ગેનીબેન ઠાકોરના ભાઈ દારૂની બોટલો સાથે ઝડપાયા, સાંભળો ભાઈ પાસેથી દારૂની બોટલો મળતા ધારાસભ્યએ શું આપી પ્રતિક્રિયા?


  • Published By :
  • Published Date : 2023-07-13 17:18:04

વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર પોતાના નિવેદનોને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. અનેક વખત દારૂનું વેચાણ કરનાર લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગ ગેનીબેન ઠાકોર દ્વારા કરવામાં આવી છે. આ મામલે તેમણે કલેક્ટરને આવેદનપત્ર પણ પાઠવ્યું હતું. ત્યારે આજે ગેનીબેન ઠાકોરના સગા ભાઈને પોલસે દારૂની બોટલ સાથે ઝડપી પાડ્યા છે. એલસીબી પોલીસને બાતમી મળી હતી. એલસીબીએ રેડ પાડી હતી ત્યાં રમેશ ઠાકોર તેમજ પ્રહલાદ ઠાકોર પાસેથી દારૂની બોટલ મળી આવી હતી. પોલીસે બંને પાસેથી દારૂની બોટલ ઝપ્ત કરી છે. 


ગેનીબહેનના ભાઈ દારૂ સાથે ઝડપાયા!

ગુજરાતને આમ તો ડ્રાય સ્ટેટ કહેવામાં આવે છે. ડ્રાય સ્ટેટનો મતલબ હોય છે જ્યાં દારૂ નથી મળતું. પરંતુ અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેને લઈ એવું થાય કે શું સાચે ગુજરાતમાં દારૂબંધી છે? નશાની હાલતમાં શાળાના આચાર્યો, બસ ડ્રાઈવરો, તેમજ પોલીસના અનેક અધિકારીઓ જોવા મળતા હોય છે. દારૂબંધી સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગ અનેક વખત વાવના ધારાસભ્ચ ગેનીબેન ઠાકોર દ્વારા કરવામાં આવી છે. કલેક્ટરને પણ આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે આજે સમાચાર સામે આવ્યા છે જેમાં ગેનીબેન ઠાકોરના સગાભાઈ પાસેથી દારૂની બોટલ મળી આવી હતી. મહત્વનું છે કે થોડા વર્ષો પહેલા ગેનીબેને જનતા રેડ કરી હતી અને દારૂના જથ્થાનો નાશ કર્યો હતો. 


ગેનીબેને આ મામલે આપી પ્રતિક્રિયા

ભાભરના અબાસણા ગામમાં એલસીબી દ્વારા રેડ કરવામાં આવી હતી. વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરના ભાઈ રમેશ ઠાકોર દારૂની બોટલ સાથે ઝડપાયા હોવાની વિગતો સામે આવી છે. ભાભરના અબાસણા ગામે LCBના દરોડામાં રમેશ ઠાકોર અને પ્રહલાદ ઠાકોર દારૂની બોટલ સાથે ઝડપાયા હતા. રમેશ ઠાકોર ગેનીબેન ઠાકોરના સગાભાઈ છે. ત્યારે આ મામલે ગેનીબેન ઠાકોરની પ્રતિક્રિયા સામે આવી છે. ગેનીબેન ઠાકોરે બનાસકાંઠા પોલીસ તેમજ બનાસકાંઠા એસપી પર  આક્ષેપ લગાવ્યા છે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.