ગુજરાતમાં વધતું ઠંડીનું જોર, કડકડતી ઠંડીનો અનુભવ કરવા થઈ જાઓ તૈયાર


  • Published By :
  • Published Date : 2023-01-05 16:23:31

દેશભરમાં ઠંડીનુ જોર વધી રહ્યું છે. ઉત્તરભારતના અનેક રાજ્યોમાં ઠંડીનું પ્રમાણ દિવસેને દિવસે વધતું જઈ રહ્યું છે. દિલ્હી, ઉત્રપ્રદેશ, પંજાબ, જમ્મુ-કાશ્મીર સહિતના રાજ્યોમાં તાપમાનનો પારો ગગડી રહ્યો છે ત્યારે ગુજરાતમાં પણ કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. રાજ્યના વિવિધ શહેરોમાં ઠંડી અનુભવાઈ રહી છે.


નલિયામાં નોંધાયું સૌથી ઓછું તાપમાન 

ડિસેમ્બરના અંતિમ સપ્તાહથી રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. શહેર હોય કે ગ્રામ્ય વિસ્તાર હોય દરેક જગ્યા પર ઠંડી અનુભવાઈ રહી છે. કડકડતી ઠંડીને કારણે લોકો સ્વેટર પહેરતા દેખાઈ રહ્યા છે. નવા વર્ષની શરૂઆતથી જ કડકડતી ઠંડીનો અહેસાસ રાજ્યમાં થવા લાગ્યો હતો. ત્યારે નલિયામાં સૌથી વધુ ઠંડી નોંધાઈ છે. નલિયામાં 8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે અનેક શહેરોમાં તાપમાન 10 ડિગ્રીની આસપાસ નોંધાયું હતું. 


ઠંડો પવન ફૂંકાતા શીતલહેરનો અનુભવ 

ઠંડીની સાથે સાથે ઠંડી પવનના સુસવાટા પણ દિવસભર અનુભવાયા હતા. જેને કારણે વધારે ઠંડી લાગતી હતી. અમદાવાદમાં પણ ઠંડીનો ચમકારો મહેસૂસ થયો હતો. દિવસભર ભારે પવન વહેવાને કારણે ઠંડી સહન કરવાનો વારો આવ્યો હતો. અમદાવાદની સાથે સાથે ઉત્તરગુજરાતમાં પણ શીતલહેરનો અનુભવ થયો હતો. બનાસકાંઠામાં પણ તાપમાન ગગડી રહ્યું હતું. કચ્છ-સૌરાષ્ટ્રમાં તો ઠંડીનો ચમકારો સતત વધી રહ્યો છે. નલિયામાં તાપમાન સૌથી ઓછું નોંધાયું હતું. 


માઉન્ટ આબુમાં તાપમાન માઈનસમાં પહોંચ્યું 

શિયાળાના સમયે ઠંડીની મજા માણવા લોકો માઉન્ટ આબુ અથવા તો હિલ-સ્ટેશનની મુલાકાત લેતા હોય છે. ત્યારે માઉન્ટ આબુમાં પ્રવાસીઓનો ઘસારો જોવા મળી રહ્યો છે. ત્યાં તાપમાન માઈનસમાં નોંધાયું હતું. જેને કારણે અનેક સ્થળો પર બરફ પણ જામેલો દેખાતો હતો. ભલે આ વખતે ઠંડી મોડી પડી પરંતુ કડકડતી પડી રહી છે. આવનાર દિવસોમાં પણ ઠંડીનું જોર યથાવત રહેશે તેવી આગાહી કરવામાં આવી રહી છે.  



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.