PM Modi દ્વારા લખાયેલા ગરબા પર ઝૂમ્યા ખેલૈયાઓ, જુઓ United Way Of Barodaના ગરબાનો વીડિયો


  • Published By :
  • Published Date : 2023-10-23 10:29:54

ગુજરાત અને ગરબા એક બીજાનું પર્યાય છે. એવું માનવામાં આવે છે ગમે તે તહેવાર કેમ ન હોય ગરબા કર્યા વગરએ તહેવારની ઉજવણી અધૂરી લાગે. એવું માનવામાં આવે છે કે ગુજરાતીઓ કોઈ પણ બિટ પર, કોઈ પણ સમયે ગરબાના તાલે ઝુમી શકે છે. ગરબા સાંભળ્યા નથી કે લોકોના પગ હલવાના શરૂ થયા છે. ગુજરાતમાં આમ તો મુખ્યત્વે દરેક જગ્યાઓ પર ગરબાનું આયોજન કરવામાં આવતું હોય છે. મોટી સંખ્યામાં ખેલૈયાઓ ત્યાં ગરબા રમતા હોય છે. ગરબે ઘૂમી ભક્તો માતાજીની આરાધના કરે છે.

  

અતુલ પુરોહિતે ગાયો પીએમ દ્વારા લખાયેલો ગરબો 

નવરાત્રી દરમિયાન નવો ગરબો આવે છે તો ગુજરાતીઓ તે ગરબા પર ન ઝુમે તે શક્ય નથી. ત્યારે નવરાત્રી પહેલા વડાપ્રધાન મોદીએ એક વીડિયો રિલીઝ કર્યો હતો જેમાં તેમના દ્વારા લખવામાં આવેલા ગરબાને સ્વરબદ્ધ કરવામાં આવ્યો હતો. એ ગરબો ભલે પીએમ મોદીએ ઘણા વર્ષો પહેલા લખ્યો હતો પરંતુ તેનો કેઝ આ વખતની નવરાત્રીમાં જોવા મળી રહ્યો છે. અનેક ગરબા આયોજનોમાં કલાકાર દ્વારા તેમના દ્વારા લખવામાં આવેલા ગરબાને ગાવામાં આવે છે. ત્યારે યુનાઈટેડ વે ઓફ વડોદરાના ગરબા વિખ્યાત છે. આ ગરબાના આયોજનમાં અતુલ પુરોહિત દ્વારા પીએમ દ્વારા લખવામાં આવેલો ગરબો ગવાયો હતો અને ખેલૈયાઓ મન મૂકીને નાચ્યા હતા. 

ગુજરાતના નેતાઓએ વીડિયો કર્યો ટ્વિટ 

પીએમ મોદીએ એક વીડિયો શેર કર્યો હતો જેમાં તેમણે એક ગરબો મૂક્યો હતો જેના શબ્દો તેમણે લખ્યા છે. થોડા દિવસો પહેલા પીએમે એક ટ્વિટ કર્યું હતું અને લખ્યું હતું કે ઘણા વર્ષો પહેલા આ ગરબો લખ્યો હતો. આ ગરબાને ધ્વનિ ભાનુશાળીએ અવાજ આપ્યો છે. ત્યારે વડોદરાના ગરબામાં જ્યારે પીએમ મોદી દ્વારા લખવામાં આવેલો ગરબો ગવાયો ત્યારે તે ગરબાનો વીડિયો ગુજરાતના દિગ્ગજ નેતાઓએ ટ્વિટ કર્યો  છે. ગુજરાત બીજેપી, હર્ષ સંઘવી સહિતના નેતાઓએ તે વીડિયો શેર કર્યો છે.  



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.