વિસાવદર તાલુકાના રાજપરા ગામે યોજાયો ગઢવી સમાજનો પ્રથમ સમૂહ લગ્નોત્સવ


  • Published By :
  • Published Date : 2023-02-12 13:34:21

જાણીતા લોક સાહિત્યકાર રાજભા ગઢવીના પ્રયાસથી વિસાવદર તાલુકાના રાજપરા ગીર ગામે 'દીકરી તુલસીનો ક્યારો' શીર્ષક હેઠળ  ગઢવી-ચારણ સમાજનો પ્રથમ સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. સમૂહ લગ્નોત્સવમાંમાં રાજકીય, સામાજિક અને શૈક્ષણિક સંસ્થાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. 


14 નવ યુગલો લગ્નગ્રંથીથી જોડાયા


વિસાવદરથી 15 કિ.મી દુર ગીર જંગલમાં આવેલા એક ગામ રાજપરામાં રવેચી માતાના સાનિધ્યમાં તા 11 ફ્રેબુઆરીએ ગઢવી સમાજની 14 દિકરીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યાં હતા. શ્રી રાજભા ગીર સેવા ફાઉન્ડેશન દ્વારા ગીરના નેસડામાં આ પ્રથમ  સમુહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. 


મોગલ માતાઓ ઉપસ્થિત રહી


આ સમૂહ લગ્નોત્સવમાં ચારણ ગઢવી સમાજના 14 નવયુગલે પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. ત્યારે આ નવદંપત્તિઓને આશીર્વાદ પાઠવવા આજુબાજુના ધર્મ સંસ્થાઓમાંથી આઈ મોગલ માતાઓ પધારી આશીર્વાદ પાઠવ્યા હતા. આ સમૂહ લગ્નોત્સવ દરમિયાન રાત્રિના લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું.


ભજન-સંતવાણીનો કાર્યક્રમ 


રવેચી ધામ ખાતે રાત્રે ભજન અને સંતવાણી લોક ડાયરાનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મેરામણ ગઢવી,  હરેશદાન ગઢવી, જીજ્ઞેશ બારોટ, રાજભા ગઢવી વગેરે કવાકારોએ તેમની ચારણી શૈલીમાં લોક લાહિત્યની રમઝટ બોલાવી હતી. ડાયરાની મજા માણવો મોટી સંખ્યામાં સ્થાનિક લોકો અને મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.