ભાજપમાં જોડાવાની અટકળો પર ગેનીબેન ઠાકોરે મૂક્યો પૂર્ણ વિરામ! ટ્વિટ કરી કોંગ્રેસ અને વાવ વિસ્તાર માટે કહી આ વાત, જાણો શું લખ્યું ટ્વિટમાં


  • Published By :
  • Published Date : 2023-06-10 11:02:11

વાવના ધારાસભ્ય અને કોંગ્રેસના નેતા ગેનીબેન ઠાકોર ભાજપમાં જોડાઈ શકે છે તેવી અટકળો અનેક વખત ઉઠી છે. જ્યારે પણ ગેનીબેન ઠાકોર ભાજપના નેતા સાથે કોઈ કાર્યક્રમમાં દેખાય તે વખતે આવી અફવાઓ ઉડતી હોય છે કે ગેનીબેન ઠાકોર ભાજપમાં જોડાવાના છે. ત્યારે ગઈકાલે એક વીડિયો વાયરલ થયો હતો જેમાં ગેનીબેન ઠાકોર અને વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી ગાડીમાંથી એક સાથે ઉતરતા દેખાયા હતા. વીડિયો સામે આવતા અફવાઓ ઉઠવા લાગી કે ગેનીબેન ઠાકોર ભાજપમાં જોડાવાના છે. ત્યારે અફવાઓ પર પૂર્ણ વિરામ મૂકવા ગેનીબેન ઠાકોર ટ્વિટ કર્યું કે હું વાવ વિધાનસભા વિસ્તારની ધારાસભ્ય છું, વાવનો વટ મારી જનતા છે, દુનિયાની કોઈ એવી બેંક નથી કે મને ખરીદી શકે...

 


શંકરસિંહ ચૌધરી સાથે દેખાયા હતા ગેનીબેન ઠાકોર!    

કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરને લઈ અનેક વખત અફવાઓ ઉઠી છે કે ગમે ત્યારે તેઓ ભાજપમાં જોડાઈ શકે છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક તેમનો એક શંકર ચૌધરી સાથેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં બંને નેતાઓ ગાડીમાંથી સાથે ઉતરતા દેખાય છે. ત્યારે આ વીડિયોને લઈ અટકળો શરૂ થઈ ગઈ હતી કે ગેનીબેન ઠાકોર કોંગ્રેસને અલવિદા કહી કેસરિયો ધારણ કરી શકે છે. પરંતુ આ વાત પર ગેનીબેન ઠાકોરે પૂર્ણવિરામ મૂકી દીધો છે.

  

દુનિયાની કોઈ એવી બેંક નથી કે મને ખરીદી શકે - ગેનીબેન ઠાકોર

અટકળો તેમજ અફવાઓ પર વિરામ મૂકતા ટ્વિટર પર ગેનીબેન ઠાકોરે લખ્યું કે સામાજિક સદભાવના કાર્યક્રમમાં શંકર ચૌધરી વિધાનસભા અધ્યક્ષ શ્રી સાથે 13.5.2023 ના રોજ ભાભર વાલ્મિકી સમાજના સમૂહ લગ્નમાં કાર્યક્રમમાં આપેલી હાજરીના સંદર્ભને લઈ મીડિયામાં જૂના વીડિયોના આધારે જે પ્રમાણે ભાજપમાં જોડાવવા અંગે અહેવાલ દર્શાવાઈ રહ્યા છે તે તદ્દન પાયાવિહોણા છે. વાયરલ વીડિયોના નામે રાજકીય છબી ખરડવાનો પ્રયાસ ન કરવો જોઈએ. તે સિવાય પણ એક બીજી ટ્વિટ કરી છે જેમાં તેમણે લખ્યું કે હું વાવ વિધાનસભા વિસ્તારની ધારાસભ્ય છું, વાવનો વટ મારી જનતા છે, દુનિયાની કોઈ એવી બેંક નથી કે મને ખરીદી શકે... જય હોં કોંગ્રેસ...  



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.