પ્રસંગોમાં DJ વાગતા ડી.જેને લઈ ગેનીબેન ઠાકોરે આપ્યું નિવેદન, ધારાસભ્યે આપ્યું દીકરીઓના ભાગી જવા પાછળનું કારણ! જાણો શું કહ્યું...


  • Published By :
  • Published Date : 2023-05-25 16:49:58

વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર પોતાના નિવેદનને લઈ હંમેશા ચર્ચામાં રહેતા હોય છે. પોતાના નિવદેનને કારણે ગેનીબેન ઠાકોર ફરી ચર્ચામાં આવ્યા છે. ભાભર ખાતે આયોજીત ઠાકોર સમાજના સમૂહ લગ્નમાં હાજરી આપતા તેમણે નિવેદન આપ્યું કે દીકરીઓના નાસી જવા પાછળ ડીજે જવાબદાર છે. ઉપરાંત એવું પણ કહ્યું હતું કે નવયુગલો જ્યાં સુધી કમાતા ન થાય ત્યાં સુધી પારણું ન બાંધવું જોઈએ. કાર્યક્રમમાં હાજરી આપી તેમણે 34 દંપત્તિને આશીર્વાદ આપ્યા હતા.     


ડી.જે પર પ્રતિબંધ મૂકવા ગેનીબેન ઠાકોરે કરી હતી માગ!

કોંગ્રેસના વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે થોડા સમય પહેલા ડીજે પર પ્રતિબંધ મૂકવામાં આવે તેવી વાત કહી હતી. ભાભરના ઈન્દ્રરવા ગામમાં આયોજીત એક કાર્યક્રમ દરમિયાન તેમણે કહ્યું હતું કે DJના કારણે લગ્ન પ્રસંગમાં મતભેદ ઊભા થાય છે. જેને લઈ હવે DJ વગર લગ્નના ફેરા ફરવાની ના પાડનારાઓને સમજાવવાના હોય. તેમણે કહ્યું કે ઠાકોર સમાજના દીકરા દીકરીઓ ડીજેમાં દિલથી નાચગાન કરી લગ્નનો ઉત્સવ ઉજવતા હોય છે. અને ડીજેના તાલે ઝુમતા હોય છે. યુવાનો ને લગ્નમાં ડીજે ન હોય તો લગ્નની મજા માણવાનું ફિકુ લાગતું હોય છે. સમાજના દીકરા-દીકરીઓ DJ વિના લગ્ન નથી કરતા તો હવે સમાજે પણ લગ્નમા DJ પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવો જોઈએ.   


દીકરીઓના નાસી જવા પાછળ ડીજે જવાબદાર!

ત્યારે ફરી એક વખત ગેનીબેન ઠાકોરે નિવેદન આપ્યું કે દીકરીઓના નાસી જવા પાછળ ડીજે જવાબદાર છે. તેમણે કહ્યું કે રાત્રે તમે ડીજે વગાડો.. નાચવાવાળા સંસ્કૃતિ વિરૂદ્ધના ગીતો ગાય.. રાત્રે બે વાગ્યે લોકો નાચે. આમંત્રણ મળ્યું હોય તેવા લોકો પણ આવે અને આમંત્રણ ના મળ્યું હોય તેવા લોકો પણ આવે. નાસી જવાની ખરાબ ઘટનાઓ બનતી હોય તો આ ડીજે તેના માટે જવાબદાર છે. તે ઉપરાંત તેમણે નવ દંપત્તિને સલાહ આપતા કહ્યું હતું કે નવયુગલો જ્યાં સુધી કમાતા ન થાય ત્યાં સુધી ઘરે પારણું ન બાંધવું જોઈએ.  



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.