પેટ પકડીને હસવા થઈ જાવ તૈયાર કારણ કે આ તારીખે સિનેમાઘરોમાં આવી રહી છે Khichdi-2, ટીઝર થયું રિલીઝ


  • Published By :
  • Published Date : 2023-09-30 18:39:12

આપણામાંથી અનેક લોકો એવા હશે જેમણે નાનપણમાં ટીવી પર આવતી ખીચડી સિરિયલ જોઈ હશે. દર્શકોને ખૂબ પસંદ આવી હતી. ખીચડી સિરિયલમાંથી ફિલ્મ બની અને હવે એ ફિલ્મનું સિક્વલ આવી રહ્યું છે. જો તમે એકના એક ફિલ્મોના મીમ મોકલીને થાકી ગયા હોવ તો કદાચ નવા મીમ માટેના ટેમ્પ્લેટ્સ મળશે, કારણકે એક ગજબની ક્રેઝી ફેમેલી ફરીથી ફિલ્મી પડદે દેખાવા જઈ રહી છે, એ ફેમેલી એટલે પ્રફ્ફુલ, હંસા, જયશ્રી, બાપુજી અને હિમાંશુ નામના અસામાન્ય કેરેકટરની ''ખીચડી'' જયારે TV સિરિયલ પરથી 2010માં આજ નામે ફિલ્મ બની ત્યારે જૂની યાદો તાજા કરાવી મજ્જા પાડી હતી તેના 13 વર્ષ બાદ ફરી દિવાળીમાં આ ફિલ્મ જોવા મળશે. 

Khichdi 2:पर्दे पर फिर गूंजने वाली है हंसा की हंसी, 'खिचड़ी 2' की रिलीज डेट  का हुआ एलान - Khichdi 2 Mission Paanthukistan Film Release Date Announced  Movie Will Release On Diwali -


ખીચડી-2 ફિલ્મનું ધમાકેદાર ટીઝર થયું રિલીઝ

2010માં ખીચડી ફિલ્મ આવી હતી. ત્યારે આટલા વર્ષો બાદ ફિલ્મની સિક્વલ એટલે કે ખીચડી-2 આવી રહી છે. આ ફિલ્મની સાથે હંસા અને પ્રફુલ ફરી ધૂમ મચાવશે. હંસા ફરી એક વખત અનેક વખત થાકી જશે વગેરે વગેરે.... આ ફિલ્મને દર્શકો તરફથી સારો રિસ્પોન્સ મળ્યો હતો. ત્યારે આજે જ આ ફિલ્મનું એટલે કે ખીચડી-2નું ટ્રીઝર રીલિઝ થયું છે જેમાં આખી ફેમેલી એક મિશન પર નીકળી છે 'મિશન પંથુકિસ્તાન' હવે આ પંથુકિસ્તાન ક્યાં છે ત્યાં જય ને શું કરશે તે બધું ખબર નથી પણ ટ્રીઝરમાં લોકોને માજા પડી રહી છે. ખીચડી-2માં જુના તમામ કેકરેક્ટરો જોવા મળશે જ પણ ખિચડીમાં ઘી જેવો એક ગુજરાતી એક્ટર પણ જોવા મળશે, કોણ છે એ કલાકાર? ટ્રિઝરમાં જોઈ લો.

Khichdi 2 | Khichdi 2 teaser: Parekh family goes on a secret mission to  earn Rs 5 crore - Telegraph India

Khichdi 2 teaser: Hansa, Praful, go on secret mission in this hilarious  outing | Bollywood - Hindustan Times

17 નવેમ્બરે ફિલ્મ થવાની છે રિલીઝ 

આ ફિલ્મમાં સુપ્રિયા પાઠક, જમનદાસ મજેઠિયા, અનંગ દેસાઈ અને રાજીવ મહેતા જોવા મળશે. આ ફિલ્મમાં ફરી એક વખત હંસા અને બાપુજી વચ્ચે નોકજોક જોવા મળશે. હવે વખાણેલી ખીચડી દાઢે વળગશે કે પેટ પકડીને હસાવશે તે જાણવા, 17 નવેમ્બરે જયારે ફિલ્મ રિલીઝ થશે ત્યારે જ ખબર પડશે. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.