Gujaratના રાજકારણમાં ગરમાવો! કોંગ્રેસના દિગ્ગજ નેતા અને Adivasi ચહેરો મનાતા નારણ રાઠવા થશે ભાજપના, કોંગ્રેસને મોટો ફટકો!


  • Published By :
  • Published Date : 2024-02-27 11:42:17

લોકસભાની એક બાજુ ચૂંટણી નજીક આવી રહી છે તો બીજી બાજુ કોંગ્રેસના દિગ્ગજ નિતાઓ કેસરિયો ધારણ કરી રહ્યા છે. પૂર્વ કેન્દ્રીય રાજ્ય પ્રધાન અને કોંગ્રેસના દિગ્ગજ નેતા નારણ રાઠવા ભાજપમાં જોડાઈ શકે છે તેવા સમાચાર સામે આવી રહ્યા છે. ફરી એક વખત ભાજપમાં ભરતી મેળો થવાનો છે જેમાં બીજી પાર્ટીના હજારો કાર્યકર્તાઓ કેસરિયો ધારણ કરવાના છે. લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ફટકો પડવાનો છે કારણ કે નારણ રાઠવા આદિવાસી ચહેરો છે. અને કોંગ્રેસના દિગ્ગજ નેતા છે.  

Image


ચૂંટણી પહેલા ભાજપમાં થતી હોય છે વેલકમ પાર્ટી!

જ્યારે જ્યારે ચૂંટણી આવતી હોય છે ત્યારે ત્યારે ભાજપમાં ભરતી મેળો શરૂ થઈ જતો હોય છે. કોંગ્રેસના અથવા તો આમ આદમી પાર્ટીના નેતાઓ, ધારાસભ્યો, કાર્યકર્તાઓ કેસરિયો ધારણ કરી લેતા હોય છે. ઓપરેશન લોટસ એકદમ એક્ટિવ થઈ જતું હોય છે. ગુજરાતના અનેક ધારાસભ્યો પોતાના પદ ઉપરથી રાજીનામું આપી ભાજપમાં જોડાઈ ગયા છે. પેટાચૂંટણી થવાની છે અને ભાજપ તેમને ઉમેદવાર પણ બનાવી શકે છે તેવી માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે. 


ગુજરાતમાં 7માર્ચે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા કરવાની છે પ્રવેશ!

એક તરફ કોંગ્રસનું સંગઠન નબળું પડી રહ્યું છે તો બીજી તરફ ભાજપનું સંગઠન મજબૂત થઈ રહ્યું છે. ભાજપ કોંગ્રેસ યુક્ત થઈ રહી છે. આ બધા વચ્ચે સમાચાર સામે આવી રહ્યા છે કે કોંગ્રેસના દિગ્ગજ નેતા નારણ રાઠવા કેસરિયો ધારણ કરવાના છે. રાજ્યસભા સાંસદ નારણ રાઠવા તેમજ તેમન પુત્ર સંગ્રામ રાઠવા ભાજપમાં જોડાઈ શકે છે. મહત્વનું છે કે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં 7મી માર્ચે પ્રવેશ કરવાની છે. આદિવાસી વિસ્તારોમાં આ યાત્રા ફરવાની છે અને તેની પહેલા કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે.      


આદિવાસી નેતા ગણાતા નારણ રાઠવાએ કોંગ્રેસને કહ્યું રામ રામ! 

રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા માર્ચ મહિનામાં આદિવાસી વિસ્તાર દાહોદ, ગોધરા અને પંચમહાલમાંથી પસાર થવાની છે. યાત્રા ગુજરાતમાં પ્રવેશે તેની પહેલા જ કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા અને છોટાઉદેપુરથી પાંચ વખત લોકસભાના સાંસદ રહેલા નારણ રાઠવા આજે ભાજપમાં જોડાવાના છે. મહત્વનું છે નારણ રાઠવાએ કોંગ્રેસમાંથી જ રાજકારણની શરૂઆત કરી હતી. લોકસભા ચૂંટણી પહેલા નારણ રાઠવા ભાજપમાં જોડાઈ રહ્યા છે તો એવી અટકળોએ જોર પકડ્યું છે કે  તેમને લોકસભાના ઉમેદવાર પણ બનાવાઈ શકાય છે. ત્યારે જોવું રહ્યું આ રાજકારણ હજી કેટલા રંગ દેખાડે છે... !



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે