ગેસ સિલિન્ડરની ચોરી કરતા આરોપીને પોલીસે ઝડપી પાડ્યો, 25 સિલિન્ડર કબ્જે કર્યા


  • Published By :
  • Published Date : 2022-12-11 13:52:13

રાજ્યમાં ચોરીની ઘટનામાં વધારો થયો છે. સુરતમાં અનેક વખત ચોરી થવાની ફરિયાદ આવી રહી હતી. આ ચોરી રોકડ કે દાગીનાની ન હતી પરંતુ ગેસ સિલિન્ડરની ચોરીની ફરિયાદો થતી હતી. ત્યારે પોલીસે સુરતના કપોદ્રરા વિસ્તારમાં રહેતા એક આરોપીને ઝડપી લીધો છે. પોલીસે તેની પાસેથી 25 ગેસ સિલિન્ડર કબજે કર્યા છે. 


ડુપ્લીકેટ ચાવી બનાવી ગેસ સિલિન્ડરની કરતો ચોરી 

મોંઘવારી દિવસેને દિવસે વધી રહી છે. પેટ્રોલ, ડિઝલ, ગેસ સિલિન્ડર સહિતની વસ્તુઓ મોઘી થઈ રહી છે. લોકો મોંઘવારીથી ત્રાસી ગયા છે. ત્યારે સુરતમાં એક એવો ચોર સામે આવ્યો જે ગેસ સિલિન્જરની ચોરી કરતો હતો. સુરતમાં એક ચોર ડુપ્લીકેટ ચાવી બનાવી ઘરમાં રહેલા ગેસ સિલિન્ડરની ચોરી કરી લેતો. પોલીસને અનેક ફરિયાદો આ અંગે મળતી હતી. જેને કારણે પોલીસે ચોરને પકડવાની તજવીજ હાથ ધરી. તપાસ દરમિયાન પોલીસને સીસીટીવી મળ્યા. પોલીસના જણાવ્યા અનુસાર આરોપી દિવસ તથા રાત્રીના સમયે સોસાયટીની અંદર પ્રવેશ કરતો અને ડુબ્લીકેટ ચાવીની મદદથી ગેસનો બાટલો ચોરી કરી ફરાર થઈ જતો. પોલીસની પૂછપરછ દરમિયાન આરોપીએ આ ગુન્હાની કબૂલાત કરી છે. અને પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. 




પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.