ગુજરાતમાં વધતું ઠંડીનું જોર, કડકડતી ઠંડીનો અનુભવ કરવા થઈ જાઓ તૈયાર


  • Published By :
  • Published Date : 2023-01-05 16:23:31

દેશભરમાં ઠંડીનુ જોર વધી રહ્યું છે. ઉત્તરભારતના અનેક રાજ્યોમાં ઠંડીનું પ્રમાણ દિવસેને દિવસે વધતું જઈ રહ્યું છે. દિલ્હી, ઉત્રપ્રદેશ, પંજાબ, જમ્મુ-કાશ્મીર સહિતના રાજ્યોમાં તાપમાનનો પારો ગગડી રહ્યો છે ત્યારે ગુજરાતમાં પણ કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. રાજ્યના વિવિધ શહેરોમાં ઠંડી અનુભવાઈ રહી છે.


નલિયામાં નોંધાયું સૌથી ઓછું તાપમાન 

ડિસેમ્બરના અંતિમ સપ્તાહથી રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. શહેર હોય કે ગ્રામ્ય વિસ્તાર હોય દરેક જગ્યા પર ઠંડી અનુભવાઈ રહી છે. કડકડતી ઠંડીને કારણે લોકો સ્વેટર પહેરતા દેખાઈ રહ્યા છે. નવા વર્ષની શરૂઆતથી જ કડકડતી ઠંડીનો અહેસાસ રાજ્યમાં થવા લાગ્યો હતો. ત્યારે નલિયામાં સૌથી વધુ ઠંડી નોંધાઈ છે. નલિયામાં 8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે અનેક શહેરોમાં તાપમાન 10 ડિગ્રીની આસપાસ નોંધાયું હતું. 


ઠંડો પવન ફૂંકાતા શીતલહેરનો અનુભવ 

ઠંડીની સાથે સાથે ઠંડી પવનના સુસવાટા પણ દિવસભર અનુભવાયા હતા. જેને કારણે વધારે ઠંડી લાગતી હતી. અમદાવાદમાં પણ ઠંડીનો ચમકારો મહેસૂસ થયો હતો. દિવસભર ભારે પવન વહેવાને કારણે ઠંડી સહન કરવાનો વારો આવ્યો હતો. અમદાવાદની સાથે સાથે ઉત્તરગુજરાતમાં પણ શીતલહેરનો અનુભવ થયો હતો. બનાસકાંઠામાં પણ તાપમાન ગગડી રહ્યું હતું. કચ્છ-સૌરાષ્ટ્રમાં તો ઠંડીનો ચમકારો સતત વધી રહ્યો છે. નલિયામાં તાપમાન સૌથી ઓછું નોંધાયું હતું. 


માઉન્ટ આબુમાં તાપમાન માઈનસમાં પહોંચ્યું 

શિયાળાના સમયે ઠંડીની મજા માણવા લોકો માઉન્ટ આબુ અથવા તો હિલ-સ્ટેશનની મુલાકાત લેતા હોય છે. ત્યારે માઉન્ટ આબુમાં પ્રવાસીઓનો ઘસારો જોવા મળી રહ્યો છે. ત્યાં તાપમાન માઈનસમાં નોંધાયું હતું. જેને કારણે અનેક સ્થળો પર બરફ પણ જામેલો દેખાતો હતો. ભલે આ વખતે ઠંડી મોડી પડી પરંતુ કડકડતી પડી રહી છે. આવનાર દિવસોમાં પણ ઠંડીનું જોર યથાવત રહેશે તેવી આગાહી કરવામાં આવી રહી છે.  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.