Geeta Jayanti : માગશર સુદ અગિયારસે શ્રીકૃષ્ણએ આપ્યો હતો શ્રીમદ્ ભગવદ્ ગીતાનો ઉપદેશ, એવો ગ્રંથ જેમાં છે દરેક પ્રશ્નોના જવાબ!


  • Published By :
  • Published Date : 2023-12-22 10:15:47

શ્રીમદ્ ભગવદ્ ગીતા આ શબ્દ આપણાં કાનમાં જ્યારે પડે છે ત્યારે આપણી આંખોની સામે ધર્મક્ષેત્ર એવા કુરૂક્ષેત્રનું યુદ્ધમેદાન આવી જાય છે. અનાયસે આપણી સામે એ દ્રશ્ય આવી જાય છે જેમાં વચ્ચોવચ પૂર્ણપુરૂષોત્તમ ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનના રથને ઉભો રાખે છે અને ગીતાજીનો ઉપદેશ અર્જુન થકી સમસ્ત જગતને આપ્યો હતો. એવું માનવામાં આવે છે કે માગશર સુદ અગિયારસના દિવસે ભગવાન શ્રીકૃષ્ણએ શ્રીમદ્ ભગવાત ગીતાનો ઉપદેશ ધનુર્ધારી અર્જુનને આપ્યો હતો. આ દિવસને, આ તીથીને ગીતા જયંતી તરીકે ઉજવવામાં આવે છે.  

જીવનનાં તત્ત્વ સત્ત્વનો સાર એટલે (શ્રીમદ્ ભગવદ્ ગીતા..) | The essence of  the essence of life is the essence of Sattva (Srimad Bhagavad Gita ..)  Dharmlok 05 December 2019


અર્જુનને ભગવાન કૃષ્ણએ આપ્યો હતો ગીતાનો ઉપદેશ્ય

હિંદુ ધર્મમાં શ્રીમદ્ ભગવદ્ ગીતાને મહત્વનો ગ્રંથ માનવામાં આવે છે. આપણે ત્યાં ગીતાજીને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. એવું કહેવાય છે કે એવો એક પ્રશ્ન નહીં હોય જેનો જવાબ શ્રીમદ્ ભગવદ્ ગીતામાં નહીં હોય. જીવનના દરેક પ્રશ્નનો, દરેક સમસ્યાનો ઉકેલ આ ગ્રંથમાં મળી જાય છે તેવું માનવામાં આવે છે. કુરૂક્ષેત્રના મેદાનમાં જ્યારે અર્જુનને વિષાદ થાય છે ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ તેમને સ્થિતપ્રજ્ઞ રહેવાનો ઉપદેશ્ય આપે છે. સ્થિતપ્રજ્ઞ એટલે ગમે તેવી વિષમ પરિસ્થિતિ કેમ ન હોય પોતાના મનને કાબુમાં રાખી શકે તેને સ્થિતપ્રજ્ઞ કહેવાય છે. ગીતાજીને આપણે જ્ઞાનનો સાગર માનીએ છીએ. 

શ્રીમદ્ ભગવદ્ ગીતા : ગીતાજીનું ઉદ્ભવ સ્થાન મહાભારતની યુદ્ધિભૂમિ | Shrimad  Bhagwad Gita: The place of origin of Gitaji is the battlefield of  Mahabharata

માગશર સુદ અગિયારસના દિવસે ઉજવવામાં આવે છે ગીતા જંયતી 

એવું માનવામાં આવે છે કે ભગવદ્ ગીતાનો ઉપદેશ ન માત્ર પાર્થે પરંતુ રથની ધ્વજા પર બિરાજમાન થયેલા હનુમાનજીએ, બર્બરિક અને સંજયે સાંભળો હતો. જે દિવસે ભગવાને પાર્થને ભગવદ્ ગીતાનો ઉપદેશ આપ્યો હતો તે તીથી માગશર સુદ અગિયારસ હતી. એટલે આ તીથીને ગીતા જયંતી તરીકે પણ ઉજવવામાં આવે છે. આ અગિયારસને મોક્ષદા એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. 

