Gujaratના રાજકારણમાં ગરમાવો! કોંગ્રેસના દિગ્ગજ નેતા અને Adivasi ચહેરો મનાતા નારણ રાઠવા થશે ભાજપના, કોંગ્રેસને મોટો ફટકો!


  • Published By :
  • Published Date : 2024-02-27 11:42:17

લોકસભાની એક બાજુ ચૂંટણી નજીક આવી રહી છે તો બીજી બાજુ કોંગ્રેસના દિગ્ગજ નિતાઓ કેસરિયો ધારણ કરી રહ્યા છે. પૂર્વ કેન્દ્રીય રાજ્ય પ્રધાન અને કોંગ્રેસના દિગ્ગજ નેતા નારણ રાઠવા ભાજપમાં જોડાઈ શકે છે તેવા સમાચાર સામે આવી રહ્યા છે. ફરી એક વખત ભાજપમાં ભરતી મેળો થવાનો છે જેમાં બીજી પાર્ટીના હજારો કાર્યકર્તાઓ કેસરિયો ધારણ કરવાના છે. લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ફટકો પડવાનો છે કારણ કે નારણ રાઠવા આદિવાસી ચહેરો છે. અને કોંગ્રેસના દિગ્ગજ નેતા છે.  

Image


ચૂંટણી પહેલા ભાજપમાં થતી હોય છે વેલકમ પાર્ટી!

જ્યારે જ્યારે ચૂંટણી આવતી હોય છે ત્યારે ત્યારે ભાજપમાં ભરતી મેળો શરૂ થઈ જતો હોય છે. કોંગ્રેસના અથવા તો આમ આદમી પાર્ટીના નેતાઓ, ધારાસભ્યો, કાર્યકર્તાઓ કેસરિયો ધારણ કરી લેતા હોય છે. ઓપરેશન લોટસ એકદમ એક્ટિવ થઈ જતું હોય છે. ગુજરાતના અનેક ધારાસભ્યો પોતાના પદ ઉપરથી રાજીનામું આપી ભાજપમાં જોડાઈ ગયા છે. પેટાચૂંટણી થવાની છે અને ભાજપ તેમને ઉમેદવાર પણ બનાવી શકે છે તેવી માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે. 


ગુજરાતમાં 7માર્ચે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા કરવાની છે પ્રવેશ!

એક તરફ કોંગ્રસનું સંગઠન નબળું પડી રહ્યું છે તો બીજી તરફ ભાજપનું સંગઠન મજબૂત થઈ રહ્યું છે. ભાજપ કોંગ્રેસ યુક્ત થઈ રહી છે. આ બધા વચ્ચે સમાચાર સામે આવી રહ્યા છે કે કોંગ્રેસના દિગ્ગજ નેતા નારણ રાઠવા કેસરિયો ધારણ કરવાના છે. રાજ્યસભા સાંસદ નારણ રાઠવા તેમજ તેમન પુત્ર સંગ્રામ રાઠવા ભાજપમાં જોડાઈ શકે છે. મહત્વનું છે કે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં 7મી માર્ચે પ્રવેશ કરવાની છે. આદિવાસી વિસ્તારોમાં આ યાત્રા ફરવાની છે અને તેની પહેલા કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે.      


આદિવાસી નેતા ગણાતા નારણ રાઠવાએ કોંગ્રેસને કહ્યું રામ રામ! 

રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા માર્ચ મહિનામાં આદિવાસી વિસ્તાર દાહોદ, ગોધરા અને પંચમહાલમાંથી પસાર થવાની છે. યાત્રા ગુજરાતમાં પ્રવેશે તેની પહેલા જ કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા અને છોટાઉદેપુરથી પાંચ વખત લોકસભાના સાંસદ રહેલા નારણ રાઠવા આજે ભાજપમાં જોડાવાના છે. મહત્વનું છે નારણ રાઠવાએ કોંગ્રેસમાંથી જ રાજકારણની શરૂઆત કરી હતી. લોકસભા ચૂંટણી પહેલા નારણ રાઠવા ભાજપમાં જોડાઈ રહ્યા છે તો એવી અટકળોએ જોર પકડ્યું છે કે  તેમને લોકસભાના ઉમેદવાર પણ બનાવાઈ શકાય છે. ત્યારે જોવું રહ્યું આ રાજકારણ હજી કેટલા રંગ દેખાડે છે... !



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.