પેટ પકડીને હસવા થઈ જાવ તૈયાર કારણ કે આ તારીખે સિનેમાઘરોમાં આવી રહી છે Khichdi-2, ટીઝર થયું રિલીઝ


  • Published By :
  • Published Date : 2023-09-30 18:39:12

આપણામાંથી અનેક લોકો એવા હશે જેમણે નાનપણમાં ટીવી પર આવતી ખીચડી સિરિયલ જોઈ હશે. દર્શકોને ખૂબ પસંદ આવી હતી. ખીચડી સિરિયલમાંથી ફિલ્મ બની અને હવે એ ફિલ્મનું સિક્વલ આવી રહ્યું છે. જો તમે એકના એક ફિલ્મોના મીમ મોકલીને થાકી ગયા હોવ તો કદાચ નવા મીમ માટેના ટેમ્પ્લેટ્સ મળશે, કારણકે એક ગજબની ક્રેઝી ફેમેલી ફરીથી ફિલ્મી પડદે દેખાવા જઈ રહી છે, એ ફેમેલી એટલે પ્રફ્ફુલ, હંસા, જયશ્રી, બાપુજી અને હિમાંશુ નામના અસામાન્ય કેરેકટરની ''ખીચડી'' જયારે TV સિરિયલ પરથી 2010માં આજ નામે ફિલ્મ બની ત્યારે જૂની યાદો તાજા કરાવી મજ્જા પાડી હતી તેના 13 વર્ષ બાદ ફરી દિવાળીમાં આ ફિલ્મ જોવા મળશે. 

Khichdi 2:पर्दे पर फिर गूंजने वाली है हंसा की हंसी, 'खिचड़ी 2' की रिलीज डेट  का हुआ एलान - Khichdi 2 Mission Paanthukistan Film Release Date Announced  Movie Will Release On Diwali -


ખીચડી-2 ફિલ્મનું ધમાકેદાર ટીઝર થયું રિલીઝ

2010માં ખીચડી ફિલ્મ આવી હતી. ત્યારે આટલા વર્ષો બાદ ફિલ્મની સિક્વલ એટલે કે ખીચડી-2 આવી રહી છે. આ ફિલ્મની સાથે હંસા અને પ્રફુલ ફરી ધૂમ મચાવશે. હંસા ફરી એક વખત અનેક વખત થાકી જશે વગેરે વગેરે.... આ ફિલ્મને દર્શકો તરફથી સારો રિસ્પોન્સ મળ્યો હતો. ત્યારે આજે જ આ ફિલ્મનું એટલે કે ખીચડી-2નું ટ્રીઝર રીલિઝ થયું છે જેમાં આખી ફેમેલી એક મિશન પર નીકળી છે 'મિશન પંથુકિસ્તાન' હવે આ પંથુકિસ્તાન ક્યાં છે ત્યાં જય ને શું કરશે તે બધું ખબર નથી પણ ટ્રીઝરમાં લોકોને માજા પડી રહી છે. ખીચડી-2માં જુના તમામ કેકરેક્ટરો જોવા મળશે જ પણ ખિચડીમાં ઘી જેવો એક ગુજરાતી એક્ટર પણ જોવા મળશે, કોણ છે એ કલાકાર? ટ્રિઝરમાં જોઈ લો.

Khichdi 2 | Khichdi 2 teaser: Parekh family goes on a secret mission to  earn Rs 5 crore - Telegraph India

Khichdi 2 teaser: Hansa, Praful, go on secret mission in this hilarious  outing | Bollywood - Hindustan Times

17 નવેમ્બરે ફિલ્મ થવાની છે રિલીઝ 

આ ફિલ્મમાં સુપ્રિયા પાઠક, જમનદાસ મજેઠિયા, અનંગ દેસાઈ અને રાજીવ મહેતા જોવા મળશે. આ ફિલ્મમાં ફરી એક વખત હંસા અને બાપુજી વચ્ચે નોકજોક જોવા મળશે. હવે વખાણેલી ખીચડી દાઢે વળગશે કે પેટ પકડીને હસાવશે તે જાણવા, 17 નવેમ્બરે જયારે ફિલ્મ રિલીઝ થશે ત્યારે જ ખબર પડશે. 



રાજકોટમાં આવેલી આજી નદી પર રિવરફ્રન્ટ બનાવવાનો રસ્તો હવે સાફ થઇ ચુક્યો છે. કેમ કે , જંગલેશ્વર વિસ્તારમાં અંદાજે ૪૦૦ કરોડ રૂપિયાની કિંમતની સરકારી જમીન પર ખડકાયેલા ૧૩૫૮ જેટલા મકાનોને દૂર કરવામાં આવશે. આ માટે ગુજરાતના મહેસુલી પંચ દ્વારા સ્થાનિક દબાણકારોની અપીલને રદ કરતો ચુકાદો આપી દેવામાં આવ્યો છે. આ ચુકાદા પછી , ટૂંક સમયમાં જ જંગલેશ્વરમાં ફરી એકવાર ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

" આજે ઈરાન માટે ખુબ મોટો દિવસ છે કેમ કે , ઈરાન પર ખુબ ઘાતક હુમલો કરવામાં આવ્યો છે. " આ શબ્દો છે , અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ. આ એજ રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ છે કે જેઓ , અમેરિકામાં રાષ્ટ્રપતિપદની ચૂંટણીઓના પ્રચાર દરમ્યાન , અમેરિકાને કોઈ પણ નવા યુદ્ધમાં ના ઝોંકવાની કસમ ખાતા હતા અને આજે તેઓ , તેમના બીજા કાર્યકાળના શરુ થયે માત્ર ૧૩ મહિનાની અંદર , ઈરાન પર ખુબ ભારે બોમ્બમારો કરાવી રહ્યા છે. આવનારા , સમયમાં અમેરિકા જમીની સ્તરે ઈરાન પર આક્રમણ કરી શકે છે. તો બીજી તરફ , કુવૈતથી ખબર આવી છે કે , ઈરાનના હુમલામાં એક ભારતીયએ જીવ ગુમાવ્યો છે. વાત કરીએ , ભારતની તો , પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે જે ઉર્જા સંકટ ભારત સામે ઉભું થયું છે તેની સામે કેરોસીનના વેચાણને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

ગુજરાતમાં છેલ્લા ૬ મહિનામાં પોલીસ પર હુમલાની ઘટનામાં વધારો થયો છે. ઓક્ટોબર ૨૦૨૫માં બોટાદના હડદડ ગામે થયેલી હિંસા અને ત્યારબાદ અંબાજીના પાડલીયા ગામે ડિસેમ્બર ૨૦૨૫માં પોલીસ સાથે ઘર્ષણની ઘટના સામે આવી હતી. આ ઉપરાંત થોડાક સમય અગાઉ , પાટણના ઝીલીયા ગામે , અસામાજિક તત્વો દ્વારા પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો. હવે , અમદાવાદના નળ સરોવર ખાતે પણ પોલીસ પર હુમલાની ઘટના સામે આવી છે. જેમાં બે પોલીસકર્મી ઘાયલ થયા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.

રાજકોટ રેન્જ IG તરીકે નિર્લિપ્ત રાયની નિમણુંક થતા અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. કેમ કે , હવે નિર્લિપ્ત રાય દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે , આગામી સમયમાં ૧ લી અને ૨જી એપ્રિલે એક લોકસંપર્ક સભા યોજાશે જેમાં તેઓ પોતે વ્યાજખોરોના ત્રાસથી પીડિતોની રજુઆત સાંભળશે. આ ઉપરાંત , જામનગરમાં રેન્જ IG નિર્લિપ્ત રાયની મુલાકાતના બે જ કલાકની અંદર ૭૨ જેટલા ગેરકાયદેસર બાંધકામો તંત્ર દ્વારા ધ્વસ્ત કરી નાખવામાં આવ્યા છે.