વડોદરામાં ગણપતિ વિસર્જન દરમિયાન પથ્થરમારો કરનારા RSS કાર્યકર નિલેશ પરમાર સામે પાસા હેઠળ કાર્યવાહી


  • Published By :
  • Published Date : 2023-10-06 21:18:17

કોઈ પણ રાજ્ય અને દેશની શાંતિ અને સુરક્ષા અતિ આવશ્યક છે, શાંતિ અને સૌહાર્દનો માહોલ રહે. હમણા જ વડોદરામાં એક સાંપ્રદાયિક ઘટના ઘટી હતી. જેમાં આરએસએસના કાર્યકર નિલેશ પરમારને અમદાવાદ જેલમાં પાસા હેઠળ મોકલી દેવામાં આવ્યો છે. એટલે જે લોકો હિંદુત્વના નામે કાયદો હાથમાં લઈ રહ્યા છે એ આ ઘટનાથી શાનમાં સમજી જજો. સરકારો માટે ધર્માંધતા કે સંઘર્ષો કરતા પણ વિશેષ જરૂરી છે શાંતિ અને સૌહાર્દ અને એટલે જ સરકારે તોફાનો કરનારનો ધર્મ નથી જોયો અને કાર્યવાહી કરી છે. 


ઉપદ્રવી યુવક વિરૂધ્ધ પાસા હેઠળ કાર્યવાહી  


વડોદરાના સાવલીના મંજૂસર ગામમાં ગણપતિ બાપ્પાના વિસર્જન દરમિયાન પથ્થરમારો થયો હતો. જેમાં પોલીસને અનેક વાયરલ વીડિયો મળ્યા હતા અને હવે એ મામલે કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. સાવલીના ગોઠડા ગામના 23 વર્ષના નવજવાન નિલેશ પરમાર સામે રાયોટિંગ અને બીજા પણ અલગ અલગ પાંચ ગુના હેઠળ ધરપકડ કરવામાં આવી છે, સાવલી પોલીસે આ કાર્યવાહી વડોદરા જિલ્લા કલેક્ટરના હુકમથી કરી છે. માનીએ છીએ ચૂંટણી પહેલા આવા ગતકડા કરવામાં આવી છે જે પ્રેરિત હોય શકે છે પણ સરકાર અને પોલીસની કામગીરી તેને રોકવાની હોય છે. નૈતિક દ્રષ્ટિએ આવું જ થવું જોઈએ કે હિંદુત્વના નામે આવા લોકો કાયદો હાથમાં લે છે અને અશાંતિ ફેલાવે છે અને તેમાં જ પોતાની શાન માને છે તો તેમણે સમજવું જોઈએ કે પોલીસ અને સરકાર પાછળ છે. સરકાર માટે રાજ્યની શાંતિ મહત્વની છે કારણ વગરની ક્રિયા પ્રક્રિયાના નામે થતા તોફાનો નહીં. શાળામાં નમાઝ બાબતે બબાલ કરનાર સામે કાર્યવાહી વડોદરા અને નર્મદામાં પણ થવી જ જોઈએ. સરકાર માટે ધર્માંધતા કે સંઘર્ષો કરતા પણ વિશેષ જરૂરી છે શાંતિ અને સૌહાર્દ અને એટલે જ સરકારે તોફાન કરનારનો ધર્મ નથી જોયો. તમે પણ ના જુઓ અને બની શકો ત્યાં સુધી શાંતિ સ્થપાય તે દિશામાં કામ કરો શાંતિ એ કાયરતાની નિશાની નથી સમૃદ્ધિની વાહક છે. 


શું હતો સમગ્ર મામલો


આ સમગ્ર મામલે ફરિયાદી ધર્મેશ રવજીભાઈ પરમારે તેઓની ફરિયાદમાં જણાવેલ હતું કે તેઓ એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે ગતરોજ સાંજે નોકરીથી પરત આવ્યા બાદ મોટરસાયકલ લઈને ત્રણ મિત્રો સાથે મોટરસાયકલ પર સાવલી ગયા હતા અને ત્યારબાદ ગોઠડા ગામે પરત આવતાં ગામના મસ્જિદ નજીક ચકલા પાસે મોટરસાઈકલ ઊભી રાખી માવો ખાતા હતા તે દરમિયાન ગોઠડા ગામમાં રહેતા શકીલ વખત સિંહ પરમાર, મોઈન ઝાકીર ભાઈ પઠાણ, જાવીદ હમીર ભાઈ મલેક, અક્રમ કમરૂ ભાઈ કુરેશી તેમજ અન્ય મિત્રો બેઠા હતા તેઓને ધર્મેશ પરમાર માવો ખાતા સમયે આંગળી કરતો હોય તેવું લાગતા તેઓએ ધર્મેશ પરમાર તેમજ અન્ય બે મિત્રો ને ગાળા ગાડી કરી હતી તે સમયે ધર્મેશ પરમાર એ ગાળો નહીં બોલવાનું જણાવતા  જતા રહે અને થોડી વારમાં  તેમના ફળિયા જય ઉપરોક્ત ચાર વ્યક્તિ સાથે અન્ય સલીમ કાસમ અલી સૈયદ, ઝાકીર અલી સૈયદ, સૈયદ અલી રફીક ભાઈ મલેક તથા અન્ય 15નું ટોળું ગમે તેમ ગાળો બોલી પથ્થરમારો કરતાં ધર્મેશ પરમારના માથાના ભાગે પથ્થર વાગતા ઇજાગ્રસ્ત થયો હતો


તે બાબતે ધર્મેશ પરમાર સાવલી પોલીસ મથકે સાત જણા તેમજ બીજા પંદર નું ટોળું સામે ફરીયાદ નોંધાવતા પોલીસે રાયોટિંગનો ગુનો દાખલ કરી આજરોજ શકીલ વખત સિંહ પરમાર, જાવીદ હમિદ ભાઈ મલેક અક્રમ કમરૂ ભાઈ કુરેશી તમામ રહેવાસી ગોઠડા ની ધરપકડ કરી છે.



જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"

સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તબીબો હડતાલ પર ઉતરી ગયા છે. તબીબોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો કેમ કે , ન્યુરો વિભાગના તબીબ પર જે હુમલો થયો તે હજુ પકડાયો નથી. તો હવે જુનિયર તબીબો ચાર મુખ્ય માંગણીઓ સાથે હડતાલ પર ઉતરી ચુક્યા છે. જેના કારણે , રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઇમર્જન્સી સિવાય તમામ સેવાઓ ઠપ થઇ ગઈ છે. આમ , ફરી એકવાર રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય સેવાઓ પર સંકટના વાદળો છવાયા છે.