કોહલી-કોહલીના નારાથી ગુસ્સે થયો ગૌતમ ગંભીર, દર્શકો સામે કરી અશ્લીલ હરકત, Video વાયરલ


  • Published By :
  • Published Date : 2023-09-04 22:29:08

ભારત અને નેપાળ વચ્ચે એશિયા કપ 2023 (Asia Cup 2023) ની પાંચમી મેચ કેન્ડીના પલ્લેકેલે ક્રિકેટ સ્ટેડિયમમાં યોજાઈ હતી. આ મેચમાં કોમેન્ટ્રી પેનલનો ભાગ રહેલા પૂર્વ ભારતીય બેટ્સમેન ગૌતમ ગંભીર(Gautam Gambhir)નો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. મેચ દરમિયાન જ્યારે ગંભીર મેદાનની અંદર જઈ રહ્યો હતો ત્યારે દર્શકોએ કોહલી-કોહલીના નારા લગાવવાનું શરૂ કરી દીધું હતું. આના પર ગુસ્સે થયેલા ગંભીરે પ્રતિક્રિયા આપતા તેની મીડલ ફિંગર બતાવી હતી.


ગૌતમ ગંભીરનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ


ગૌતમ ગંભીર નો સ્ટેડિયમમાં ફેન્સ સામે અશ્લીલ ઈશારો કરતો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયો એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેના મહા મુકાબલાનો હોવાનું સામે આવ્યું છે, જોકે આ અંગે કોઈ સ્પષ્ટતા થઈ નથી. આ વીડિયો ભારત અને નેપાળ વચ્ચેની મેચ દરમિયાન સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો હતો.


ગૌતમ ગંભીરે કર્યો ખુલાસો 


આ ઘટના બાદ આજે ભારત અને નેપાળ વચ્ચેની મેચ બાદ ગૌતમ ગંભીરે આ ઘટના અંગે ખુલાસો કર્યો હતો. ગંભીરે મિડલ ફિંગર વાયરલ વીડિયો વિશે કહ્યું, “ભીડ ભારત વિરોધી સૂત્રોચ્ચાર કરી રહી હતી, એક ભારતીય તરીકે, હું મારા દેશ વિશે આવું બોલનાર કોઈની વાતોને સહન કરી શકતો નથી તેથી આ રીતે પ્રતિક્રિયા આપી હતી. તમે સોશિયલ મીડિયા પર જે જુઓ છો તે હંમેશા સત્ય નથી હોતું.”



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.