અમીરોની યાદીમાં અદાણી હવે 25માં ક્રમે, 70 અબજ ડોલરની સંપત્તિ ગુમાવી


  • Published By :
  • Published Date : 2023-02-16 20:03:12

ગૌતમ અદાણીની નેટવર્થમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ગૌતમ અદાણી એક સમયે વિશ્વના અમીરોની યાદીમાં બીજા નંબર પર હતા. એક મહિના પહેલા જ તેમની સંપત્તિ 127 અબજ ડોલર હતી. જ્યારે હવે, તેમની નેટવર્થ ઘટીને 50.4 અબજ ડોલર થઈ ગઈ છે. 


કેટલી સંપત્તી ગુમાવી?


બ્લૂમબર્ગ બિલિયોનેર ઈન્ડેક્સમાં ગૌતમ અદાણી સતત નીચે સરકી રહ્યા છે. 24માં નંબર પર છે. પરંતુ જો સ્થિતિ આવી જ રહી તો તે જલ્દી જ 25માં સ્થાને પહોંચી શકે છે. છેલ્લા 20 દિવસમાં અદાણીએ લગભગ 70 અબજ ડોલરની સંપત્તિ ગુમાવી છે. 


શા માટે સંપત્તીનું થયું ધોવાણ?


અમેરિકાની શોર્ટ સેલર કંપની હિંડનબર્ગ રિસર્ચે અડાણી ગ્રુપને લઈ એક નેગેટિવ રિપોર્ટ જાહેર કર્યો હતો. હિંડનબર્ગ રિસર્ચની રિપોર્ટ બાદ અદાણી ગ્રુપમાં ભૂકંપ આવી ગયો છે. શેર બજારમાં અદાણી ગ્રુપની તમામ કંપનીઓના શેર ધરાશાઈ થઈ રહ્યા છે. ગૌતમ અદાણીની ખાનગી સંપત્તી પણ ઘટીને અડધી થઈ ગઈ છે. કંપનીનું માર્કેટ કેપ 125 અબજ ડોલર સુધી ઘટી ગયું છે. 



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.