પેટ પકડીને હસવા થઈ જાવ તૈયાર કારણ કે આ તારીખે સિનેમાઘરોમાં આવી રહી છે Khichdi-2, ટીઝર થયું રિલીઝ


  • Published By :
  • Published Date : 2023-09-30 18:39:12

આપણામાંથી અનેક લોકો એવા હશે જેમણે નાનપણમાં ટીવી પર આવતી ખીચડી સિરિયલ જોઈ હશે. દર્શકોને ખૂબ પસંદ આવી હતી. ખીચડી સિરિયલમાંથી ફિલ્મ બની અને હવે એ ફિલ્મનું સિક્વલ આવી રહ્યું છે. જો તમે એકના એક ફિલ્મોના મીમ મોકલીને થાકી ગયા હોવ તો કદાચ નવા મીમ માટેના ટેમ્પ્લેટ્સ મળશે, કારણકે એક ગજબની ક્રેઝી ફેમેલી ફરીથી ફિલ્મી પડદે દેખાવા જઈ રહી છે, એ ફેમેલી એટલે પ્રફ્ફુલ, હંસા, જયશ્રી, બાપુજી અને હિમાંશુ નામના અસામાન્ય કેરેકટરની ''ખીચડી'' જયારે TV સિરિયલ પરથી 2010માં આજ નામે ફિલ્મ બની ત્યારે જૂની યાદો તાજા કરાવી મજ્જા પાડી હતી તેના 13 વર્ષ બાદ ફરી દિવાળીમાં આ ફિલ્મ જોવા મળશે. 

Khichdi 2:पर्दे पर फिर गूंजने वाली है हंसा की हंसी, 'खिचड़ी 2' की रिलीज डेट  का हुआ एलान - Khichdi 2 Mission Paanthukistan Film Release Date Announced  Movie Will Release On Diwali -


ખીચડી-2 ફિલ્મનું ધમાકેદાર ટીઝર થયું રિલીઝ

2010માં ખીચડી ફિલ્મ આવી હતી. ત્યારે આટલા વર્ષો બાદ ફિલ્મની સિક્વલ એટલે કે ખીચડી-2 આવી રહી છે. આ ફિલ્મની સાથે હંસા અને પ્રફુલ ફરી ધૂમ મચાવશે. હંસા ફરી એક વખત અનેક વખત થાકી જશે વગેરે વગેરે.... આ ફિલ્મને દર્શકો તરફથી સારો રિસ્પોન્સ મળ્યો હતો. ત્યારે આજે જ આ ફિલ્મનું એટલે કે ખીચડી-2નું ટ્રીઝર રીલિઝ થયું છે જેમાં આખી ફેમેલી એક મિશન પર નીકળી છે 'મિશન પંથુકિસ્તાન' હવે આ પંથુકિસ્તાન ક્યાં છે ત્યાં જય ને શું કરશે તે બધું ખબર નથી પણ ટ્રીઝરમાં લોકોને માજા પડી રહી છે. ખીચડી-2માં જુના તમામ કેકરેક્ટરો જોવા મળશે જ પણ ખિચડીમાં ઘી જેવો એક ગુજરાતી એક્ટર પણ જોવા મળશે, કોણ છે એ કલાકાર? ટ્રિઝરમાં જોઈ લો.

Khichdi 2 | Khichdi 2 teaser: Parekh family goes on a secret mission to  earn Rs 5 crore - Telegraph India

Khichdi 2 teaser: Hansa, Praful, go on secret mission in this hilarious  outing | Bollywood - Hindustan Times

17 નવેમ્બરે ફિલ્મ થવાની છે રિલીઝ 

આ ફિલ્મમાં સુપ્રિયા પાઠક, જમનદાસ મજેઠિયા, અનંગ દેસાઈ અને રાજીવ મહેતા જોવા મળશે. આ ફિલ્મમાં ફરી એક વખત હંસા અને બાપુજી વચ્ચે નોકજોક જોવા મળશે. હવે વખાણેલી ખીચડી દાઢે વળગશે કે પેટ પકડીને હસાવશે તે જાણવા, 17 નવેમ્બરે જયારે ફિલ્મ રિલીઝ થશે ત્યારે જ ખબર પડશે. 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.