રના ધારાસભ્ય હોવાની પાટનગરમાં અટકળો ચાલી રહી છે. ત્યારે આજે કોણ ધારાસભ્ય પદને છોડી શકે છે તેની પર સૌ કોઈની નજર છે. એવી પણ માહિતી સામે આવી છે કે કોંગ્રેસના ધારાસભ્ય પોતાના પદ ઉપરથી રાજીનામું આપી શકે છે.

કોંગ્રેસના ધારાસભ્ય આજે આપી શકે છે રાજીનામું 

ગઈકાલે જ્યારે કોંગ્રેસના ધારાસભ્યે પોતાના પદ ઉપરથી રાજીનામું ત્યારે એવી ચર્ચાઓ થઈ રહી હતી કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય રાજીનામું આપી શકે છે. એવી ચર્ચાઓ થઈ રહી હતી કે આપના ગારીયાધારના ધારાસભ્ય સુધીર વાઘાણી પદ ઉપરથી રાજીનામું આપી શકે છે. ચર્ચાઓ ચાલી રહી હતી તે દરમિયાન જ્યારે જમાવટની ટીમે તેમનો સંપર્ક કર્યો ત્યારે તેમણે કહ્યું કે હું આજે તો હું આમ આદમી પાર્ટીમાં જ છું. તે ઉપરાંત જમાવટની ટીમે પાટણના કિરીટ પટેલ સાથે પણ વાત કરી હતી. 



ઈસુદાન ગઢવીએ રાજીનામાની વાતને લઈ આપી હતી પ્રતિક્રિયા 

ગુજરાત વિધાનસભાનાં ત્રીજા ધારાસભ્યનાં રાજીનામાની અટકળ તેજ છે. જોકે કોઈ ધારાસભ્યએ હજુ સુધી વિધાનસભાના અધ્યક્ષનો મળવાનો સમય નથી માગ્યો. વિધાનસભાનાં અધ્યક્ષ શંકર ચૌધરી આજે પણ ગાંધીનગરમાં જ છે. કોંગ્રેસ અથવા આપના એક ધારાસભ્ય આજે રાજીનામું આપે તેવી શક્યતા છે. આજે કયાંના ધારાસભ્ય અને કઈ પાર્ટીના ધારાસભ્ય રાજીનામું આપી શકે છે તેની પર ચર્ચાઓ થઈ રહી છે. મહત્વનું છે કે આમ આદમી પાર્ટીના વધુ એક ધારાસભ્ય રાજીનામું આપી શકે છે તેવી વાતોની ચર્ચા થયા બાદ આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીનો એક વીડિયો સામે આવ્યો હતો જેમાં તે કહી રહ્યા છે કે આપના ધારાસભ્યો અડીખમ છે. તે બાદ આપના બે ધારાસભ્યોએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. ત્યારે આજે પણ કોંગ્રેસ તૂટી શકે છે તેવા એંધાણ દેખાઈ રહ્યા છે.  



પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.