અમીરોની યાદીમાં અદાણી હવે 25માં ક્રમે, 70 અબજ ડોલરની સંપત્તિ ગુમાવી


  • Published By :
  • Published Date : 2023-02-16 20:03:12

ગૌતમ અદાણીની નેટવર્થમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ગૌતમ અદાણી એક સમયે વિશ્વના અમીરોની યાદીમાં બીજા નંબર પર હતા. એક મહિના પહેલા જ તેમની સંપત્તિ 127 અબજ ડોલર હતી. જ્યારે હવે, તેમની નેટવર્થ ઘટીને 50.4 અબજ ડોલર થઈ ગઈ છે. 


કેટલી સંપત્તી ગુમાવી?


બ્લૂમબર્ગ બિલિયોનેર ઈન્ડેક્સમાં ગૌતમ અદાણી સતત નીચે સરકી રહ્યા છે. 24માં નંબર પર છે. પરંતુ જો સ્થિતિ આવી જ રહી તો તે જલ્દી જ 25માં સ્થાને પહોંચી શકે છે. છેલ્લા 20 દિવસમાં અદાણીએ લગભગ 70 અબજ ડોલરની સંપત્તિ ગુમાવી છે. 


શા માટે સંપત્તીનું થયું ધોવાણ?


અમેરિકાની શોર્ટ સેલર કંપની હિંડનબર્ગ રિસર્ચે અડાણી ગ્રુપને લઈ એક નેગેટિવ રિપોર્ટ જાહેર કર્યો હતો. હિંડનબર્ગ રિસર્ચની રિપોર્ટ બાદ અદાણી ગ્રુપમાં ભૂકંપ આવી ગયો છે. શેર બજારમાં અદાણી ગ્રુપની તમામ કંપનીઓના શેર ધરાશાઈ થઈ રહ્યા છે. ગૌતમ અદાણીની ખાનગી સંપત્તી પણ ઘટીને અડધી થઈ ગઈ છે. કંપનીનું માર્કેટ કેપ 125 અબજ ડોલર સુધી ઘટી ગયું છે. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.