ડાંગના આહવા સ્થિત સ્વરાજ આશ્રમમાં સગીરા પર દુષ્કર્મ! આરોપીની ધરપકડ! સાંસદનો આક્રોશ!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2026-01-29 19:49:34

ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે આવેલી સ્વરાજ આશ્રમશાળામાં બનેલી એક અત્યંત ગંભીર ઘટનાએ સમગ્ર જિલ્લામાં નહીં પરંતુ ગુજરાતભરમાં ચકચાર જગાવી છે. આશ્રમમાં અભ્યાસ કરતી 15 વર્ષીય સગીર વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ થયાની ફરિયાદ નોંધાતા પોલીસે આશ્રમના મહિલા પ્રમુખના પતિ પ્રફુલ નાયકની ધરપકડ કરી છે. 


શું છે સમગ્ર મામલો?

પીડિતાની માતાએ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ અનુસાર, આશ્રમમાં રસોઈ કામ કરતી સોનલબેન નામની મહિલાએ સગીર વિદ્યાર્થીનીને “રસોડામાં કામ છે” એવું કહીને વિશ્વાસમાં લઈ બોલાવી હતી. ત્યારબાદ બાળકીને પીણામાં નશીલો પદાર્થ ભેળવી પીવડાવવામાં આવ્યો હોવાનો આરોપ છે. આ સ્થિતિનો લાભ લઈ આરોપી પ્રફુલ નાયકએ બાળકી સાથે ગંભીર ગુનાહિત કૃત્ય આચર્યું હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે. ઘટનાની જાણ થયા બાદ પીડિતાની માતા આશ્રમમાં આવી અને દીકરી સાથે વાત કરતાં સમગ્ર મામલો બહાર આવ્યો. ત્યારબાદ તાત્કાલિક પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે દુષ્કર્મ તથા પોક્સો (POCSO) એક્ટ હેઠળ ગુનો નોંધી મુખ્ય આરોપીની ધરપકડ કરી છે, જ્યારે અન્ય સંડોવાયેલા આરોપીને પકડવા કાર્યવાહી તેજ બનાવવામાં આવી છે.


આરોપી પ્રફુલ નાયકની ધરપકડ 






સાંસદ ધવલ પટેલનો આક્રોશ

આ ઘટનાને લઈ વલસાડ–ડાંગના સાંસદે ભારે રોષ વ્યક્ત કર્યો છે. સાંસદે સ્પષ્ટ ચેતવણી આપતા કહ્યું કે, દીકરીઓની સુરક્ષા સાથે ચેડાં કરનાર કોઈપણ વ્યક્તિ—ભલે તે કેટલુંય પ્રભાવશાળી કેમ ન હોય—કાયદાથી બચી શકશે નહીં. તેમણે સ્થાનિક પોલીસ અને પ્રશાસનને નિષ્પક્ષ, ઝડપી અને કડક તપાસ કરવા સૂચના આપી છે.


પીડિતાને ન્યાયની ખાતરી 
સાંસદે આદિવાસી સમાજને ખાતરી આપતા જણાવ્યું કે, પીડિત બાળકીને ન્યાય અપાવવા માટે તેઓ વ્યક્તિગત રીતે આ કેસનું મોનિટરિંગ કરશે અને દોષિતોને કાયદા મુજબ કડકમાં કડક સજા અપાવાશે. આ ઘટનાએ આશ્રમશાળાઓમાં બાળકોની સુરક્ષા, દેખરેખ અને જવાબદારી અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. હવે સમગ્ર રાજ્યની નજર આ કેસની તપાસ અને ન્યાયિક પ્રક્રિયા પર મંડાયેલી છે.



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.