વિશ્વની સાંસ્કૃતિક ધરોહર તરીકે ઓળખાશે Garba, 2023ના અમૂર્ત સાંસ્કૃતિક વારસા તરીકે કરાઈ પસંદગી


  • Published By :
  • Published Date : 2023-12-06 14:52:23

ગુજરાત અને ગરબા એકબીજાનો પર્યાય છે તેમ કહીએ તો અતિશયોક્તિ ન કહેવાય. ગમે તે પ્રસંગ કેમ ન હોય તે પ્રસંગની ઉજવણી ગરબા વગર ગુજરાતીઓને અધૂરી લાગે. ગુજરાતીઓ ગમે ત્યારે, ગમે તે તહેવાર હોય, કોઈ પણ ગીત પર ગરબા કરી શકે છે, આમ જોવા જઈએ તો આ એક ખુબી છે! ન માત્ર ગુજરાતમાં પરંતુ ગરબા વિશ્વભરમાં પ્રચલિત થઈ ગયા છે. ગરબાને વૈશ્વિક ઓખળ મળી ગઈ છે. યુનેસ્કો દ્વારા ગુજરાતના ગરબાને ઇન્ટેન્જિબલ કલ્ચર હેરિટેજ જાહેર કરવામાં આવશે તેવી માહિતી સામે આવી છે. ચાર સ્થળો પર પરંપરાગત ગરબા સાથે વિશિષ્ટ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે તેમ સરકારની સત્તાવાર યાદીમાં જણાવાયું છે.   

નવરાત્રિ 2019: આ 5 જગ્યાના ગરબા છે સૌથી ફેમસ

ગુજરાતના ગરબાને યુનેસ્કોમાં સ્થાન!

ગુજરાતના ગરબાને યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશન સાયન્ટિફિક એન્ડ કલ્ચર ઓર્ગેનાઈઝેશન એટલે કે, યુનેસ્કો દ્વારા ઇન્ટેન્જિબલ કલ્ચર હેરિટેજ જાહેર કરવામાં આવશે. બોત્સાવાના ખાતે યુનેસ્કો દ્વારા સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે જેનું લાઈવ પ્રસારણ સાંજે 6 વાગ્યે કરવામાં આવશે તેવી માહિતી સામે આવી છે. ચાર સ્થળો પર પરંપરાગત ગરબા સાથે વિશિષ્ટ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે તેમ સરકારની સત્તાવાર યાદીમાં જણાવાયું છે. મહત્વનું છે કે ગરબાને માતાજીની, શક્તિની આરાધના માટેનું એક સાધન માનવામાં આવે છે. 

નવરાત્રી : ગરબો એટલે શું અને તેની શરૂઆત ક્યારે થઈ? - Gujju Planet

ગરબાને ઇન્ટેન્જિબલ કલ્ચર હેરિટેજ તરીકે કરાશે જાહેર 

નવરાત્રી દરમિયાન શક્તિની આરાધના માટે ગરબા કરવામાં આવે છે. વિવિધ જગ્યાઓ પર ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે ગરબાનું તેમજ ગુજરાતનું મહત્વ વધ્યું છે. યુનેસ્કો દ્વારા ગુજરાતના ગરબાને ઇન્ટેન્જિબલ કલ્ચર હેરિટેજ જાહેર કરવામાં આવશે તેવી માહિતી સામે આવી છે.          



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી