ભાજપમાં જોડાવાની અટકળો પર ગેનીબેન ઠાકોરે મૂક્યો પૂર્ણ વિરામ! ટ્વિટ કરી કોંગ્રેસ અને વાવ વિસ્તાર માટે કહી આ વાત, જાણો શું લખ્યું ટ્વિટમાં


  • Published By :
  • Published Date : 2023-06-10 11:02:11

વાવના ધારાસભ્ય અને કોંગ્રેસના નેતા ગેનીબેન ઠાકોર ભાજપમાં જોડાઈ શકે છે તેવી અટકળો અનેક વખત ઉઠી છે. જ્યારે પણ ગેનીબેન ઠાકોર ભાજપના નેતા સાથે કોઈ કાર્યક્રમમાં દેખાય તે વખતે આવી અફવાઓ ઉડતી હોય છે કે ગેનીબેન ઠાકોર ભાજપમાં જોડાવાના છે. ત્યારે ગઈકાલે એક વીડિયો વાયરલ થયો હતો જેમાં ગેનીબેન ઠાકોર અને વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી ગાડીમાંથી એક સાથે ઉતરતા દેખાયા હતા. વીડિયો સામે આવતા અફવાઓ ઉઠવા લાગી કે ગેનીબેન ઠાકોર ભાજપમાં જોડાવાના છે. ત્યારે અફવાઓ પર પૂર્ણ વિરામ મૂકવા ગેનીબેન ઠાકોર ટ્વિટ કર્યું કે હું વાવ વિધાનસભા વિસ્તારની ધારાસભ્ય છું, વાવનો વટ મારી જનતા છે, દુનિયાની કોઈ એવી બેંક નથી કે મને ખરીદી શકે...

 


શંકરસિંહ ચૌધરી સાથે દેખાયા હતા ગેનીબેન ઠાકોર!    

કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરને લઈ અનેક વખત અફવાઓ ઉઠી છે કે ગમે ત્યારે તેઓ ભાજપમાં જોડાઈ શકે છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક તેમનો એક શંકર ચૌધરી સાથેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં બંને નેતાઓ ગાડીમાંથી સાથે ઉતરતા દેખાય છે. ત્યારે આ વીડિયોને લઈ અટકળો શરૂ થઈ ગઈ હતી કે ગેનીબેન ઠાકોર કોંગ્રેસને અલવિદા કહી કેસરિયો ધારણ કરી શકે છે. પરંતુ આ વાત પર ગેનીબેન ઠાકોરે પૂર્ણવિરામ મૂકી દીધો છે.

  

દુનિયાની કોઈ એવી બેંક નથી કે મને ખરીદી શકે - ગેનીબેન ઠાકોર

અટકળો તેમજ અફવાઓ પર વિરામ મૂકતા ટ્વિટર પર ગેનીબેન ઠાકોરે લખ્યું કે સામાજિક સદભાવના કાર્યક્રમમાં શંકર ચૌધરી વિધાનસભા અધ્યક્ષ શ્રી સાથે 13.5.2023 ના રોજ ભાભર વાલ્મિકી સમાજના સમૂહ લગ્નમાં કાર્યક્રમમાં આપેલી હાજરીના સંદર્ભને લઈ મીડિયામાં જૂના વીડિયોના આધારે જે પ્રમાણે ભાજપમાં જોડાવવા અંગે અહેવાલ દર્શાવાઈ રહ્યા છે તે તદ્દન પાયાવિહોણા છે. વાયરલ વીડિયોના નામે રાજકીય છબી ખરડવાનો પ્રયાસ ન કરવો જોઈએ. તે સિવાય પણ એક બીજી ટ્વિટ કરી છે જેમાં તેમણે લખ્યું કે હું વાવ વિધાનસભા વિસ્તારની ધારાસભ્ય છું, વાવનો વટ મારી જનતા છે, દુનિયાની કોઈ એવી બેંક નથી કે મને ખરીદી શકે... જય હોં કોંગ્રેસ...  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.