ગેસ સિલિન્ડરની ચોરી કરતા આરોપીને પોલીસે ઝડપી પાડ્યો, 25 સિલિન્ડર કબ્જે કર્યા


  • Published By :
  • Published Date : 2022-12-11 13:52:13

રાજ્યમાં ચોરીની ઘટનામાં વધારો થયો છે. સુરતમાં અનેક વખત ચોરી થવાની ફરિયાદ આવી રહી હતી. આ ચોરી રોકડ કે દાગીનાની ન હતી પરંતુ ગેસ સિલિન્ડરની ચોરીની ફરિયાદો થતી હતી. ત્યારે પોલીસે સુરતના કપોદ્રરા વિસ્તારમાં રહેતા એક આરોપીને ઝડપી લીધો છે. પોલીસે તેની પાસેથી 25 ગેસ સિલિન્ડર કબજે કર્યા છે. 


ડુપ્લીકેટ ચાવી બનાવી ગેસ સિલિન્ડરની કરતો ચોરી 

મોંઘવારી દિવસેને દિવસે વધી રહી છે. પેટ્રોલ, ડિઝલ, ગેસ સિલિન્ડર સહિતની વસ્તુઓ મોઘી થઈ રહી છે. લોકો મોંઘવારીથી ત્રાસી ગયા છે. ત્યારે સુરતમાં એક એવો ચોર સામે આવ્યો જે ગેસ સિલિન્જરની ચોરી કરતો હતો. સુરતમાં એક ચોર ડુપ્લીકેટ ચાવી બનાવી ઘરમાં રહેલા ગેસ સિલિન્ડરની ચોરી કરી લેતો. પોલીસને અનેક ફરિયાદો આ અંગે મળતી હતી. જેને કારણે પોલીસે ચોરને પકડવાની તજવીજ હાથ ધરી. તપાસ દરમિયાન પોલીસને સીસીટીવી મળ્યા. પોલીસના જણાવ્યા અનુસાર આરોપી દિવસ તથા રાત્રીના સમયે સોસાયટીની અંદર પ્રવેશ કરતો અને ડુબ્લીકેટ ચાવીની મદદથી ગેસનો બાટલો ચોરી કરી ફરાર થઈ જતો. પોલીસની પૂછપરછ દરમિયાન આરોપીએ આ ગુન્હાની કબૂલાત કરી છે. અને પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. 




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.