ગેસ સિલિન્ડરની ચોરી કરતા આરોપીને પોલીસે ઝડપી પાડ્યો, 25 સિલિન્ડર કબ્જે કર્યા


  • Published By :
  • Published Date : 2022-12-11 13:52:13

રાજ્યમાં ચોરીની ઘટનામાં વધારો થયો છે. સુરતમાં અનેક વખત ચોરી થવાની ફરિયાદ આવી રહી હતી. આ ચોરી રોકડ કે દાગીનાની ન હતી પરંતુ ગેસ સિલિન્ડરની ચોરીની ફરિયાદો થતી હતી. ત્યારે પોલીસે સુરતના કપોદ્રરા વિસ્તારમાં રહેતા એક આરોપીને ઝડપી લીધો છે. પોલીસે તેની પાસેથી 25 ગેસ સિલિન્ડર કબજે કર્યા છે. 


ડુપ્લીકેટ ચાવી બનાવી ગેસ સિલિન્ડરની કરતો ચોરી 

મોંઘવારી દિવસેને દિવસે વધી રહી છે. પેટ્રોલ, ડિઝલ, ગેસ સિલિન્ડર સહિતની વસ્તુઓ મોઘી થઈ રહી છે. લોકો મોંઘવારીથી ત્રાસી ગયા છે. ત્યારે સુરતમાં એક એવો ચોર સામે આવ્યો જે ગેસ સિલિન્જરની ચોરી કરતો હતો. સુરતમાં એક ચોર ડુપ્લીકેટ ચાવી બનાવી ઘરમાં રહેલા ગેસ સિલિન્ડરની ચોરી કરી લેતો. પોલીસને અનેક ફરિયાદો આ અંગે મળતી હતી. જેને કારણે પોલીસે ચોરને પકડવાની તજવીજ હાથ ધરી. તપાસ દરમિયાન પોલીસને સીસીટીવી મળ્યા. પોલીસના જણાવ્યા અનુસાર આરોપી દિવસ તથા રાત્રીના સમયે સોસાયટીની અંદર પ્રવેશ કરતો અને ડુબ્લીકેટ ચાવીની મદદથી ગેસનો બાટલો ચોરી કરી ફરાર થઈ જતો. પોલીસની પૂછપરછ દરમિયાન આરોપીએ આ ગુન્હાની કબૂલાત કરી છે. અને પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. 




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.