ગેનીબેન ઠાકોરના ભાઈ દારૂની બોટલો સાથે ઝડપાયા, સાંભળો ભાઈ પાસેથી દારૂની બોટલો મળતા ધારાસભ્યએ શું આપી પ્રતિક્રિયા?


  • Published By :
  • Published Date : 2023-07-13 17:18:04

વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર પોતાના નિવેદનોને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. અનેક વખત દારૂનું વેચાણ કરનાર લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગ ગેનીબેન ઠાકોર દ્વારા કરવામાં આવી છે. આ મામલે તેમણે કલેક્ટરને આવેદનપત્ર પણ પાઠવ્યું હતું. ત્યારે આજે ગેનીબેન ઠાકોરના સગા ભાઈને પોલસે દારૂની બોટલ સાથે ઝડપી પાડ્યા છે. એલસીબી પોલીસને બાતમી મળી હતી. એલસીબીએ રેડ પાડી હતી ત્યાં રમેશ ઠાકોર તેમજ પ્રહલાદ ઠાકોર પાસેથી દારૂની બોટલ મળી આવી હતી. પોલીસે બંને પાસેથી દારૂની બોટલ ઝપ્ત કરી છે. 


ગેનીબહેનના ભાઈ દારૂ સાથે ઝડપાયા!

ગુજરાતને આમ તો ડ્રાય સ્ટેટ કહેવામાં આવે છે. ડ્રાય સ્ટેટનો મતલબ હોય છે જ્યાં દારૂ નથી મળતું. પરંતુ અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેને લઈ એવું થાય કે શું સાચે ગુજરાતમાં દારૂબંધી છે? નશાની હાલતમાં શાળાના આચાર્યો, બસ ડ્રાઈવરો, તેમજ પોલીસના અનેક અધિકારીઓ જોવા મળતા હોય છે. દારૂબંધી સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગ અનેક વખત વાવના ધારાસભ્ચ ગેનીબેન ઠાકોર દ્વારા કરવામાં આવી છે. કલેક્ટરને પણ આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે આજે સમાચાર સામે આવ્યા છે જેમાં ગેનીબેન ઠાકોરના સગાભાઈ પાસેથી દારૂની બોટલ મળી આવી હતી. મહત્વનું છે કે થોડા વર્ષો પહેલા ગેનીબેને જનતા રેડ કરી હતી અને દારૂના જથ્થાનો નાશ કર્યો હતો. 


ગેનીબેને આ મામલે આપી પ્રતિક્રિયા

ભાભરના અબાસણા ગામમાં એલસીબી દ્વારા રેડ કરવામાં આવી હતી. વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરના ભાઈ રમેશ ઠાકોર દારૂની બોટલ સાથે ઝડપાયા હોવાની વિગતો સામે આવી છે. ભાભરના અબાસણા ગામે LCBના દરોડામાં રમેશ ઠાકોર અને પ્રહલાદ ઠાકોર દારૂની બોટલ સાથે ઝડપાયા હતા. રમેશ ઠાકોર ગેનીબેન ઠાકોરના સગાભાઈ છે. ત્યારે આ મામલે ગેનીબેન ઠાકોરની પ્રતિક્રિયા સામે આવી છે. ગેનીબેન ઠાકોરે બનાસકાંઠા પોલીસ તેમજ બનાસકાંઠા એસપી પર  આક્ષેપ લગાવ્યા છે. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.