ગીતા રબારીની અમેરિકામાં ગરબાની જમાવટ, વિદેશીઓને પણ ગરબા, રાસ અને હીંચનું ઘેલું લગાડ્યું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-11 17:14:12

ગુજરાતમાં નવરાત્રી દરમિયાન ખેલૈયાઓએ હર્ષોલ્લાસભેર ગરબા અને દાંડિયા રાસની જમાવટ કરી હતી. કોરોના રોગચાળાના બે વર્ષ બાદ નવરાત્રીનું યોજાઈ શકી હોવાથી લોકોમાં તે અંગે ભરપુર ઉત્સાહ જોવા મળ્યો હતો. જો કે વિદેશોમાં હજુ પણ નવરાત્રીનો નશો હજુ  ઉતર્યો નથી. ત્યારે ગુજરાતના લોક ગાયિકા ગીતાબેન રબારીએ હાલમાં જ અમેરિકામાં નવરાત્રી કાર્યક્રમો કર્યા હતા. 


અમેરિકાના વિવિધ શહેરોમાં ગરબાના કાર્યક્રમ


ગીતાબેન રબારીએ અમેરિકામાં અલગ અલગ શહેરો જેવા કે ન્યૂ જર્સી, શિકાગો, કેન્ટુકી વગેરેમાં કાર્યક્રમો કર્યા હતા. ગીતા રબારીના સુરીલા અવાજ પર વિદેશીઓ પણ ઝૂમી ઉઠ્યા હતા. વિદેશીઓ પણ ગીતાબેન રબારીનાં સૂર પર ગરબે ઘૂમવા લાગ્યા હતા. ગીતાબેન રબારીએ ઈન્સ્ટાગ્રામ પર પોતાના કાર્યક્રમોની તસવીરો તથા વિડીયો શેર કર્યા છે. તેમણે શેર કરેલા વિડીયોમાં જોઈ શકાય છે કે કેટલા ઉત્સાહથી વિદેશમાં પણ લોકો ગરબે ઘૂમી રહ્યા છે. 




ગીતાબેન રબારીએ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો વિડીયો 


ગીતાબેન રબારીએ શેર કરેલી તસવીરમાં જોઈ શકાય છે કે તેઓ ભીડ સાથે સેલ્ફી ક્લિક કરી રહ્યા છે. રસપ્રદ વાત એ છે કે, જ્યારે તહેવારોની સિઝનની વાત આવે છે ત્યારે તે હંમેશા ટોપ-લિસ્ટેડ ગાયકોમાંની એક રહી છે.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.