શ્રીમદ ભગવદ ગીતાની ખાસ વિશિષ્ટતાઓ આવો જાણીએ.. | ATUL N. CHOTAI

18 અધ્યાય અને 700 શ્લોક છે શ્રીમદ્ ભગવદ્ ગીતામાં 

સામાન્ય રીતે આપણે ત્યાં મરણ પાછળ ગીતાજીનો પાઠ રાખવામાં આવે છે એવું માનીને કે મરનારની આત્માને મોક્ષ મળે તે માટે. ગીતાજીને મોક્ષ આપનારો ગ્રંથ પણ માનવામાં આવે છે. શ્રીમદ્ ભગવત ગીતામાં કુલ 18 અધ્યાય છે જેમાં 700 શ્લોક છે. આ 18 અધ્યાયની વાત કરીએ તો 6 અધ્યાયોમાં કર્મયોગને સમજાવામાં આવ્યો છે. તે ઉપરાંત ગીતાજીના અન્ય અધ્યાયોમાં જ્ઞાનયોગની તેમજ ભક્તિયોગની ચર્ચા કરવામાં આવી છે. ત્યારે જોઈએ એવા શ્લોકને જે પ્રચલિત છે.   






સુપ્રીમ કોર્ટમાં આજે અરવલ્લી પર્વતમાળાને લઇને સુનાવણી હાથ ધરાઈ છે . જેમાં , સુપ્રીમ કોર્ટે અરવલ્લી પર્વતમાળાની પરિભાષાને લઇને આજે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. આજે સુપ્રીમ કોર્ટની વેકેશન બેન્ચ જેમાં , CJI સૂર્યકાન્ત , જસ્ટિસ જે કે મહેશ્વરી અને જસ્ટિસ એજી મસીહ છે તેમના દ્વારા સુનાવણી હાથ ધરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે આ મુદ્દે , સુઓમોટો સંજ્ઞાન લીધું હતું.

લોકસાહિત્યકાર દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ ચૌહાણ વચ્ચે સમાધાન થઇ ગયું છે. બંનેએ એકબીજાને મીઠાઈ ખવડાવી વિવાદનો અંત લાવવામાં આવ્યો છે. ધ્રુવરાજસિંહ ચૌહાણ પર ૧૨મી ઓગસ્ટના રોજ હુમલો થયો હતો. ડાયરાના કાર્યક્રમમાં દેવાયત ખવડ હાજર ન રહેતા બંને વચ્ચે તકરાર થઈ હતી. હવે સોશ્યિલ મીડિયા પર દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ ચૌહાણની આ તસ્વીર ખુબ જ વાઇરલ થઇ રહી છે.

Who does not know the famous Indian industrialist Dhirajlal Hira Chand Ambani alias Dhirubhai Ambani. Many people have heard his story from working at a petrol pump to establishing a company like Reliance Industries. But very few people know how much struggle he has had to reach here and what thoughts and principles he lives by. 28th December is Dhirubhai Ambani's birthday. Before that, Parimalbhai Nathwani has written an article on Dhirubhai's life and his principles. In the article, Parimal Nathwani has described Dhirubhai's life by linking it with the principles of Geeta.

ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લા અને શહેરમાં બાકી રહેલી નિયુક્તિઓને લઇને કવાયત તેજ કરવામાં આવી છે. છેલ્લા એક અઠવાડિયાથી જિલ્લા અને શહેર પ્રમુખની નિયુક્તિઓ માટે બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે. આ માટે પ્રદેશપ્રમુખ જગદીશ પંચાલ અને સંગઠનમંત્રી રત્નાકર પાંડે તબક્કાવાર બેઠકો કરી રહ્યા છે જે અંતર્ગત વિવિધ જિલ્લાઓના હોદ્દેદારો સાથે બેઠક યોજવામાં આવી છે.