વિસાવદર તાલુકાના રાજપરા ગામે યોજાયો ગઢવી સમાજનો પ્રથમ સમૂહ લગ્નોત્સવ


  • Published By :
  • Published Date : 2023-02-12 13:34:21

જાણીતા લોક સાહિત્યકાર રાજભા ગઢવીના પ્રયાસથી વિસાવદર તાલુકાના રાજપરા ગીર ગામે 'દીકરી તુલસીનો ક્યારો' શીર્ષક હેઠળ  ગઢવી-ચારણ સમાજનો પ્રથમ સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. સમૂહ લગ્નોત્સવમાંમાં રાજકીય, સામાજિક અને શૈક્ષણિક સંસ્થાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. 


14 નવ યુગલો લગ્નગ્રંથીથી જોડાયા


વિસાવદરથી 15 કિ.મી દુર ગીર જંગલમાં આવેલા એક ગામ રાજપરામાં રવેચી માતાના સાનિધ્યમાં તા 11 ફ્રેબુઆરીએ ગઢવી સમાજની 14 દિકરીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યાં હતા. શ્રી રાજભા ગીર સેવા ફાઉન્ડેશન દ્વારા ગીરના નેસડામાં આ પ્રથમ  સમુહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. 


મોગલ માતાઓ ઉપસ્થિત રહી


આ સમૂહ લગ્નોત્સવમાં ચારણ ગઢવી સમાજના 14 નવયુગલે પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. ત્યારે આ નવદંપત્તિઓને આશીર્વાદ પાઠવવા આજુબાજુના ધર્મ સંસ્થાઓમાંથી આઈ મોગલ માતાઓ પધારી આશીર્વાદ પાઠવ્યા હતા. આ સમૂહ લગ્નોત્સવ દરમિયાન રાત્રિના લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું.


ભજન-સંતવાણીનો કાર્યક્રમ 


રવેચી ધામ ખાતે રાત્રે ભજન અને સંતવાણી લોક ડાયરાનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મેરામણ ગઢવી,  હરેશદાન ગઢવી, જીજ્ઞેશ બારોટ, રાજભા ગઢવી વગેરે કવાકારોએ તેમની ચારણી શૈલીમાં લોક લાહિત્યની રમઝટ બોલાવી હતી. ડાયરાની મજા માણવો મોટી સંખ્યામાં સ્થાનિક લોકો અને મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.