ગેસ સિલિન્ડરની ચોરી કરતા આરોપીને પોલીસે ઝડપી પાડ્યો, 25 સિલિન્ડર કબ્જે કર્યા


  • Published By :
  • Published Date : 2022-12-11 13:52:13

રાજ્યમાં ચોરીની ઘટનામાં વધારો થયો છે. સુરતમાં અનેક વખત ચોરી થવાની ફરિયાદ આવી રહી હતી. આ ચોરી રોકડ કે દાગીનાની ન હતી પરંતુ ગેસ સિલિન્ડરની ચોરીની ફરિયાદો થતી હતી. ત્યારે પોલીસે સુરતના કપોદ્રરા વિસ્તારમાં રહેતા એક આરોપીને ઝડપી લીધો છે. પોલીસે તેની પાસેથી 25 ગેસ સિલિન્ડર કબજે કર્યા છે. 


ડુપ્લીકેટ ચાવી બનાવી ગેસ સિલિન્ડરની કરતો ચોરી 

મોંઘવારી દિવસેને દિવસે વધી રહી છે. પેટ્રોલ, ડિઝલ, ગેસ સિલિન્ડર સહિતની વસ્તુઓ મોઘી થઈ રહી છે. લોકો મોંઘવારીથી ત્રાસી ગયા છે. ત્યારે સુરતમાં એક એવો ચોર સામે આવ્યો જે ગેસ સિલિન્જરની ચોરી કરતો હતો. સુરતમાં એક ચોર ડુપ્લીકેટ ચાવી બનાવી ઘરમાં રહેલા ગેસ સિલિન્ડરની ચોરી કરી લેતો. પોલીસને અનેક ફરિયાદો આ અંગે મળતી હતી. જેને કારણે પોલીસે ચોરને પકડવાની તજવીજ હાથ ધરી. તપાસ દરમિયાન પોલીસને સીસીટીવી મળ્યા. પોલીસના જણાવ્યા અનુસાર આરોપી દિવસ તથા રાત્રીના સમયે સોસાયટીની અંદર પ્રવેશ કરતો અને ડુબ્લીકેટ ચાવીની મદદથી ગેસનો બાટલો ચોરી કરી ફરાર થઈ જતો. પોલીસની પૂછપરછ દરમિયાન આરોપીએ આ ગુન્હાની કબૂલાત કરી છે. અને પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. 




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે