ડાંગના આહવા સ્થિત સ્વરાજ આશ્રમમાં સગીરા પર દુષ્કર્મ! આરોપીની ધરપકડ! સાંસદનો આક્રોશ!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2026-01-29 19:49:34

ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે આવેલી સ્વરાજ આશ્રમશાળામાં બનેલી એક અત્યંત ગંભીર ઘટનાએ સમગ્ર જિલ્લામાં નહીં પરંતુ ગુજરાતભરમાં ચકચાર જગાવી છે. આશ્રમમાં અભ્યાસ કરતી 15 વર્ષીય સગીર વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ થયાની ફરિયાદ નોંધાતા પોલીસે આશ્રમના મહિલા પ્રમુખના પતિ પ્રફુલ નાયકની ધરપકડ કરી છે. 


શું છે સમગ્ર મામલો?

પીડિતાની માતાએ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ અનુસાર, આશ્રમમાં રસોઈ કામ કરતી સોનલબેન નામની મહિલાએ સગીર વિદ્યાર્થીનીને “રસોડામાં કામ છે” એવું કહીને વિશ્વાસમાં લઈ બોલાવી હતી. ત્યારબાદ બાળકીને પીણામાં નશીલો પદાર્થ ભેળવી પીવડાવવામાં આવ્યો હોવાનો આરોપ છે. આ સ્થિતિનો લાભ લઈ આરોપી પ્રફુલ નાયકએ બાળકી સાથે ગંભીર ગુનાહિત કૃત્ય આચર્યું હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે. ઘટનાની જાણ થયા બાદ પીડિતાની માતા આશ્રમમાં આવી અને દીકરી સાથે વાત કરતાં સમગ્ર મામલો બહાર આવ્યો. ત્યારબાદ તાત્કાલિક પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે દુષ્કર્મ તથા પોક્સો (POCSO) એક્ટ હેઠળ ગુનો નોંધી મુખ્ય આરોપીની ધરપકડ કરી છે, જ્યારે અન્ય સંડોવાયેલા આરોપીને પકડવા કાર્યવાહી તેજ બનાવવામાં આવી છે.


આરોપી પ્રફુલ નાયકની ધરપકડ 






સાંસદ ધવલ પટેલનો આક્રોશ

આ ઘટનાને લઈ વલસાડ–ડાંગના સાંસદે ભારે રોષ વ્યક્ત કર્યો છે. સાંસદે સ્પષ્ટ ચેતવણી આપતા કહ્યું કે, દીકરીઓની સુરક્ષા સાથે ચેડાં કરનાર કોઈપણ વ્યક્તિ—ભલે તે કેટલુંય પ્રભાવશાળી કેમ ન હોય—કાયદાથી બચી શકશે નહીં. તેમણે સ્થાનિક પોલીસ અને પ્રશાસનને નિષ્પક્ષ, ઝડપી અને કડક તપાસ કરવા સૂચના આપી છે.


પીડિતાને ન્યાયની ખાતરી 
સાંસદે આદિવાસી સમાજને ખાતરી આપતા જણાવ્યું કે, પીડિત બાળકીને ન્યાય અપાવવા માટે તેઓ વ્યક્તિગત રીતે આ કેસનું મોનિટરિંગ કરશે અને દોષિતોને કાયદા મુજબ કડકમાં કડક સજા અપાવાશે. આ ઘટનાએ આશ્રમશાળાઓમાં બાળકોની સુરક્ષા, દેખરેખ અને જવાબદારી અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. હવે સમગ્ર રાજ્યની નજર આ કેસની તપાસ અને ન્યાયિક પ્રક્રિયા પર મંડાયેલી છે.



એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે જબરદસ્ત તણાવ જબરદસ્ત સ્તરે પહોંચી ગયો છે. અમેરિકાએ ઈરાનના કેશમ આઇલેન્ડ પર હુમલો કરી દીધો છે તો બીજી તરફ , ઈરાને કુવૈત પર મિસાઇલો દાગી છે. હવે , કુવૈતમાં ઈરાનના હુમલામાં ૧ વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે. પશ્ચિમ એશિયા ફરી એકવાર ભીષણ યુદ્ધની ધરી પર પહોંચી ગયું છે.

જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.