ગરબા રસિયાઓ ગરબે રમવા થઈ જાવ તૈયાર !!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-20 13:59:44

આ વર્ષે રાજયમાં ચોમાસાનું આગમન વહેલા થઈ ગયું હતું પરંતુ હજું સુધી ચોમાસાની વિદાયના કોઈ સંકેત નથી. પરંતુ હવામાન નિષ્ણાતોના મતે સપ્ટેમ્બરના અંતમાં ચોમાસાની વિદાયની શરૂઆત થઈ જવાની શક્યતા છે. હવામન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદી માહોલ રહશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બંગાળની ખાડીમાં હવાનું દબાણ સર્જાતા અસરના ભાગરૂપે ગુજરાત સહિત દેશનાં અનેક રાજ્યોમાં વરસાદી માહોલ જોવા મળશે. બંગાળમાં લો પ્રેશરના કારણે સૌથી વધુ વરસાદની સંભાવના દક્ષિણ ગુજરાતમાં છે. હાલ પણ હવામાં ભેજનું પ્રમાણ જોવા મળી રહ્યું છે. 


વરસાદના વિરામ બાદ વાદળછાયું વાતાવરણ 

અત્યારે થોડા દિવસમાં ગરમી અને રાત્રીના સમયે ઠંડું વાતાવરણ થતાં મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. અમદાવાદમાં હાલ ગરમીનું પ્રમાણ વધ્યું છે. ગુજરાતમાં વરસાદ યથાવત્ રહશે તેવા સંકેત હવામાન વિભાગ દ્વારા આપવામાં આવ્યો છે. આગાહી મુજબ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ ખાબકી શકે છે. 


નવરાત્રિમાં વરસાદ નહીં નડે 

આગામી 26 સપ્ટેમ્બરથી નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે ખેલૈયાઓને ડર હતો કે વરસાદ નવરાત્રિ બગાડશે પરંતુ હવામાન વિભાગ દ્વારા સત્તાવાર રીતેની જાહેરાત કરી દેવામાં આવી છે કે નવરાત્રિમાં વરસાદની સંભાવના નહીવત છે. માટે હવે ગરબા રસીકો ચિંતા વગર મન મૂકીને ગરબે રમી શકશે. 



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે