અમીરોની યાદીમાં અદાણી હવે 25માં ક્રમે, 70 અબજ ડોલરની સંપત્તિ ગુમાવી


  • Published By :
  • Published Date : 2023-02-16 20:03:12

ગૌતમ અદાણીની નેટવર્થમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ગૌતમ અદાણી એક સમયે વિશ્વના અમીરોની યાદીમાં બીજા નંબર પર હતા. એક મહિના પહેલા જ તેમની સંપત્તિ 127 અબજ ડોલર હતી. જ્યારે હવે, તેમની નેટવર્થ ઘટીને 50.4 અબજ ડોલર થઈ ગઈ છે. 


કેટલી સંપત્તી ગુમાવી?


બ્લૂમબર્ગ બિલિયોનેર ઈન્ડેક્સમાં ગૌતમ અદાણી સતત નીચે સરકી રહ્યા છે. 24માં નંબર પર છે. પરંતુ જો સ્થિતિ આવી જ રહી તો તે જલ્દી જ 25માં સ્થાને પહોંચી શકે છે. છેલ્લા 20 દિવસમાં અદાણીએ લગભગ 70 અબજ ડોલરની સંપત્તિ ગુમાવી છે. 


શા માટે સંપત્તીનું થયું ધોવાણ?


અમેરિકાની શોર્ટ સેલર કંપની હિંડનબર્ગ રિસર્ચે અડાણી ગ્રુપને લઈ એક નેગેટિવ રિપોર્ટ જાહેર કર્યો હતો. હિંડનબર્ગ રિસર્ચની રિપોર્ટ બાદ અદાણી ગ્રુપમાં ભૂકંપ આવી ગયો છે. શેર બજારમાં અદાણી ગ્રુપની તમામ કંપનીઓના શેર ધરાશાઈ થઈ રહ્યા છે. ગૌતમ અદાણીની ખાનગી સંપત્તી પણ ઘટીને અડધી થઈ ગઈ છે. કંપનીનું માર્કેટ કેપ 125 અબજ ડોલર સુધી ઘટી ગયું છે. 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.