Gandhinagar : આજે વધુ એક ધારાસભ્યની વિકેટ પડે તેવી સંભાવના, એવી ચર્ચાઓએ જોર પકડ્યું કે આ પક્ષના ધારાસભ્ય... ! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-20 11:02:59

લોકસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ જોડતોડની રાજનીતિ શરૂ થઈ ગઈ છે. ઓપરેશન કમલમ શરૂ થઈ ગયું છે તેવું લાગી રહ્યું છે. કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીના ધારાસભ્યએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે. ત્યારે એવી અટકળો તેજ થઈ રહી છે કે આજે વધુ એક ધારાસભ્ય પોતાના પદ ઉપરથી રાજીનામું. કોંગ્રેસમાંથી અથવા તો આમ આદમી પાર્ટીના ધારાસભ્યમાંથી કોઈ રાજીનામું આપી શકે છે તેવી ચર્ચાઓ તેજ થઈ રહી છે. એવી પણ ચર્ચાઓ થઈ રહી છે કે સૌરાષ્ટ્રના ધારાસભ્ય હોવાની પાટનગરમાં અટકળો ચાલી રહી છે. ત્યારે આજે કોણ ધારાસભ્ય પદને છોડી શકે છે તેની પર સૌ કોઈની નજર છે. એવી પણ માહિતી સામે આવી છે કે કોંગ્રેસના ધારાસભ્ય પોતાના પદ ઉપરથી રાજીનામું આપી શકે છે.

કોંગ્રેસના ધારાસભ્ય આજે આપી શકે છે રાજીનામું 

ગઈકાલે જ્યારે કોંગ્રેસના ધારાસભ્યે પોતાના પદ ઉપરથી રાજીનામું ત્યારે એવી ચર્ચાઓ થઈ રહી હતી કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય રાજીનામું આપી શકે છે. એવી ચર્ચાઓ થઈ રહી હતી કે આપના ગારીયાધારના ધારાસભ્ય સુધીર વાઘાણી પદ ઉપરથી રાજીનામું આપી શકે છે. ચર્ચાઓ ચાલી રહી હતી તે દરમિયાન જ્યારે જમાવટની ટીમે તેમનો સંપર્ક કર્યો ત્યારે તેમણે કહ્યું કે હું આજે તો હું આમ આદમી પાર્ટીમાં જ છું. તે ઉપરાંત જમાવટની ટીમે પાટણના કિરીટ પટેલ સાથે પણ વાત કરી હતી. 



ઈસુદાન ગઢવીએ રાજીનામાની વાતને લઈ આપી હતી પ્રતિક્રિયા 

ગુજરાત વિધાનસભાનાં ત્રીજા ધારાસભ્યનાં રાજીનામાની અટકળ તેજ છે. જોકે કોઈ ધારાસભ્યએ હજુ સુધી વિધાનસભાના અધ્યક્ષનો મળવાનો સમય નથી માગ્યો. વિધાનસભાનાં અધ્યક્ષ શંકર ચૌધરી આજે પણ ગાંધીનગરમાં જ છે. કોંગ્રેસ અથવા આપના એક ધારાસભ્ય આજે રાજીનામું આપે તેવી શક્યતા છે. આજે કયાંના ધારાસભ્ય અને કઈ પાર્ટીના ધારાસભ્ય રાજીનામું આપી શકે છે તેની પર ચર્ચાઓ થઈ રહી છે. મહત્વનું છે કે આમ આદમી પાર્ટીના વધુ એક ધારાસભ્ય રાજીનામું આપી શકે છે તેવી વાતોની ચર્ચા થયા બાદ આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીનો એક વીડિયો સામે આવ્યો હતો જેમાં તે કહી રહ્યા છે કે આપના ધારાસભ્યો અડીખમ છે. તે બાદ આપના બે ધારાસભ્યોએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. ત્યારે આજે પણ કોંગ્રેસ તૂટી શકે છે તેવા એંધાણ દેખાઈ રહ્યા છે.  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.