ગુજરાતમાં વધતું ઠંડીનું જોર, કડકડતી ઠંડીનો અનુભવ કરવા થઈ જાઓ તૈયાર


  • Published By :
  • Published Date : 2023-01-05 16:23:31

દેશભરમાં ઠંડીનુ જોર વધી રહ્યું છે. ઉત્તરભારતના અનેક રાજ્યોમાં ઠંડીનું પ્રમાણ દિવસેને દિવસે વધતું જઈ રહ્યું છે. દિલ્હી, ઉત્રપ્રદેશ, પંજાબ, જમ્મુ-કાશ્મીર સહિતના રાજ્યોમાં તાપમાનનો પારો ગગડી રહ્યો છે ત્યારે ગુજરાતમાં પણ કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. રાજ્યના વિવિધ શહેરોમાં ઠંડી અનુભવાઈ રહી છે.


નલિયામાં નોંધાયું સૌથી ઓછું તાપમાન 

ડિસેમ્બરના અંતિમ સપ્તાહથી રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. શહેર હોય કે ગ્રામ્ય વિસ્તાર હોય દરેક જગ્યા પર ઠંડી અનુભવાઈ રહી છે. કડકડતી ઠંડીને કારણે લોકો સ્વેટર પહેરતા દેખાઈ રહ્યા છે. નવા વર્ષની શરૂઆતથી જ કડકડતી ઠંડીનો અહેસાસ રાજ્યમાં થવા લાગ્યો હતો. ત્યારે નલિયામાં સૌથી વધુ ઠંડી નોંધાઈ છે. નલિયામાં 8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે અનેક શહેરોમાં તાપમાન 10 ડિગ્રીની આસપાસ નોંધાયું હતું. 


ઠંડો પવન ફૂંકાતા શીતલહેરનો અનુભવ 

ઠંડીની સાથે સાથે ઠંડી પવનના સુસવાટા પણ દિવસભર અનુભવાયા હતા. જેને કારણે વધારે ઠંડી લાગતી હતી. અમદાવાદમાં પણ ઠંડીનો ચમકારો મહેસૂસ થયો હતો. દિવસભર ભારે પવન વહેવાને કારણે ઠંડી સહન કરવાનો વારો આવ્યો હતો. અમદાવાદની સાથે સાથે ઉત્તરગુજરાતમાં પણ શીતલહેરનો અનુભવ થયો હતો. બનાસકાંઠામાં પણ તાપમાન ગગડી રહ્યું હતું. કચ્છ-સૌરાષ્ટ્રમાં તો ઠંડીનો ચમકારો સતત વધી રહ્યો છે. નલિયામાં તાપમાન સૌથી ઓછું નોંધાયું હતું. 


માઉન્ટ આબુમાં તાપમાન માઈનસમાં પહોંચ્યું 

શિયાળાના સમયે ઠંડીની મજા માણવા લોકો માઉન્ટ આબુ અથવા તો હિલ-સ્ટેશનની મુલાકાત લેતા હોય છે. ત્યારે માઉન્ટ આબુમાં પ્રવાસીઓનો ઘસારો જોવા મળી રહ્યો છે. ત્યાં તાપમાન માઈનસમાં નોંધાયું હતું. જેને કારણે અનેક સ્થળો પર બરફ પણ જામેલો દેખાતો હતો. ભલે આ વખતે ઠંડી મોડી પડી પરંતુ કડકડતી પડી રહી છે. આવનાર દિવસોમાં પણ ઠંડીનું જોર યથાવત રહેશે તેવી આગાહી કરવામાં આવી રહી છે.  



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.