વિસાવદર તાલુકાના રાજપરા ગામે યોજાયો ગઢવી સમાજનો પ્રથમ સમૂહ લગ્નોત્સવ


  • Published By :
  • Published Date : 2023-02-12 13:34:21

જાણીતા લોક સાહિત્યકાર રાજભા ગઢવીના પ્રયાસથી વિસાવદર તાલુકાના રાજપરા ગીર ગામે 'દીકરી તુલસીનો ક્યારો' શીર્ષક હેઠળ  ગઢવી-ચારણ સમાજનો પ્રથમ સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. સમૂહ લગ્નોત્સવમાંમાં રાજકીય, સામાજિક અને શૈક્ષણિક સંસ્થાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. 


14 નવ યુગલો લગ્નગ્રંથીથી જોડાયા


વિસાવદરથી 15 કિ.મી દુર ગીર જંગલમાં આવેલા એક ગામ રાજપરામાં રવેચી માતાના સાનિધ્યમાં તા 11 ફ્રેબુઆરીએ ગઢવી સમાજની 14 દિકરીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યાં હતા. શ્રી રાજભા ગીર સેવા ફાઉન્ડેશન દ્વારા ગીરના નેસડામાં આ પ્રથમ  સમુહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. 


મોગલ માતાઓ ઉપસ્થિત રહી


આ સમૂહ લગ્નોત્સવમાં ચારણ ગઢવી સમાજના 14 નવયુગલે પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. ત્યારે આ નવદંપત્તિઓને આશીર્વાદ પાઠવવા આજુબાજુના ધર્મ સંસ્થાઓમાંથી આઈ મોગલ માતાઓ પધારી આશીર્વાદ પાઠવ્યા હતા. આ સમૂહ લગ્નોત્સવ દરમિયાન રાત્રિના લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું.


ભજન-સંતવાણીનો કાર્યક્રમ 


રવેચી ધામ ખાતે રાત્રે ભજન અને સંતવાણી લોક ડાયરાનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મેરામણ ગઢવી,  હરેશદાન ગઢવી, જીજ્ઞેશ બારોટ, રાજભા ગઢવી વગેરે કવાકારોએ તેમની ચારણી શૈલીમાં લોક લાહિત્યની રમઝટ બોલાવી હતી. ડાયરાની મજા માણવો મોટી સંખ્યામાં સ્થાનિક લોકો અને મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.