PM Modi દ્વારા લખાયેલા ગરબા પર ઝૂમ્યા ખેલૈયાઓ, જુઓ United Way Of Barodaના ગરબાનો વીડિયો


  • Published By :
  • Published Date : 2023-10-23 10:29:54

ગુજરાત અને ગરબા એક બીજાનું પર્યાય છે. એવું માનવામાં આવે છે ગમે તે તહેવાર કેમ ન હોય ગરબા કર્યા વગરએ તહેવારની ઉજવણી અધૂરી લાગે. એવું માનવામાં આવે છે કે ગુજરાતીઓ કોઈ પણ બિટ પર, કોઈ પણ સમયે ગરબાના તાલે ઝુમી શકે છે. ગરબા સાંભળ્યા નથી કે લોકોના પગ હલવાના શરૂ થયા છે. ગુજરાતમાં આમ તો મુખ્યત્વે દરેક જગ્યાઓ પર ગરબાનું આયોજન કરવામાં આવતું હોય છે. મોટી સંખ્યામાં ખેલૈયાઓ ત્યાં ગરબા રમતા હોય છે. ગરબે ઘૂમી ભક્તો માતાજીની આરાધના કરે છે.

  

અતુલ પુરોહિતે ગાયો પીએમ દ્વારા લખાયેલો ગરબો 

નવરાત્રી દરમિયાન નવો ગરબો આવે છે તો ગુજરાતીઓ તે ગરબા પર ન ઝુમે તે શક્ય નથી. ત્યારે નવરાત્રી પહેલા વડાપ્રધાન મોદીએ એક વીડિયો રિલીઝ કર્યો હતો જેમાં તેમના દ્વારા લખવામાં આવેલા ગરબાને સ્વરબદ્ધ કરવામાં આવ્યો હતો. એ ગરબો ભલે પીએમ મોદીએ ઘણા વર્ષો પહેલા લખ્યો હતો પરંતુ તેનો કેઝ આ વખતની નવરાત્રીમાં જોવા મળી રહ્યો છે. અનેક ગરબા આયોજનોમાં કલાકાર દ્વારા તેમના દ્વારા લખવામાં આવેલા ગરબાને ગાવામાં આવે છે. ત્યારે યુનાઈટેડ વે ઓફ વડોદરાના ગરબા વિખ્યાત છે. આ ગરબાના આયોજનમાં અતુલ પુરોહિત દ્વારા પીએમ દ્વારા લખવામાં આવેલો ગરબો ગવાયો હતો અને ખેલૈયાઓ મન મૂકીને નાચ્યા હતા. 

ગુજરાતના નેતાઓએ વીડિયો કર્યો ટ્વિટ 

પીએમ મોદીએ એક વીડિયો શેર કર્યો હતો જેમાં તેમણે એક ગરબો મૂક્યો હતો જેના શબ્દો તેમણે લખ્યા છે. થોડા દિવસો પહેલા પીએમે એક ટ્વિટ કર્યું હતું અને લખ્યું હતું કે ઘણા વર્ષો પહેલા આ ગરબો લખ્યો હતો. આ ગરબાને ધ્વનિ ભાનુશાળીએ અવાજ આપ્યો છે. ત્યારે વડોદરાના ગરબામાં જ્યારે પીએમ મોદી દ્વારા લખવામાં આવેલો ગરબો ગવાયો ત્યારે તે ગરબાનો વીડિયો ગુજરાતના દિગ્ગજ નેતાઓએ ટ્વિટ કર્યો  છે. ગુજરાત બીજેપી, હર્ષ સંઘવી સહિતના નેતાઓએ તે વીડિયો શેર કર્યો છે.  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.