પ્રસંગોમાં DJ વાગતા ડી.જેને લઈ ગેનીબેન ઠાકોરે આપ્યું નિવેદન, ધારાસભ્યે આપ્યું દીકરીઓના ભાગી જવા પાછળનું કારણ! જાણો શું કહ્યું...


  • Published By :
  • Published Date : 2023-05-25 16:49:58

વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર પોતાના નિવેદનને લઈ હંમેશા ચર્ચામાં રહેતા હોય છે. પોતાના નિવદેનને કારણે ગેનીબેન ઠાકોર ફરી ચર્ચામાં આવ્યા છે. ભાભર ખાતે આયોજીત ઠાકોર સમાજના સમૂહ લગ્નમાં હાજરી આપતા તેમણે નિવેદન આપ્યું કે દીકરીઓના નાસી જવા પાછળ ડીજે જવાબદાર છે. ઉપરાંત એવું પણ કહ્યું હતું કે નવયુગલો જ્યાં સુધી કમાતા ન થાય ત્યાં સુધી પારણું ન બાંધવું જોઈએ. કાર્યક્રમમાં હાજરી આપી તેમણે 34 દંપત્તિને આશીર્વાદ આપ્યા હતા.     


ડી.જે પર પ્રતિબંધ મૂકવા ગેનીબેન ઠાકોરે કરી હતી માગ!

કોંગ્રેસના વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે થોડા સમય પહેલા ડીજે પર પ્રતિબંધ મૂકવામાં આવે તેવી વાત કહી હતી. ભાભરના ઈન્દ્રરવા ગામમાં આયોજીત એક કાર્યક્રમ દરમિયાન તેમણે કહ્યું હતું કે DJના કારણે લગ્ન પ્રસંગમાં મતભેદ ઊભા થાય છે. જેને લઈ હવે DJ વગર લગ્નના ફેરા ફરવાની ના પાડનારાઓને સમજાવવાના હોય. તેમણે કહ્યું કે ઠાકોર સમાજના દીકરા દીકરીઓ ડીજેમાં દિલથી નાચગાન કરી લગ્નનો ઉત્સવ ઉજવતા હોય છે. અને ડીજેના તાલે ઝુમતા હોય છે. યુવાનો ને લગ્નમાં ડીજે ન હોય તો લગ્નની મજા માણવાનું ફિકુ લાગતું હોય છે. સમાજના દીકરા-દીકરીઓ DJ વિના લગ્ન નથી કરતા તો હવે સમાજે પણ લગ્નમા DJ પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવો જોઈએ.   


દીકરીઓના નાસી જવા પાછળ ડીજે જવાબદાર!

ત્યારે ફરી એક વખત ગેનીબેન ઠાકોરે નિવેદન આપ્યું કે દીકરીઓના નાસી જવા પાછળ ડીજે જવાબદાર છે. તેમણે કહ્યું કે રાત્રે તમે ડીજે વગાડો.. નાચવાવાળા સંસ્કૃતિ વિરૂદ્ધના ગીતો ગાય.. રાત્રે બે વાગ્યે લોકો નાચે. આમંત્રણ મળ્યું હોય તેવા લોકો પણ આવે અને આમંત્રણ ના મળ્યું હોય તેવા લોકો પણ આવે. નાસી જવાની ખરાબ ઘટનાઓ બનતી હોય તો આ ડીજે તેના માટે જવાબદાર છે. તે ઉપરાંત તેમણે નવ દંપત્તિને સલાહ આપતા કહ્યું હતું કે નવયુગલો જ્યાં સુધી કમાતા ન થાય ત્યાં સુધી ઘરે પારણું ન બાંધવું જોઈએ.  



ઇંગ્લેન્ડની રાજધાની લંડનમાં એક વિમાન અકસ્માત થયો છે. એક નાનું એરક્રાફ્ટ , લંડનના સાઉથએન્ડ એરપોર્ટ ખાતે ક્રેશ થઈ ગયું છે. રનવે પરથી ઉડાન ભર્યાના થોડીવારમાં જ આ વિમાન ક્રેશ થયું હતું . ક્રેશ થયા બાદ આ વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું . ક્રેશ થયેલ વિમાન Beech B200 સુપરકિંગ એર હતું, જે લંડનના સાઉથએન્ડ એરપોર્ટથી નેધરલેન્ડ્સના લેલિસ્ટેડ ખાતે જવાનું હતું.

ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખના પદ માટે જોરદાર ઘમાસાણ શરુ થઇ ચૂક્યું છે. એક તરફ , પાટીદાર સમાજે આ પદ માટે દાવો ઠોકી દીધો છે તો , બીજી તરફ કોળી સમાજે પણ પ્રદેશ પ્રમુખના પદ માટે દાવો કર્યો છે. હાલમાં તો , ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ શૈલેષ પરમાર છે. તો હવે ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હી હાઇકમાન્ડે તેડું મોકલાવ્યું છે. આ બેઠકમાં રાહુલ ગાંધીની સાથે મલ્લિકાર્જુન ખરગે પણ હાજર રહેશે .આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસ માટે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે.

યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના બ્યુરો ઓફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સના (SCA)ના ડેપ્યુટી સેક્રેટરી બેથની મોરિસન ૩ જુલાઈથી ૯ જુલાઈ વચ્ચે ભારતની મુલાકાતે હતા . આ મુલાકાત દરમ્યાન DAS મોરિસને નવી દિલ્હી , ધર્મશાળા અને મુંબઈમાં ભારત - યુએસ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે મુખ્ય હિસ્સેદારો સાથે વાતચીત કરી હતી . તો આજે આપણે આ આર્ટિકલમાં DAS મોરિસનની મુલાકાત વિશે વિસ્તારથી જાણીશું.

થોડાક સમય અગાઉ ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને અરેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસે તેમની પાસા હેઠળ ધરપકડ કરીને , તેમને સાબરમતી જેલમાં ધકેલી દીધા છે. અમરનાથ મંદિરમાં આરતી ના કરવા મુદ્દે પીટી જાડેજાએ ધમકી આપી હતી. આ બાબતે , રાજકોટ તાલુકા પોલીસે કાર્યવાહી કરી છે. તો આ મામલે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિની બા વાળાએ ચીમકી ઉચ્ચારી છે કે , જો ૨૪ કલાકમાં ન્યાય નઈ થાય તો ફરી એકવાર આંદોલન કરીશું . તો હવે પદ્મિની બા વાળાના આ નિવેદનને લઇને ગોંડલથી તેમને ફોન આવ્યો હતો . જેની ઓડીઓ કલીપ ખુબ જ વાઇરલ થઇ રહી છે .