ગીતા રબારીની અમેરિકામાં ગરબાની જમાવટ, વિદેશીઓને પણ ગરબા, રાસ અને હીંચનું ઘેલું લગાડ્યું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-11 17:14:12

ગુજરાતમાં નવરાત્રી દરમિયાન ખેલૈયાઓએ હર્ષોલ્લાસભેર ગરબા અને દાંડિયા રાસની જમાવટ કરી હતી. કોરોના રોગચાળાના બે વર્ષ બાદ નવરાત્રીનું યોજાઈ શકી હોવાથી લોકોમાં તે અંગે ભરપુર ઉત્સાહ જોવા મળ્યો હતો. જો કે વિદેશોમાં હજુ પણ નવરાત્રીનો નશો હજુ  ઉતર્યો નથી. ત્યારે ગુજરાતના લોક ગાયિકા ગીતાબેન રબારીએ હાલમાં જ અમેરિકામાં નવરાત્રી કાર્યક્રમો કર્યા હતા. 


અમેરિકાના વિવિધ શહેરોમાં ગરબાના કાર્યક્રમ


ગીતાબેન રબારીએ અમેરિકામાં અલગ અલગ શહેરો જેવા કે ન્યૂ જર્સી, શિકાગો, કેન્ટુકી વગેરેમાં કાર્યક્રમો કર્યા હતા. ગીતા રબારીના સુરીલા અવાજ પર વિદેશીઓ પણ ઝૂમી ઉઠ્યા હતા. વિદેશીઓ પણ ગીતાબેન રબારીનાં સૂર પર ગરબે ઘૂમવા લાગ્યા હતા. ગીતાબેન રબારીએ ઈન્સ્ટાગ્રામ પર પોતાના કાર્યક્રમોની તસવીરો તથા વિડીયો શેર કર્યા છે. તેમણે શેર કરેલા વિડીયોમાં જોઈ શકાય છે કે કેટલા ઉત્સાહથી વિદેશમાં પણ લોકો ગરબે ઘૂમી રહ્યા છે. 




ગીતાબેન રબારીએ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો વિડીયો 


ગીતાબેન રબારીએ શેર કરેલી તસવીરમાં જોઈ શકાય છે કે તેઓ ભીડ સાથે સેલ્ફી ક્લિક કરી રહ્યા છે. રસપ્રદ વાત એ છે કે, જ્યારે તહેવારોની સિઝનની વાત આવે છે ત્યારે તે હંમેશા ટોપ-લિસ્ટેડ ગાયકોમાંની એક રહી છે.



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .