ગીતા રબારીની અમેરિકામાં ગરબાની જમાવટ, વિદેશીઓને પણ ગરબા, રાસ અને હીંચનું ઘેલું લગાડ્યું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-11 17:14:12

ગુજરાતમાં નવરાત્રી દરમિયાન ખેલૈયાઓએ હર્ષોલ્લાસભેર ગરબા અને દાંડિયા રાસની જમાવટ કરી હતી. કોરોના રોગચાળાના બે વર્ષ બાદ નવરાત્રીનું યોજાઈ શકી હોવાથી લોકોમાં તે અંગે ભરપુર ઉત્સાહ જોવા મળ્યો હતો. જો કે વિદેશોમાં હજુ પણ નવરાત્રીનો નશો હજુ  ઉતર્યો નથી. ત્યારે ગુજરાતના લોક ગાયિકા ગીતાબેન રબારીએ હાલમાં જ અમેરિકામાં નવરાત્રી કાર્યક્રમો કર્યા હતા. 


અમેરિકાના વિવિધ શહેરોમાં ગરબાના કાર્યક્રમ


ગીતાબેન રબારીએ અમેરિકામાં અલગ અલગ શહેરો જેવા કે ન્યૂ જર્સી, શિકાગો, કેન્ટુકી વગેરેમાં કાર્યક્રમો કર્યા હતા. ગીતા રબારીના સુરીલા અવાજ પર વિદેશીઓ પણ ઝૂમી ઉઠ્યા હતા. વિદેશીઓ પણ ગીતાબેન રબારીનાં સૂર પર ગરબે ઘૂમવા લાગ્યા હતા. ગીતાબેન રબારીએ ઈન્સ્ટાગ્રામ પર પોતાના કાર્યક્રમોની તસવીરો તથા વિડીયો શેર કર્યા છે. તેમણે શેર કરેલા વિડીયોમાં જોઈ શકાય છે કે કેટલા ઉત્સાહથી વિદેશમાં પણ લોકો ગરબે ઘૂમી રહ્યા છે. 




ગીતાબેન રબારીએ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો વિડીયો 


ગીતાબેન રબારીએ શેર કરેલી તસવીરમાં જોઈ શકાય છે કે તેઓ ભીડ સાથે સેલ્ફી ક્લિક કરી રહ્યા છે. રસપ્રદ વાત એ છે કે, જ્યારે તહેવારોની સિઝનની વાત આવે છે ત્યારે તે હંમેશા ટોપ-લિસ્ટેડ ગાયકોમાંની એક રહી છે.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.