શક્તિપીઠોના પ્રાંગણમાં ગરબાનું આયોજન


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-12 13:38:22

ગુજરાતમાં નવરાત્રીનું અનેરૂ મહત્વ છે. શેરી ગરબાથી શરૂ થયેલી ગરબાની પ્રથા આજે પાર્ટી પ્લોટ સુધી પહોંચી છે. સરકારે પણ નવરાત્રીને લઈ તૈયારીઓ શરૂ કરી દીધી છે. અમદાવાદમાં જી.એમ.ડી.સી ગ્રાઉન્ડમાં ગરબાનું આયોજન થવાનું છે. ત્યારે ગુજરાતમાં આવેલા શક્તિપીઠોમાં પણ ગરબાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. શક્તિપીઠ અંબાજી,બહુચરાજી,પાવાગઢ,ચોટીલા સહિત 9 શક્તિપીઠો પર ગરબા રમાશે.

'મા'ના સાનિધ્યમાં યોજાશે ગરબા

નવરાત્રી દરમિયાન શક્તિપીઠોમાં દર્શન કરવાનું અનેરૂ મહત્વ રહેલું હોય છે. અનેક લોકો માતાજીના દર્શન કરવા શક્તિપીઠના દર્શને જાય છે. ભક્તિભાવ તેમજ ઉત્સાહ સાથે નવરાત્રીની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે શક્તિપીઠના ચાચર ચોકમાં ગરબા કરવાનો અનેરો મહિમાં હોય છે. જેને લઈ ખેલૈયાઓ પણ તૈયારીઓમાં લાગી ગયા છે.

Garba Vector Art, Icons, and Graphics for Free Download   

ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ

કોઈ પણ તહેવાર હોય કે પ્રસંગ હોય ગુજરાતીઓનો પ્રસંગ ગરબા વગર અધૂરો લાગે. ત્યારે કોરોનાને કારણે છેલ્લા બે વર્ષથી ગરબાનું આયોજન કરવામાં આવ્યું ન હતું. અનેક પ્રતિબંધોને કારણે મોટા આયોજનો રદ્દ કરાયા હતા. લાંબા સમયથી ગરબા રમવા ન મળતા લોકોમાં આ વર્ષે ડબલ ઉત્સાહ જોવા મળે છે. સરકાર પણ મોટા પાયે ગરબાનું આયોજન કરી રહી છે ત્યારે ગુજરાતના 9 શક્તિપીઠો પર પણ નવરાત્રીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. ગરબા માટે પ્રખ્યાત ગુજરાતીઓ ઘણા સમય બાદ ગરબે ધૂમશે.



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"