અમેરિકા પછી જર્મની પણ ગુજરાતીઓને કરશે ઘરભેગા?


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-03-16 10:18:30

હાલમાં વિશ્વભરમાં એક મુદ્દો ચર્ચામાં છે તે છે "ઇમિગ્રેશન" . થોડાક સમય પેહલા આપણે જોયું કે , કેવી રીતે અમેરિકાએ ગેરકાયદેસર રીતે પ્રવેશેલા ભારતીયોને પાછા મોકલ્યા છે . હવે ભારતીયોને પોતાની સલામતીને લઇને જર્મનીમાં પણ ડર લાગી રહ્યો છે કેમ કે , ૨૦૨૪ની ક્રિસમસ પર તેના શહેર માગ઼ડ઼ેબર્ગમાં માર્કેટ અટેક થયો હતો તેમાં ૭ ભારતીયો ઘાયલ થયા હતા . આ પછી ત્યાંના ફેડરલ ઇલેક્શન્સમાં કન્ઝર્વેટિવ વિપક્ષી નેતા ફ્રેડરિક મર્જની ક્રિશ્ચિયન ડેમોક્રેટિક યુનિયન(CDU) પાર્ટીને જીત મળી છે . જેમનું વલણ ઇલલીગલ ઇમિગ્રેશનને લઇને ખુબ કડક છે . તો આજે આપણે જોઇશું કે જર્મનીમાં આપણા ભારતીયોના સલામતીને લઇને શું પ્રશ્નો છે? 

જર્મની યુરોપનું પાવરહાઉસ એટલેકે સૌથી મોટું અર્થતંત્ર છે . બીજા વિશ્વયુદ્ધ પછી તેના ઔદ્યોગિક વિકાસે સમગ્ર વિશ્વનું ધ્યાન દોર્યું છે . દાખલા તરીકે , યુરોપમાં કાર ઉત્પાદન કરતી મોટાભાગની કંપનીઓના હેડ ક્વાર્ટર જર્મનીમાં આવેલા છે . હવે જર્મની વિન્ડ પાવર અને સેમિકન્ડક્ટરના ઉત્પાદનમાં આગળ વધી રહ્યું છે. પરંતુ જર્મનીમાં એક સમસ્યા છે તે છે કે તેની પાસે સ્કિલ્ડ વર્કફોર્સ નથી . ભારતીયો તેની કમી પુરી કરી રહ્યા છે.  પરંતુ હવે જર્મનીમાં માત્ર ભારતીયો જ નથી બીજા ઘણા દેશોના ઈમીગ્રેન્ટ્સ જોવા મળે છે જેમ કે સીરિયન્સ , ઇરાકી વગેરે . આ યુદ્ધગ્રસ્ત દેશોના ઘણા નાગરિકો ગેરકાયદેસર રીતે જર્મનીમાં ઘુસેલા છે .  જર્મનીની રાજનીતિમાં ફાર રાઈટ વિંગ એટલેકે , જમણેરી રાષ્ટ્રવાદીઓનું પ્રભુત્વ વધી રહ્યું છે જે આ ગેરકાયદેસર  ઇમિગ્રેન્ટ્સની વિરુદ્ધમાં છે ઉપરાંત ઇમિગ્રેન્ટ્સ પર હુમલાઓ વધી રહ્યા છે . આગળ જેમ વાત કરી તેમ , ૨૦૨૪માં ક્રિસમસ માર્કેટનો હુમલો થયો તેમાં ૭ ભારતીયો ઘાયલ થયા છે .  

જોકે આ હુમલા બાદ ભારતના વિદેશ મંત્રાલયે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે , "ઘણા લોકોએ પોતાના કિંમતી જીવ ગુમાવ્યા છે અને ઘણા ઘાયલ થયા છે. અમારી પ્રાર્થનાઓ પીડિતો સાથે છે. અમે ઘાયલ ભારતીયો તેમજ તેમના પરિવારોના સંપર્કમાં છીએ અને શક્ય તેટલી બધી સહાય પૂરી પાડીશું." વર્તમાનમાં ભારત અને જર્મનીના સબંધો ખુબ મજબૂત થયા છે . કેમ કે , ભારતીય ફોરેન પોલિસીની પ્રાયોરિટીમાં યુરોપ અને અમેરિકા મોખરે છે . આ બેઉ દેશો વચ્ચે વેપાર પણ મજબૂત થયો છે.  પરંતુ આ બને દેશો વચ્ચે પીપલ ટુ  પીપલ ટાયસ મજબૂત કરવા ભારતીયોની સલામતી મહત્વની છે . કેમ કે ભારતીયો જર્મનીને સ્કિલ્ડ વર્ક ફોર્સ આપી રહ્યા છે અને જો જર્મની આ સલામતી આપવામાં ઉણુ ઉતરશે તો ભારતીય સ્કિલ્ડ ફોર્સ માટે બીજા દેશોના વિકલ્પ પણ ખુલ્લા છે . તો હવે જોવાનું એ છે કે જર્મનીમાં નવી સરકાર કેવી રીતે ઇમિગ્રેન્ટ્સની સલામતીનું ધ્યાન રાખે છે .




દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.