શક્તિપીઠોના પ્રાંગણમાં ગરબાનું આયોજન


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-12 13:38:22

ગુજરાતમાં નવરાત્રીનું અનેરૂ મહત્વ છે. શેરી ગરબાથી શરૂ થયેલી ગરબાની પ્રથા આજે પાર્ટી પ્લોટ સુધી પહોંચી છે. સરકારે પણ નવરાત્રીને લઈ તૈયારીઓ શરૂ કરી દીધી છે. અમદાવાદમાં જી.એમ.ડી.સી ગ્રાઉન્ડમાં ગરબાનું આયોજન થવાનું છે. ત્યારે ગુજરાતમાં આવેલા શક્તિપીઠોમાં પણ ગરબાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. શક્તિપીઠ અંબાજી,બહુચરાજી,પાવાગઢ,ચોટીલા સહિત 9 શક્તિપીઠો પર ગરબા રમાશે.

'મા'ના સાનિધ્યમાં યોજાશે ગરબા

નવરાત્રી દરમિયાન શક્તિપીઠોમાં દર્શન કરવાનું અનેરૂ મહત્વ રહેલું હોય છે. અનેક લોકો માતાજીના દર્શન કરવા શક્તિપીઠના દર્શને જાય છે. ભક્તિભાવ તેમજ ઉત્સાહ સાથે નવરાત્રીની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે શક્તિપીઠના ચાચર ચોકમાં ગરબા કરવાનો અનેરો મહિમાં હોય છે. જેને લઈ ખેલૈયાઓ પણ તૈયારીઓમાં લાગી ગયા છે.

Garba Vector Art, Icons, and Graphics for Free Download   

ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ

કોઈ પણ તહેવાર હોય કે પ્રસંગ હોય ગુજરાતીઓનો પ્રસંગ ગરબા વગર અધૂરો લાગે. ત્યારે કોરોનાને કારણે છેલ્લા બે વર્ષથી ગરબાનું આયોજન કરવામાં આવ્યું ન હતું. અનેક પ્રતિબંધોને કારણે મોટા આયોજનો રદ્દ કરાયા હતા. લાંબા સમયથી ગરબા રમવા ન મળતા લોકોમાં આ વર્ષે ડબલ ઉત્સાહ જોવા મળે છે. સરકાર પણ મોટા પાયે ગરબાનું આયોજન કરી રહી છે ત્યારે ગુજરાતના 9 શક્તિપીઠો પર પણ નવરાત્રીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. ગરબા માટે પ્રખ્યાત ગુજરાતીઓ ઘણા સમય બાદ ગરબે ધૂમશે.



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .