ભાજપમાં જોડાવાની અટકળો પર ગેનીબેન ઠાકોરે મૂક્યો પૂર્ણ વિરામ! ટ્વિટ કરી કોંગ્રેસ અને વાવ વિસ્તાર માટે કહી આ વાત, જાણો શું લખ્યું ટ્વિટમાં


  • Published By :
  • Published Date : 2023-06-10 11:02:11

વાવના ધારાસભ્ય અને કોંગ્રેસના નેતા ગેનીબેન ઠાકોર ભાજપમાં જોડાઈ શકે છે તેવી અટકળો અનેક વખત ઉઠી છે. જ્યારે પણ ગેનીબેન ઠાકોર ભાજપના નેતા સાથે કોઈ કાર્યક્રમમાં દેખાય તે વખતે આવી અફવાઓ ઉડતી હોય છે કે ગેનીબેન ઠાકોર ભાજપમાં જોડાવાના છે. ત્યારે ગઈકાલે એક વીડિયો વાયરલ થયો હતો જેમાં ગેનીબેન ઠાકોર અને વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી ગાડીમાંથી એક સાથે ઉતરતા દેખાયા હતા. વીડિયો સામે આવતા અફવાઓ ઉઠવા લાગી કે ગેનીબેન ઠાકોર ભાજપમાં જોડાવાના છે. ત્યારે અફવાઓ પર પૂર્ણ વિરામ મૂકવા ગેનીબેન ઠાકોર ટ્વિટ કર્યું કે હું વાવ વિધાનસભા વિસ્તારની ધારાસભ્ય છું, વાવનો વટ મારી જનતા છે, દુનિયાની કોઈ એવી બેંક નથી કે મને ખરીદી શકે...

 


શંકરસિંહ ચૌધરી સાથે દેખાયા હતા ગેનીબેન ઠાકોર!    

કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરને લઈ અનેક વખત અફવાઓ ઉઠી છે કે ગમે ત્યારે તેઓ ભાજપમાં જોડાઈ શકે છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક તેમનો એક શંકર ચૌધરી સાથેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં બંને નેતાઓ ગાડીમાંથી સાથે ઉતરતા દેખાય છે. ત્યારે આ વીડિયોને લઈ અટકળો શરૂ થઈ ગઈ હતી કે ગેનીબેન ઠાકોર કોંગ્રેસને અલવિદા કહી કેસરિયો ધારણ કરી શકે છે. પરંતુ આ વાત પર ગેનીબેન ઠાકોરે પૂર્ણવિરામ મૂકી દીધો છે.

  

દુનિયાની કોઈ એવી બેંક નથી કે મને ખરીદી શકે - ગેનીબેન ઠાકોર

અટકળો તેમજ અફવાઓ પર વિરામ મૂકતા ટ્વિટર પર ગેનીબેન ઠાકોરે લખ્યું કે સામાજિક સદભાવના કાર્યક્રમમાં શંકર ચૌધરી વિધાનસભા અધ્યક્ષ શ્રી સાથે 13.5.2023 ના રોજ ભાભર વાલ્મિકી સમાજના સમૂહ લગ્નમાં કાર્યક્રમમાં આપેલી હાજરીના સંદર્ભને લઈ મીડિયામાં જૂના વીડિયોના આધારે જે પ્રમાણે ભાજપમાં જોડાવવા અંગે અહેવાલ દર્શાવાઈ રહ્યા છે તે તદ્દન પાયાવિહોણા છે. વાયરલ વીડિયોના નામે રાજકીય છબી ખરડવાનો પ્રયાસ ન કરવો જોઈએ. તે સિવાય પણ એક બીજી ટ્વિટ કરી છે જેમાં તેમણે લખ્યું કે હું વાવ વિધાનસભા વિસ્તારની ધારાસભ્ય છું, વાવનો વટ મારી જનતા છે, દુનિયાની કોઈ એવી બેંક નથી કે મને ખરીદી શકે... જય હોં કોંગ્રેસ...  



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.